SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રી-પુરુષના બળાબળની મીમાંસા [૩૪] • કેઈ કહે છે કે સ્ત્રીઓએ પુનું પૌરુષ હર્યું. બીજાઓ વળી કહે છે કે પુરુષોને લીધે જ સ્ત્રીઓ અબળા બની. આ બેમાં કઈ એક જ કથન સાચું છે કે બને સાચાં છે કે બને ખોટાં છે એ પ્રશ્ન છે. એને ઉત્તર મેળવવા ઈચ્છનારે વિશેષ ઊંડા ઊતરવું જોઈશે. વિકારને વેગ માત્ર અમુક જાતિ સાથે સંબંધ નથી ધરાવતા. તેને તપાસવા આમાની ભૂમિકાઓ ઉપર દષ્ટિપાત કરવો પડશે. સ્ત્રી હોય કે પુરૂષ, બન્નેમાં આત્મા સમાન છે. વાસનાના કૃત્રિમ વાતાવરણથી તેજ ખંડિત ન થયું હોય એ જાગતે તેજસ્થી આત્મા સ્ત્રીના શરીરમાથે હેઈ શકે અને પુરુષના શરીરમાંયે હોઈ શકે. કાવ્ય, કળા, વિદ્યા કે ધર્મના ભવ્ય સંસ્કાર માત્ર અમુક જાતિ સાથે સંકળાયેલા નથી હોતા. એ સંબંધમાં આલંકારિક રાજશેખર પોતાની કાવ્યમીમાંસામાં. કહે છે કે, પુસણની પેઠે સ્ત્રીઓ પણ કવિ થાય, કારણ કે સંસ્કાર એ આત્મા સાથે સંબંધ ધરાવે છે. તે સ્ત્રી કે પુએવા વિભાગની અપેક્ષા નથી રાખો. તે કહે છે કે, “અનેક રાજપુત્રીઓ, મંત્રીપુત્રીઓ, ગણિકાઓ અને સ્ત્રીઓ શાસ્ત્રજ્ઞ અને કવિ તરીકે સંભળાય છે અને જોવામાં પણ આવે છે.” સ્ત્રી જાતિના બળ અને શાલ વિશે શંકા ઉઠાવનારને ઉત્તર આપતાં સાહિત્યસ્વયંભૂ હેમચંદ્ર (પિતાના યોગશાસ્ત્રની ટીકામાં પૃ. ૨૦૦ થી) બહુ જ માર્મિક ભાષામાં વિસ્તારથી કહે છે કે સ્ત્રીઓ પુરુષના જેટલી જ દાન, સમાન અને વાત્સલ્યની પાત્ર છે, કારણ કે તેઓ પણ પુરુષ જેટલી જ ગ્યતા ધરાવે છે. અમુક સ્ત્રી વ્યક્તિઓ ગ્ય ન હોય કે દૂષિત હોય તે ઉપરથી આખી સ્ત્રી જાતિને બલ કે શીલહન માનવામાં આવે તે પુરુષજાતિને પણ તેવી જ માનવી જોઈએ, કારણ કે અનેક પુરુષો પણ દૂર, કૃત અને મૂર્ખ હોય છે. અનેક પુરુષો યોગ્ય પણ મળે છે, તેથી આખી પુરુષજાતિને અયોગ્ય કહી ન શકાય એવી દલીલ કરવામાં આવે છે તે દલીલ સ્ત્રીના વિષયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249257
Book TitleStree Purushna Balabalni Mimansa
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Society
File Size159 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy