________________
અ
[ vp
'
છેલ્લે છેલ્લે કૌશાંબીજીએ એ પુસ્તકા મરાઠી ભાષામાં લખી મને સોંપ્યાં ને કહ્યું કે આની ધટે તે વ્યવસ્થા કરો. એક પુસ્તક · પાર્શ્વનાથના ચતુર્યાન ધ’ઉપર છે. જેમાં એમની પાશ્વનાથ પ્રત્યે ભારાભાર શ્રદ્દા ઉભરાય છે; અને બીજું' પુસ્તક એધિસત્ત્વ' વિષે છે. એ નાટક રૂપે લખેલું છે. અને બૌદ્ધ વાડ્મયના આખી જિંદગી સુધી કરેલા પરિશીલનનું ગંભીર દોહન છે. એમની સ’મતિથી મે એ લખાણા મુંબઈ શ્રી નાથુરામ પ્રેમીછને ધટતી રચના સાથે ગયા વર્ષમાં કાશીથી મોકલાવી આપ્યાં છે.
4
છેલ્લાં એ—-ત્રણ વર્ષ થયાં કૌશાંબીજી જ્યારે ભળતા ત્યારે એક માત્ર વનાન્તની જ ચર્ચા કરતા. તેએ કહેતા કે મે મારું કામ પૂરું કર્યું છે. લખવાનું અને તેટલું લખ્યું છે. મળ્યા તે પાત્ર છાત્રોને શીખવવામાં પણ કચારા રાખી નથી. ોકરા-છોકરીઓને પૂરતું શિક્ષણ આપ્યું છે અને સ્વાવલખી અનાવ્યાં છે. તો પછી હવે વધારે જીવી મોંધવારીમાં ઉમેશ શા માટે કરવા ? અને વધારે ઘડપણ ભોગવી, બિસ્તરે પડી અનેક લોકાની સેવારશક્તિને નકામે ઉપયોગ શા માટે કરવા ? તેથી હવે જીવનના અંત કરવા એ જ મારી ચિંતાના વિષય છે. ' ઇત્યાદિ. તેમના આ વિચાર સાંભળી અમે બધા પરિચિતા અકળાતા અને કહેતા કે તમારા વનને, તમારી વિચારણાને રાષ્ટ્રને ખ ુ ખપ છે. અને ભલે તમને સિત્તેર જેટલા વર્ષ થયાં હાય છતાં તમે અમારા કરતાં બહુ સશક્ત છે. ' કેટલાક મિત્રોએ, ખાસ કરી જૈન મિત્રોએ તેમને ત્યાં રહે ત્યાં ખર્ચ આપવાનું દ્વાપૂર્વક આશ્વાસન આપેલું. કૌશાંબીજીના એકના એક પુત્ર પ્રૌ॰ દામાદર કૌશાંબી પણ પિતૃભક્ત છે. તે પણ પોતાના પિતા માટે બનતું બધું કરી છૂટવા તૈયાર જ હતા. એમની જયેષ્ઠ પુત્રી માણેકબહેન અને જમાઈ ડૉ. પ્રસાદ પણ કૌશાંખી∞ માટે બધું જ કરી છૂટે તેવા હતા. કૌશાંબીજીનાં ધૃપત્ની પણ સેવામૂર્તિ છે. એમના અંગત કુટુંબ ઉપરાંત દરેક પ્રાંતમાં એમને જાણનાર અનેક વિદ્વાના અને ધાનકા એમના જીવનની સક્ક્સિ કાળજી સેવતા તેને પણ હું સાક્ષી છું અને છતાંય કૌશાંબીજીની જીવનાન્ત કરવાની વૃત્તિ કેમે કરી શમી હે. તેમનામાં આવી વૃત્તિ કેમ જન્મી તે તે પૂર્ણપણે કહી ન શકું છતાં તે પોતાની વૃત્તિના સમર્થનમાં જે કેટલાક આધુનિક અને પુરાતન દાખલા ટાંકતા તે ઉપરથી હું એટલી જ કલ્પના કરી શકતો કે કૌશાંબીજી ઘડપણને ભાર કાઈ પણ ઉપર નાખવા માગતા નથી અને પગ ઘસીને પરાણે જીવન પૂરું કરવા ઇચ્છતા નથી. તેઓ જેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org