________________
૧૧૬ ]
દર્શન અને ચિંતન શિક્ષાવત હોય છે. જ્યારે પાચકોએ આવા દ્વાદશ વ્રતધારી શ્રાવકોની ભરતને સૂચના કરી, ત્યારે ભારતે કાકિણીરત્ન વડે તેઓને સિદ્ધ કર્યું. છ છ મહિને પરીક્ષા કરી જે શ્રાવકો જણાયા તેઓને ચિઠ કર્યું. એ રીતે ચિહ્નવાળા તે જ બ્રાહ્મણે થયા. એ લોકો પોતાના છેકરાઓ સાધુઓને આપતા. તેમાંથી કેટલાક દીક્ષા લેતા અને જે ન લેતા તે શ્રાવક જ રહેતા. ભારતે શ્રાવકોને જમાડેલ, તેથી બીજા પણ લોકો તેઓને જમાડવા લાગ્યા. તેઓના સ્વાધ્યાય માટે ભરતે અહંતસ્તુતિ તથા મુનિ અને શ્રાવકોની સામાચારીવાળા (આચારપ્રથાવાળા) વેદે રચા. તેઓની કાકિણીરત્નની રેખા એ જ યજ્ઞો. પવીત થઈ અને ક્રમે બધા મા હનને બદલે બ્રાહ્મણ કહેવાયા. એ જ શ્રાવક તે મૂળ બ્રાહ્મણ. આ મર્યાદા ભરતરાજ્યના વખતની. * ત્યાર બાદ તેને પુત્ર આદિત્ય શા છે. તેણે કારિત્ન ન હોવાથી સેનાની પવીત ચલાવી. પછી મહાયશ વગેરે રાજાઓમાંથી કોઈ એ રૂપાની અને કોઈએ વિચિત્રપટ્ટસૂત્રની જઈ ચલાવી. આ બ્રાહ્મણધર્મ આઠ પેઢી સુધી બરાબર ચાલ્યો. આ ક્રમ અર્થાત ભરતે નિર્માણ કરેલી બ્રાહ્મણસૃષ્ટિ અને તેઓ માટે રચેલ આર્ય વેદો સુવિધિ નામક નવમા તીર્થંકર સુધી ચાલ્યાં. અનાર્ય વેદો તે પાછળથી સુલસ, યાજ્ઞવલ્કય વગેરેએ બનાવેલા છે. (પૃ. ૧૫૬ થી ૧૫૮)
આ જ વસ્તુ સવિશેષ વિરતૃત અને આલંકારિકરૂપે ત્રિષષ્ટિશલાક પુષચરિત્રમાં વર્ણવાયેલી છે. (જુઓ ગુજરાતી અનુવાદ પૃ. ૨૨૩ થી ૨૨૭)
(a) ત્રિષષ્ટિ ચરિત્ર બ્રાહ્મણત્વનું પતન શ્રી સુવિધિવામીના નિર્માણ પછી કેટલેક કાળ જતાં કાળના દોષથી સાધુઓને ઉચ્છેદ થઈ ગયું. પછી જેમ માર્ગ ભ્રષ્ટ થયેલા વટેમાર્ગુઓ બીજા જાણતા મુસાફરોને માર્ગે પૂછે તેમ ધર્મના અા લેકે સ્થવિર શ્રાવકને ધર્મ પૂછવા લાગ્યા. તેઓ પિતાને અનુસારે ધર્મ કહેવા લાગ્યા. એવી રીતે પૂજા થવાથી દ્રવ્યાદિકમાં લુબ્ધ થઈને એ સ્થવિર શ્રાવકેએ તત્કાળ નવાં કૃત્રિમ શાસ્ત્રો રચી તેમાં વિવિધ જાતનાં મોટાં ફળવાળાં દાને વર્ણવ્યાં. તેમાં પ્રતિદિન દ્રવ્યાદિકમાં લુબ્ધ થઈને તેઓએ આ લેક તથા પરકમાં નિશ્ચિત મોટાં ફળવાળાં કન્યાદાન, પૃથ્વીદાન, લેહદાન, તિલદાન, કપાસદાન, ગોદાન, સુવર્ણદાન, રૂપદાન, ગૃહદાન, અશ્વદાન,
૯. જેના વીસ તીર્થંકરે પિકી નવમા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org