________________
હર ].
દર્શન અને ચિંતન ગુજરાતી બનના હેગા.” દિવાણીજીને પણ એ તાકીદ કરતા. બધા એ માટે પ્રયત્નશીલ પણ રહેતા, અને ગાંધીજીનું કથન કેઈને કડવું લાગ્યું જાણ્યું નથી, અર્થાત્ રાષ્ટ્રભાષા અને ગુજરાતી વચ્ચે વિદ્યાપીઠમાં કદી અથડામણ થઈ હોય એમ જાણ્યું નથી. રાષ્ટ્રભાષા માટે આટલે બધે આગ્રહ છતાં ગુજરાતમાં સૌનું હું ગુજરાતી ભાષા તરફ રહેવું જોઈએ, એને ગાંધીજીને આ પ્રકારને આગ્રહ હતા એની પાછળ દષ્ટિ એ હતી કે શિક્ષણના તમામ લાભો પ્રજાના થરથરમાં પચે.
શ્રી. કિશોરલાલ મશરૂવાળાની દૃષ્ટિ પણ આ જ પ્રકારની છે. એમને તે સ્વભાષાને આગ્રહ નથી. એ તે માને છે કે “માણસની કોઈ કુદરતી સ્વભાષા (માતૃભાષા કે પિતૃભાષા) છે જ નહિ.” ભાષા અને લિપિને તે કેળવણી કે જ્ઞાન માનતા નથી; કેવળ એનાં વાહન કે સાધન માને છે. છતાં
સમૂળી ક્રાન્તિ’ માં “કેળવણી”નામના છેલ્લા વિભાગમાં “સિદ્ધાન્તોને નિશ્ચય ' એ પ્રકરણમાં એમણે બે વાતે પૂરતી સ્પષ્ટતાથી કહી છે. એક એ કે, “સ્વભાષા દ્વારા શિક્ષણ મળે તે કરતાં (પરદેશમાં જઈને શીખવાને પ્રશ્ન ન હોય તે) વાવથ છેવટ સુધી જ ઝ માણા 31 શિયાળ g કપુ છે. શિક્ષણનું વન વારે વજ્જર ૪ ફૂટ નથી. પ્રાથમિક શિક્ષણ એકમાં, માધ્યમિક બીજીમાં, અને ઉચ્ચ ત્રીજીમાં એ બરાબર નથી. ...કમમાં કમ એક પ્રાન્તમાં એક જ ભાષા દ્વારા શિક્ષણ અપાય એ ઇષ્ટ છે.”
બીજી વાત એમણે એ કહી છે, “કેળવણીનું સારામાં સારું અને સફળ વાહન કેળવણું આપનારની નહિ, પણ કેળવણું લેનારની સ્વભાષા છે.”
આપણે ત્યાં જે વિખવાદો છે તેથી શ્રી. મશરૂવાળા અજાણુ તે નથી જ, છતાં એમણે આમ કહ્યું છે તેની પાછળની દૃષ્ટિ સમજાવી જોઈએ.
બોલનાર શિક્ષકે કે વ્યાખ્યાનકારે સાંભળનારની ભાષા શીખવી ઘટે, ન કે એથી ઊલટું.” એ નિયમ દર્શાવીને એમણે કહ્યું છે કે, “કેટલેક અંશે સભ્યતા પણ આ નિયમમાં છે.”
બાબુ રાજેન્દ્રપ્રસાદે પણ આ પ્રશ્ન પરત્વે પિતાના મંતવ્યો “હરિજન. માં થોડાક વખત પર જ પ્રગટ કર્યા હતાં. એમણે એમાં ઉચિત જ કહ્યું છે કે, “પિતાપિતાની ફરજ બરાબર બજાવી શકે એટલા માટે વહીવટી અમલદારે સુપ્રીમ કોર્ટ, પ્રાનિક સરકાર અને હાઈકોર્ટના જ નહિ, પણ છેક નીચલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org