SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨] દર્શન અને ચિંતન અથવા બીજી રીતે મળતી જ આવી છે. દેશની મનોભૂમિકા અને ખીજી પરિસ્થિતિ એવી છે કે દેશવ્યાપિ સક્રિય પગલું ભરવા સાથે જ એની ખરી તાલીમ શરૂ થાય છે. એટલે એક બાજુ પ્રત્યક્ષ ક્રિયા દ્વારા અને બીજી બાજુ તેની સમજૂતી દ્વારા જ આખા દેશમાં અહિંસા વિશેની જાગરિત શ્રદ્ધા અને અપેક્ષિત અહિંસા સમજુતી ઉત્પન્ન કરી શકાય—પહેલું શાબ્દિક શિક્ષણ અને પછી ક્રિયા, એ ક્રમ આખા દેશ માટે વ્યવહારુ નથી. હું તે એમને સાદર સાંભળવા જ ગયા હતા. અમારા વિશેષ પરિચયના શ્રીગણેશ થયા. આ હું અમદાવાદ ગુજરાત પુરાતત્ત્વમંદિરમાં સન્મતિતક”નું સપાદન કરતે, એના પહેલા ભાગ ધ્રુવજીને મન્યા ત્યારખાદ તેઓ જ્યારે અમદાવાદ આવે ત્યારે મોટા ભાગે પુરાતત્ત્વમદિરમાં આવે અને મળે. હું સંશાધન વિશે એમને પૂછ્યા પણ કરતા. એક વાર અનેક પ્રતા ફેલાવી હું મારા ખંડમાં કામ કરી રહ્યો હતો અને અણુધાર્યાં જ ધ્રુજી પધાર્યાં અને ચટાઈ ઉપર એસી ગયા. થતું કામ જોઈ રહ્યા હતા. દરમિયાન એક અધ્યાપક ત્યાં આવી ચડ્યા. વાતચીત શરૂ થતાં જ એ આવનાર અધ્યાપકે નિખાલસ દિલે પણ શષપૂર્વક ધ્રુવળને તીખું તમતમતું સંભળાવ્યું. હું તો મૂંઝવણમાં પડ્યો. એક તરફ આવા દિવ્ય અતિથિ અને ખીજી બાજુ સહવાસો અધ્યાપક, એ અધ્યાપક તે ચાલ્યા ગયા, પણ પાછળથી મેં ોયું કે ધ્રુવજી એ કડવે છૂટા એટલી કુનેહથી પી ગયા અને પચાવી ગયા કે તેની અસર જ તેમની પાછળની વાતચીતમાં મેં ન જોઈ. મને લાગ્યું કે ધ્રુવળમાં અહિંસાવૃત્તિ સ્થિરપદ છે, કયારેક ગુજરાતના એક જાણીતા કવિએ યહ્રાતદ્દા કહેલું કે લખેલું તેને જવાબ આપતાં તેમણે પેાતાની વ્યગવાણીમાં એવી મતલબનું લખેલું યાદ છે કે ધમ્મપદ'નું નિત્ય પરિશીલન કરવાથી પણ એમણે કહેલા શબ્દો ભુલાય તેવા નથી. આવા કાંઈક ઉપક્રમ સાથે જે જવાબ તેમણે લખેલા છે તે એમની માનસિક અહિંસાના સ્પષ્ટ પુરાવા છે. ૧૯૩૫ માં કાશીમાં જ તેમની સાથે મારે અમુક મુદ્દા નિમિત્તે પત્રવ્યવહાર કરવા પડ્યો. તેમાં કયારેક હું તેમના ઉપર પ્રા-વાઈસ-ચેન્સેલર તરીકે લખતા અને કયારેક વ્યક્તિગતરૂપે. એ પત્રવ્યવહારમાં મેં બહુ જ નમ્રભાવે પણ તદ્દન સ્પષ્ટ રીતે યુનિવર્સિટીના વ્યવહાર વિશે ટીકા કરતાં તેમને લખેલું કે ' આપ જેવા પણ અમુક બાબતો નભાવ્યે જાએ છે.' તેમણે તે જ ક્ષણે જવાબ લખી પટાવાળા સાથે મારા ઉપર મોકલાવી દીધા. એમાં એમણે લખેલું કે 6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249281
Book TitleBramhan Shraman Dhruvji
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size126 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy