________________
પરિત્રાજિકાનુ રોમાંચક લગ્ન અને તેના પુત્રના મુખ્ય સાથે સલાપ
[ ૩૫ ]
<
૬ લલિતવિસ્તર ની પેઠે મહાવસ્તુ ' પણ ધપર પરાના એક કથાગ્રંથ છે. એમાં મુદ્દના વનને લગતી અનેક આખતા કથારૂપે અને પૌરાણિક શૈલીએ વર્ણવવામાં આવી છે, એનું સસ્કૃત પંડિતને પરિચિત સંસ્કૃતથી બહુ જુદા પ્રકારનું છે. એમાં પાલિ, પ્રાકૃત અને અપભ્રંશ જેવી ભાષાઓનું એવું મિશ્રણ છે કે તેણે એક વિશિષ્ટ રૂપ ધારણ કર્યું છે. મહાવસ્તુ ' ગ્રંથ ત્રણ ભાગમાં પેરિસથી પ્રસિદ્ધ થયેલા છે. તેમાં એક ભિકઃ નામના પરિવ્રાજકની (ભાગ ૩, પૃ. ૩૮૯ થી ૪૦૧) કથા છે. ભિક પરિવ્રાજકરૂપે બુદ્ધ પાસે આવે છે અને અનેક પ્રશ્નો પૂછે છે. યુદ્ધ તેના જવાબ આપે છે. છેવટે સલિક જવાબથી સંતોષ પામી જીના શિષ્ય અને છે. આટલી મુદ્દાની વસ્તુ એ ગ્રંથમાં એટલી બધી ચક શૈલીમાં અને રામાંચક રીતે વવવામાં આવી છે કે કાઈ પણ વાચક તે કથા પ્રત્યે અનાયાસે આકર્ષાય. તેથી આ લેખમાં એને સાર આપી છેવટે કેટલાક મુદ્દા ઉપર સમાલોચના અને કાંઈક તુલના કરવા ધારું છું.
'
બનારસથી થાઉં દૂર સિપત્તન સ્થળમાં મૃગદાવ નામનું ઉપવન હતું. એ આજે સારનાથના નામથી પ્રસિદ્ધ છે, અને ત્યાં પ્રાચીન અશાસ્તૂપ વગેરે અનેક અવશેષો મળી આવ્યા છે. તે મૃગદાવ ઉપવનમાં એકવાર તથાગત યુદ્ધ પધારેલા. તે સમયની સભિક પરિત્રાજકની આ સલાપકથા છે.
મથુરા નગરીમાં એક ધનાઢય શ્રેષ્ઠી વાસ કરતા. તેને ત્યાં કન્યા ઉપર કન્યા એમ ચોથી ફન્યાના જન્મ થયો. ઉપરાઉપર ચાથી કન્યા અમગળ છે એવી માન્યતાથી પ્રેરાઇ તે શ્રેષ્ઠીએ એ કન્યા એક પરિવ્રાજિકાને અર્પિત કરી કહ્યું કે જ્યારે આ કન્યા ઉંમરે પહેોંચે ત્યારે એને તમે દીક્ષા આપો; તે તમારી શિષ્યા થશે. શ્રેષ્ઠીએ તે કન્યાના ઉછેર માટે એક ધાવમાતા આપી અને તેના પાષણ અર્થે જોઈતું નાણું પણુ આપ્યું. પાણીમાં કમળ વધે તેમ એ કન્યા વધવા લાગી. સમજણી થઈ કે તરત જ પરિવ્રાજિકાએ એને
૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org