________________
૧૧૧૨ ]
દર્શન અને ચિંતન લઈએ. વિક્રમના પૂર્વવર્તી વદિક સાહિત્યમાં સાંપ્રદાયિક્તા નથી જ એમ તે ન જ કહી શકાય; પણ તે ત્યાર પછીના સાહિત્યમાં દેખાય છે તેવી ઉગ્ર અને સ્પષ્ટ નથી. વિક્રમના સમય દરમિયાનનું કે ત્યાર બાદનું પુરાણસાહિત્ય બધા શ્રમણુપક્ષીય છે. એને બ્રાહ્મણયમાં નાસ્તિક શબ્દથી પણ ઓળખાવ્યા છે.
नास्तिको वेदनिन्दकः । मनुस्मृति० अ० २ श्लो. " આ બે વર્ગના વિરોધના ઇતિહાસનું મૂળ છે કે બહુ જૂનું છે અને તે બને વર્ગના પ્રાચીન સાહિત્યમાં દેખાય છે, છતાં વ્યાકરણશાસ્ત્રમાં આ વિરાધનું ઉદાહરણ સૌથી પહેલાં જિનેન્દ્રબુદ્ધિના ન્યાસમાં અત્યારે જોવામાં આવ્યું છે. જિનૅબુદ્ધિ એ બૌદ્ધ વિદ્વાન છે. તેને ન્યાસ કાશિકા ઉપર છે. કાશિકા એ વામન અને જયદિત્ય ઉભયની બનાવેલી પાણિનીય સૂત્ર ઉપરની બહ૬ વૃત્તિ છે. જિનંદબુદ્ધિનો સમય ઈવી. ૮ મે સ મનાય છે. ત્યારબાદ કેટના મહાભાષ્ય ઉપરના વિવરણમાં એ ઉદાહરણ મળે છે. કેટને સમય ૧૧ મે સકે મનાય છે. જુઓ “સીસ્ટમ્સ ઓફ સંસ્કૃત ગ્રામર એસ. કે. બલ્વર પરિશિષ્ટ-ક.” ત્યાર બાદ આચાર્ય હેમચંદ્રના રોપા શબ્દાનુશાસનમાં એ ઉદાહરણ મળે છે. મહાભાષ્ય ચાંદ્ર કે કાશિકા જેવા પ્રાચીન વ્યાકરણગ્રંથમાં એ ઉદાહરણ નથી. પણ સાતમા સૈકા પછીના વ્યાકરણગ્રંથમાં એ ઉદાહરણ છે. એ બીના પણ ખાસ ધ્યાન ખેંચે તેવી છે. આ સમય પૌરાણિક સમય, અને પૌરાણિક સમય એટલે સંપ્રદાયના વિરોધને સમય. તેથી જ તે વિરોધની અસરની નેંધ વૈયાકરણ પણ લીધા વિના રહેતા નથી.
દાદાજરિતમ્ એવું ઉદાહરણ છે. તેની એકાદ દક્ષિણની પ્રતિમાં અમળત્રા એ પણ પાઠ છે. જુઓ પૃ. ૪૪૭, જિદબુદ્ધિના ન્યાસમાં.
કેયટ બત્રા અને હેમચંદ્ર ગ્રાહ્માસ્ત્રમાં ઉદાહરણ આપે છે. જુઓ અનુક્રમે મહામારા કર્થત ૨-૪-૯ પૃ. ૭૮૧ કલકત્તા આવૃત્તિ ફ્રેમ ૩–૧–૧૪.
" શાકટાયનની અમેધવૃતિ આ ટિપ્પણુ લખતી વખતે હસ્તગત નથી; પણ એમાં એ ઉદાહરણ હેવાનો સંભવ છે. કારણ તેની રચના પણ પૌરાણિક વિરોધના યુગમાં જ થયેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org