SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ અ. [૯૧ પણ એમને એવા સંકલ્પ ઊઠયો કે, હવે મારું જીવનકાય મેં પૂરું કર્યું છે, ઉંમર થઈ છે, વધારે કરવાનું રહ્યું નથી; તે પછી જ્વન નકામું ગાળવું અને ધડપણમાં બીજાની સેવા લેવી, એ આ માંધવારી અને ગરીખીના સમયમાં યેાગ્ય નથી માટે આમરણાંત અનશન કરવું. અમે મિત્રા મુંબઇમાં એમને સમજાવવા મથતા કે, તમે હજી શક્ત છે; તમારી પાસે હજી ધણું દેવા જેવું છે; અને તમારા સમગ્ર જીવનભાર અમે સહર્ષ વહીશું. તેમને અમારા બધા ઉપર વિશ્વાસ તે હતા, પણ પોતાના સંકલ્પથી વ્યુત થવા તેઓ તૈયાર ન હતા. તે સકલ્પના બચા વમાં જૈત પરપરામાં જાણીતી મારાંતિક સલ્લેખનાની વાત કરતા; અને તથાગત મુદ્ધનાં કથનમાંથી પણ ા આપતા. પ્રથમ પ્રથમ કૌશાંખીછ જૈનાની ઉગ્ર તપસ્યાના સખત વિરોધી હતા. છતાં આ વખતે તે એટલું કહેતા કે, એવી મારાંતિક તપસ્યાનું પણ વનમાં કયારેક સ્થાન છે જ. એમણે આવા વિચારથી પાતાના સકલ્પ અડગ ખનાવ્યો. ૧૯૪૬માં તે અને હું કરી કાશીમાં મળ્યા. હવે એ સંકલ્પ પાર પાડવાની ઘડી તેમને મન આવી લાગી હતી. દેશમાં રમખાણે અને જ્યાં ત્યાં મારકાપ ચાલતાં હતાં. એમનાથી આ દુઃખ સાંભળ્યું પણ જતું નહીં. છેવટે અમે મિત્રો તેમના અડગ સકુપને જોઈ માળા પડ્યા અને અમે વિચાયું કે, હવે આમને રસ્તો કરી આપવા, અનશન કર્યાં રહી કરવું, પરિચર્યામાં કાણુ રહે, તે વખતે લોકો ભીડ ન કરે અને કાઈ પણ સ્થળે પ્રચાર ન થાય—આ બધા મુખ્ય પ્રશ્નો હતા. મતે અને પં. શ્રી. લસુખ માલવિયાને એને ઉત્તર મળી ગયા અને અમે કૌશાંખીજીને કહ્યો. સરયૂ નદીને તટે દાહરીઘાટ પાસે સ્વામી સત્યાનદનો આશ્રમ છે. એ સ્વામી પ્રથમથી જ દલિતોદ્ધારક અને અસ્પૃસ્યતા–નિવારણના મક્કમ કાર્ય કર્તા, વિદ્વાન અને વિચારક; ત્યાગી અને તપસ્વી; ગાંધીજીને પણ એવા જ પ્રિય. એમની સાથે અમારા પરિચય અમને કહેતા કે, એમના આશ્રમમાં કૌશાંબીજી રહીને અનશન કરે, તો એમની બધી શરતો સચવાય. સ્વામીજી કબૂલ થયા. પણ પ્રશ્ન હતો શ્રદ્ઘાળુ અને વિવેકી પરિચારકતા. એવા એક પરિચારક પણ મળી ગયા. પ્રથમ સ્થાનકવાસી જૈન સાધુ પણ હવે નિષ્ઠાવાન લોકસેવક તરીકે જાણીતા સ્વામી ચૈતન્ય-અપરનામ ચૂનીલાલજી—તેમણે પરિચર્યાનું ખીડું ઝડપ્યું અને અમને બધાને નિરાંત વળી. ઇંડરીક્ષાવાળા આશ્રમમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249283
Book TitleShantidevacharya ane Adhyapaka Kaushamibiji
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Ascetics
File Size170 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy