________________
૯૮૬]
દર્શન અને ચિંતન શકે એને દાખલે આપણી સામે રજૂ કરે છે. આ ત્રણે આખ્યાને અનુક્રમે નીચે આપવામાં આવે છે.
ચોથું આખ્યાન બૌદ્ધ ભિખુર્ણ ઉપલવણું અને પાંચમું આખ્યાન બૌદ્ધ ભિખુણી ભદ્દા કાપિલાનીનું છે. અંતર્મુખ વૃત્તિની અલૌકિક ચંચુ વડે સહજ સુખને આસ્વાદ લેવામાં નિમગ્ન એવી સમાહિતમના ઉપલવણાનું સૌંદર્ય જોઈ ચલિત થયેલ માર (વિકારવૃત્તિ અથવા વિકારમૂર્તિ કઈ પુરુષ) તેને બહિર્મુખ કરવા અને પિતા તરફ લલચાવવા પ્રયત્ન કરે છે, પરંતુ એ ધરમને ભિખુણીના અડોલ પણ સામે છેવટે તે માર હાર ખાઈ ચાલ્યો જાય છે.
પાંચમાં આખ્યાનમાં ભદ્દા કાપિલાની સ્ત્રી જાતિમાં સુલભ અને છતાં દુર્લભ મનાતા વૈર્યને સચોટ પુરા પૂરું પાડે છે. પોતાના પતિ મહાકાશ્યપની બ્રહ્મચર્ય-પ્રતિજ્ઞામાં અધગી તરીકે જોડાઈ તે ધર્મવીર બાઈ તે પ્રતિજ્ઞાને અદ્ભુત રીતે સંપૂર્ણ કરવા સાથ આપે છે. સહ-શયન છતાં પુષ્પમાળાનું ન કરમાવું એ એ લેકોત્તર પતીના વિકસિત માનસનું માત્ર બાહ્ય ચિહ્ન છે. મહાકાશ્યપ અને ભદા કાપિલાનીની અલૌકિક બ્રહ્મચર્ય પાલનની કથા જૈન કથાસાહિત્યમાં અતિપ્રસિદ્ધ એક વૈશ્ય બ્રહ્મચારી દંપતીની યાદ આપે છે કે જે સહશયન છતાં વચ્ચે ઉઘાડી તલવાર મૂકી આજન્મ બ્રહ્મચર્ય પાળવામાં સફળ થયાં હતાં. એ દંપતીમાં પતિનું નામ વિજય અને પત્નીનું નામ વિજયા હતું. જૈન સમાજમાં એ વિજય શેઠ અને વિજયા શેઠાણીને નામે જાણીતા છે. પુછપમાળાને બ્રહ્મચર્યની કોમળતાનું અને ઉઘાડી તલવારને બ્રહ્મચર્યની કઠોરતાનું રૂપક માની આપણુ જેવાએ એ કોમળ અને કઠોર વ્રતને બરાબર સમજવાનો પ્રયત્ન કરે જોઈએ. બાકી, તેને જીવનમાં ઉતારવા માટે કેઈએ પુછપમાળા કે તલવારને આશ્રય લેવાની કશી જરૂર નથી.
આખ્યાન-૧
યમી–સખાને સખ્ય માટે પસંદ કરું છું. વિશાળ અર્ણવ ઉપર હું આવી છું. યોગ્ય પુત્રને વિચાર કરો વેધા પૃથ્વીને વિશે (માસ) વિશે પિતાના નપાનું (ગર્ભલક્ષણ અપત્યનું) આદાન કરે. (૧)
યમ–– હે યામિ ! તારે સખા સને ઈચ્છતો નથી; શાથી જે લક્ષ્મ (સમાન નિ ) તે હોય વિષમરૂપ થાય છે. મહાન અસુરના વીર પુત્રો–વીને ધારણ કરનારા વિશાળ જુએ છે. (૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org