SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય, [૮૧ ૧૯૪૬ના એપ્રિલની ૨૦મી તારીખે કલકત્તાથી પાછા ફરતાં કાશી ઊતરેલે ને ત્યાં જ રોકાયેલ. દરમ્યાન તન્યજી જે કયારેક ચુનીલાલજી નામે સ્થાનકવાસી મુનિ હતા અને જે લગભગ ૧૩-૧૪ વર્ષ થયાં મનિષ છોડી સંતબાલની પેઠે રાતદિવસ સમાજ-સેવાનું કઠણ તપ આચરે છે તે હાપુરથી મારા બેલાબા કાશી આવ્યા હતા. તેમની સેવાવૃત્તિ અને સરળતાથી હું તદ્દન પરિચિત હતા. તેઓ પ્રાકૃતિક ચિકિત્સાના અભ્યાસી અને તે વિષે ઊંડે રસ ધરાવનાર છે. ઉપવાસ, અનશન આદિ પ્રસંગે કેમ વર્તવું એ બધું તેઓ સહેજે જાણે છે. અને વધારામાં કૌશાંબીજના પરિચિત પણ ખરા. મેં તેમને જ કૌશાંબીજી સાથે જવાનું કહ્યું અને તેઓ ગયા પણ ખરા. દેહરીઘાટ જતાંવેંત કૌશાંબીજીએ પ્રથમ તે એકાશન શરૂ કર્યો. પછી ધીરે ધીરે માત્ર દૂધ ઉપર આવ્યા. ક્રમે ક્રમે દૂધનું પ્રમાણ પણ ઘટાડતા ગયા અને છેવટે એને પણ ત્યાગ કર્યો. માત્ર પાણી લેતા; અને પાછળથી ચૈતન્યજીએ તેમને પાણીમાં લીંબુનો રસ પણ આપવા માંડે. એકાશનની શરૂઆતથી અનશનના પ્રારંભ અને તેના ત્યાગ સુધીના રેજેરેજના પૂરા સમાચાર ચેતન્યજી અમને પિસ્ટથી પાઠવતા અને કાંઈક સૂચના પણ માગતા. સાથે સાથે તેઓ કૌશાંબીઝના શારીરિક અને માનસિક બધા ફેરફારની નોંધ રાખતા જેની ડાયરી હજી તેમની પાસે છે. ચિતન્યજીએ પરિચર્યાને એવો સુંદર અને સર્વાગીણ પ્રબંધ કર્યો હતો કે કૌશાંબીજની ઉગ્ર પ્રકૃતિ પણ તેથી પૂર્ણપણે સંતવાઈ હતી. તન્યજી ડો. સુશીલા નાયર અને ગાંધીજી પાસેથી કેટલીક સૂચનાઓ મંગાવતા. કૌશાંબીજી ગમે તેટલું ગેપવવા ઈચ્છે છતાં એમના જેવો વિશ્વવિખ્યાત માણસ અનશન ઊપર ઊતરે અને એ વાત સાવ અછતી રહે એ અસંભવ હતું. સ્વામીજીને પોતાના કામે અલ્લાહાબાદ, દેહલી, લખન વગેરે સ્થળે જવાનું બન્યા કરતું. પુરુષોત્તમદાસ ટંડને સ્વામીજીને કહ્યું કે ગમે તે ભેગે કૌશાંબીજનો પ્રાણ બચાવે. એ માણસ ફરી નહિ મળે. ગાંધીજી દિલ્હીમાં હતા. તેમણે ચૈતન્યજીને તાર કર્યો કે, કૌશાંબીજી ઉપવાસ છોડી દે. કૌશાંબીજીએ જવાબ અપાવ્યો કે, “બાપુજી અહીં આવી મારા મનનું સમાધાન કરે તે જ હું ઉપવાસ છોડવાનો વિચાર કરું. એક બાજુ કૌશાંબીઝને અટલ નિર્ણય હતા અને બીજી બાજુ ચોમેરથી ઉપવાસ છોડાવવાના પ્રબળ પ્રયત્નો પણ થતા. સૌથી વધારે ધ્યાન ગાંધીજીને કથન ઉપર અપાતું. કૌશાંબીજી સાવ ક્ષીણ થઈ ગયેલા. પડખું પણ ફેરવી ન શકતા. બલી પણ ન શકતા. બધી શારીરિક હાજતો સૂતાં સૂતાં જ ચિતન્યજીના વેગકૌશલ્યથી પતાવવામાં આવતી. કૌશાંબીજીની સ્મૃતિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249282
Book TitleKaushamijina Prernadayi Smarano
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages17
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size311 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy