________________ નિહ પતિના અવસમૂહ વિષયક પ્રશ્નોત્તરે [ 1001 ગ્રહણ કર્યો છે; બહુ શૂન્યવાદી પણું બન્યા છે; છતાં ઘણું શ્રદ્ધાળવી પણ રહ્યા, અને જેઓએ માત્ર તર્કવાદને આશ્રય લીધે છે તેઓ તે અંત સુધી અસંતુષ્ટ રહીને કાં તે પાગલ બન્યા છે અને કાં તે ભરણ પણ પામ્યા છે. હજી હું તો શ્રદ્ધાવી છું. મારી બુદ્ધિને હું ક્યાં ખડી કરું છું ત્યાં તે આગળ ને આગળ પ્રશ્ન ઉઠાવે છે અને તેને ગમે તેટલી દૂર લઈ જાઉં પણ ફરી ફરીને પ્રશ્નોની બાવૃષ્ટિ કરી હેરાન કરે છે. આથી કરીને જ કેન્ટ, સ્પેન્સર આદિ વિદ્વાનોએ ઘણું ચર્ચાઓને અય કહી છોડી દીધી છે. આખરે હું પણ અંતમાં “અય” કહીને જ તેને છેડી દઉં છું. સર્વને પૂછવામાં આવે અને તે ઉત્તર દે તો હું તેમને પણ આગળ પૂછી શકું કે “ઠીક, તેનાથી આગળ શું તે કહે.' આથી સર્વ પણ અનેક વિષયમાં “અનાદિ તેમ જ અનંત' શબ્દો જ ઉપયોગમાં લેશે. એથી બુદ્ધ તે આવા જીવનસ્પર્શ રહિત પ્રશ્નોમાં પડવાની જ સ્પષ્ટ મનાઈ કરી છે. “જગતને કઈ કહે છે કે નહિ?” “સંસાર આદિ છે કે અનાદિ?” અવિદ્યા કયારે અને ક્યાંથી આવી?' “વ નિત્ય છે કે અનિત્ય?” તે વ્યાપક છે કે અવ્યાપક?' આવા તર્ક કરવા જ નહિ જોઈએ, અથવા તે શ્રદ્ધાથી કાંઈને કાંઈ સમાધાન કરી લેવું જોઈએ. તેનાથી જીવનના વિકાસ પર કઈ સારી-નરસી અસર પડતી નથી. - વેદાન્ત સાથે કોઈક અંશમાં સમાનતા ભલે હોય, પરંતુ સર્વાશમાં તે નથી. મારો પ્રાથમિક” શબ્દ આપેક્ષિક છે, તે સાત્વિને ઘાતક નથી. જૈન સાહિત્ય સંશોધક, ખંડ 3 અંક 2. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org