________________
દંપતીજીવનના દસ્તાવેજી પત્રો
[ ૩૬ ]
શ્રી. ઈન્દુલાલ યાજ્ઞિક કેવળ ગુજરાતના જ સેવક નથી, પણ તે વિશિષ્ટ રાષ્ટ્રીય સેવકામાંના એક અસાધારણ છે. તેમણે પોતાની આત્મકથા લખવા માંડી છે. તેનો બીજો ભાગ પણ પ્રસિદ્ધ થઈ ગયા છે. જેણે જેણે એ ભાગા વાંચ્યા હશે તે બધા આગળના ભાગેાની અતિ ઉત્કંઠાપૂર્વક રાહ જોઈ રહ્યા રો એમ મને લાગે છે, ‘ગૃહમાધુરી માં એ બંને ભાગે વિશે લખવું પ્રસ્તુત નથી, અને અત્યારે હું એટલે સ્વસ્થ પણ નથી.
'
'
પરંતુ ખીજા ભાગમાં શ્રી. ઇન્દુભાઈના દંપતીજીવન ઉપર પ્રકાશ નાખતા જે ભાગ આવે છે તે વિશે ગૃહમાધુરી ’નાં વાચક-વાચિકા સમક્ષ કાંઈક લખવાનુ મન થઈ આવે છે. એમ તે શ્રી. ઇન્દુભાઈ એ પોતે જ પેાતાના લગ્નજીવન વિશેની, ઘણાને માટે અજ્ઞાત એવી, સમસ્યા ઉપર ‘ લગ્નજીવનની વેદના ' એ મથાળા નીચે આર્દ્ર−કરુણ વાણીમાં પોતાનું નિખાલસ હૃષ્ટ ઠાલવ્યું છે, જે એમની સચ્ચાઈના અમર દસ્તાવેજ બની રહે છે. તેથી એ વિશે અત્રે મારે કશું વિશેષ કહેવું નથી. કહેવું હાય તો તે એટલું જ કે વાંચી અને સમજી શકે એવા બધા જ ગુજરાતી ભાષા જાણુનારાએ તે વાંચેવિચારે. મુખ્યત્વે અત્રે જે કહેવું છે તે તે એમનાં સદ્ગત પત્ની બહેન કુમુદના એ જ ભાગમાં પ્રસિદ્ધ થયેલા એ પત્રા વિશે. આ એ પત્રા દુપતીજીવનની આયં નારીના હૃદયમાં કેવી પ્રતિષ્ઠા છે એના અમર દસ્તાવેજો છે. કુમુદના સુકુમાર હૃદયમાંથી નીતરતી પતિનિષ્ઠા એમાં વ્યક્ત થાય છે. એક ઋષિકલ્પ કવિએ ઉચ્ચાયુ છે. કે—મન મા સંશતમ્ . તે કુમુદના જીવનમાં તતાતંત દેખાય છે. ઋષિના વક્તવ્યના ભાવ એ છે કે આયત્વ એ ગુણુસિદ્ધ છે, નહિ કે જન્મસિદ્ધ; અને તેનુ વ્યવહારમાં અનુભવી શકાય એવું એકમાત્ર સ્વરૂપ એ છે કે આ કે આર્યોની સંગતિ કદી જરાજીર્ણ થતી નથી—સદા એકસરખી જીવંત રહે છે. કુમુદના અને પત્રો પૈકી એકેએક વાકય એના આનારીત્વના પુરાવા છે. આવી સહજ ચે!ગ્યતા ધરાવનાર કુમુદ ઇન્દુભાઈ જેવા સહૃદય સેવાભાવી પુરુષ દ્વારા કેમ ઉપેક્ષા પામી હશે એ પ્રશ્ન વાચકને મૂઝવે છે ખરા. એને ઉત્તર શકુન્તલાના આખ્યાનમાંથી નથી મળતો? શકુન્તલાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org