________________
આચાય જિનવિજયજી
[ ૧૦૧
મિતભાષિત્વ અને એકાંતપ્રિયતાની પ્રકૃતિ પ્રમાણે, અભ્યાસ, વાચન અને
લેખન ચાલુ જ રાખતા.
એક બાજુ સાધુજીવનમાં રાત્રીએ દીવા સામે વંચાય નહિ અને બીજી બાજુ વાંચવાની પ્રબળ વૃત્તિ કે લખવાની તીવ્ર પ્રેરણા રોકી શકાય પણ નહિ. સમય નિરંક જવાનું દુઃખ એ વધારામાં. આ બધાં કારણોથી તેમને એકવાર વીજળીની મેટરી મેળવવાનું મન થયું. આથી લગભગ ૧૩ વર્ષ પહેલાં જ્યારે હું તેના પરિચયમાં પહેલવહેલા આવ્યા ત્યારે તેમણે મને *ટરી લેતા આવવાનુ` કહ્યું. હું બૅટરી અમદાવાદથી પાટણ લઈ ગયા, અને એને પ્રકાશે તેમણે તદ્દન ખાનગીમાં કાઈ સાધુ કે ગૃહસ્થ ન જાણે તેવી રીતે લખવા અને વાંચવા માંડયુ. જો હું ન ભૂલતા હાઉ તા તિલકમંજરીના કર્તા ધનપાળ વિશે એમણે જે લેખ લખેલો છે તે એ જ બૅટરીની મદદથી. તે સિવાય ખીજાં પણ તેમણે તેની મદદથી ધણું વાંચ્યું અને લખ્યું, પરંતુ દુર્દ લે ખેંટરી બગડી અને વિઘ્ન આવ્યું. આખો દિવસ સતત વાંચ્યા—વિચાર્યા પછી પણ તેમને રાતે વાંચવાની ભૂખ રહેતી. તે ઉપરાંત અભ્યાસનાં આધુનિક ઘણાં સાધના મેળવવાની વૃત્તિ પણ ઉત્કટ થતી હતી. છાપાં, માસિકા અને બીજું નવીન સાહિત્ય એ બધું તેમની નજર બહાર ભાગ્યે જ રહે. તે અન્ય જૈન સાધુઓની પેઠે કાઈ પતિ પાસે ભણતા. પણ ભણવાના આરામ અને અંત લગભગ સાથે જ થતા. સંસ્કૃત સાહિત્ય હાય કે પ્રાકૃત એ બધું એમણે મુખ્યપણે સ્વાત્રિત વાચન અને સ્વાત્રિત અભ્યાસથી જ જાણ્યું છે. જેની ષ્ટિ તીક્ષ્ણ હાય અને પ્રતિભા જાગરુક હોય એ ગમે તેવાં પણુ સાધનેને સરસ ઉપયાગ કરી લે છે. એ ન્યાયે તેઓ ભાવનગર, લીમડી, પાટણ આદિ જે જે જૈન સ્થળામાં ગયા અને રહ્યા ત્યાંથી તેમણે અભ્યાસના ખારાક ખૂબ મેળવી લીધા. પરંતુ જૂની શોધખેાળાને અંગે જ્યારે તેએ આધુનિક વિદ્યાનેાનાં લખાણા વાંચતા ત્યારે વળી તેમની જિજ્ઞાસા ભભૂકી ઊઠતા અને જૈન સાધુજીવનનુંરૂઢિબંધન ખટકતું. તેઓ ઘણીવાર મને પત્રમાં લખતા કે તમે ભાગ્યશાળી છે. તમારી પાસે રેલવેની લબ્ધિ છે, ગમે ત્યાં જઈ શકે છે અને ગમે તે રીતે અભ્યાસ કરી શકો છે. એ લખાણુ શોખીન મનેત્તિનું નહિ પણ અભ્યાસપરાયણુ જીવનનું પ્રતિબિંબ છે, એમ મતે તા તે વખતે જ લાગેલું; પણ આજે એ સૌને પ્રત્યક્ષ છે. પાટણના લગભગ બધા ભારા, જૂનાં કલામય મંદિશ, અને ખીજી જૈન સંસ્કૃતિની અનેક પ્રાચીન વસ્તુઓના અવલાકને એમની જન્મસિદ્ધ વૈષણાત્તિને ઉત્તેજી અને ઊંડા અભ્યાસ કરવા તેમ જ લખવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org