SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬] દર્શન અને ચિંતન સહમત થયા અને પિતાના સુધારા સાથે તેમણે એક નિવેદન પ્રગટ કર્યું. તેને આશય એ હતું કે તેમનું વિધાન નિષ્પક્ષ પંચ તપાસે. એ પંચમાં હાઈ કોર્ટના સંત ન્યાયાધીશ હોય અને તે ગુજરાતી જ હોય. પંચ જે ફેંસલે આપે તે બંને પક્ષને માન્ય રહે. કૌશાંબીજીના આ નિવેદન પછી આગળ આંદોલન ચાલ્યું હોય તે તે હું નથી જાણતે. જ્યારે ચોમેર કૌશાંબીઝની વિરુદ્ધ આંદોલનને દેવાનિ સળગી રહ્યો હતો ત્યારે કૌશાંબીજી તેમના સ્વભાવ પ્રમાણે વિનોદમાં ક્યારેક કહેતા કે અહિંસક જેને મારી હિંસા તો નહિ કરે ને ? આ સાથે જ કૌશાંબીજી કહેતા કે ગમે તેમ હોય છતાં હું જેનોને મારા પ્રત્યે પ્રેમ છે એ જ જેણું . મને આમંત્રણ નિમંત્રણ આપનારાઓમાં મોટો ભાગ જેને જ છે. મને મદદ કરનાર પણ મોટે ભાગે જેનો જ છે, અને મારી સામે વિરોધ કરનાર પણ જેનો મને ખૂબ મળે છે, ચાહે છે અને સકારે છે. ત્યારે હું તેમને એટલું જ કહે કે જૈનેનું આંદોલન પણ અહિંસક જ હોય છે. કૌશાંબીજીએ શ્રી જુગલકિશોર બિરલાના આશ્રયનો ત્યાગ કર્યા પછી ફરી તેમની કોઈ પણ જાતની મદદ સ્વીકારી નહિ. જ્યારે જૈન સમાજને ઠેઠ સુધી ઉગ્ર વિરોધ હેવા છતાં તેમણે જૈન મિત્રોની અનેકવિધ મદદ કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારી છે તેને હું સાક્ષી છું. એનું એકમાત્ર રહસ્ય એ જ છે કે કૌશાંબીજી બુદ્ધના ઉપદેશને અનુસરવા મથતા અને એમ માનતા કે બુદ્ધ એ અસાધારણ વિભૂતિ છે છતાં તેમને વારસે તે જૈન તીર્થંકર પાર્શ્વનાથને ધર્મને જ મળ્યો છે. કૌશાંબીજી ઘણુંવાર કહેતા કે “હું શ્રમણ-સંસ્કૃતિમાં માનું છું. એને જીવનમાં ઉતારવા મથું છું. એ શ્રમણ-સંસ્કૃતિને ઐતિહાસિક મૂળ આધાર ભગવાન પાર્શ્વનાથ છે.” પાર્શ્વનાથ પ્રત્યે એમની જે અનન્ય નિષ્ઠા મેં જોડી છે તે પરંપરાગત જૈને કરતાં જુદી જ હતી. જૈન પરંપરાના ઉગ્ર તપ આદિ કેટલાક મુદ્દાઓ વિષે તેમનું વલણ નોખું હતું એ ખરું, પણ જૈન પરંપરાના મૂળભૂત આચારે વિષે તેમની જીવંત શ્રદ્ધા હતી. એ શ્રદ્ધા તેઓ જેનોની પરિભાષામાં અને જેને રૂઢિઓ દ્વારા પ્રગટ કરી ન શકતા એટલે રૂઢ અને સ્થૂળ સંસ્કારવાળા જેનો તેમને જૈનવિધી લેખી કાઢતા. કૌશાંબીજીને સાચી સમજવાની દષ્ટિ, એમને વિકાસ કઈ ભૂમિકા ઉપર થયો છે એ જાણવામાં જ રહેલી છે, છતાં મને નોંધ લેતાં એકંદર આનંદ થાય છે કે બીજી કોઈ પણ પરંપરા કરતાં જૈનપરંપરાએ તેમને વધારે અપનાવ્યા અને સત્કાર્યા છે. આ બાબત કૌશાંબીછના ધ્યાન બહાર ન હતી તેથી જ તેઓ હમેશાં જૈન મિત્રોની ઉદારવૃત્તિ વિષે અને પિતાને નભાવી લેવા વિષે પ્રશંસાના ઉદ્ગારો કાઢતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249282
Book TitleKaushamijina Prernadayi Smarano
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages17
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size311 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy