________________ હ૭૦ ]. દર્શન અને ચિંતન કૃત્રિમપણે બેધભાષાનું સ્થાન આપીને પ્રાતીય વિશેષતાઓને ગળાટૂંપ ન દેવે જોઈએ, એ જ અહીં વક્તવ્ય છે. ––બુદ્ધિપ્રકાશ, જાન્યુઆરી 1949, એમ કહેવામાં આવ્યું છે કે અંગ્રેજીની પેઠે આપણા દેશમાં એક કાળે સંસ્કૃત ઉચ્ચ શિક્ષણની બેધભાષા હતી, અને તે જ રીતે હવે રાષ્ટ્રભાષાને એ સ્થાન મળવું જોઈએ. આ વિધાન સંસ્કૃત પૂતું તે સાવ મિયા છે. સંસ્કૃત કઈ કાળે શિક્ષણનું વાહન હતી નહિ અને અત્યારે પણ નથી, સંસ્કૃતમાં લખાયેલા ગ્ર જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે શીખવાય છે ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે સર્વત્ર નિરપવાદ પદ્ધતિ એ જ રહી છે કે શીખવનાર જે ભાષા સારી રીતે જાણતો હોય તેમાં અગર તે શીખવનારને જે ભાષા તદ્દન પિતાની હેય તેમાં એનું શિક્ષણ આપવું. દક્ષિણ, ઉત્તર કે પૂર્વના કેઈ પણ સંસ્કૃતશિક્ષણપ્રધાન કેન્દ્રમાં જઈને જુએ છે અધ્યાપક અને વિદ્યાથીઓ કઈ રીતે શિક્ષણ આપે ને લે છે તે પરથી પૂરે ખ્યાલ આવી જશે. સંસ્કૃતની વ્યાપક્તા એટલા જ અર્થમાં છે કે હિંદુસ્તાનને કઈ પણ પ્રાચીન પરંપરાને વિદ્વાન તે ભાષામાં લખવાનું પસંદ કરે છે અને બીજા ગમે તે પ્રાન્તના વિદ્વાન તે ભાષામાં લખાયેલું સમજી શકે છે. સાંસ્કૃતિક, ધાર્મિક અને આધ્યાત્મિક એ બધા વિષયો સંસ્કૃત ભાષા દ્વારા ઓછેવત્તે અંશે ખેડાયેલા છે, પણ સંસ્કૃતિ કદી સંસ્થાગત રૂપે વ્યાપકપણે બધભાષા તરીકેનું સ્થાન લીધું નથી. અને તે લેવા જાય છે, એટલે કે. અધ્યાપક સંસ્કૃતમાં શીખવે તો, વિદ્યાથીઓને ખાલી હાથે જ પાછા ફરવું પડે, એટલે પૂર્વકાળમાં જુદી જુદી ભાષાઓ વચ્ચે અનુસંધાન કરનારી મુખ્યપણે જે ભાષા હતી અને અત્યારે પણ છે તે સંસ્કૃત. અને તેમ છતાં તે પિતાના ક્ષેત્રમાં બેધભાષાનું સ્થાન લઈ શકી નથી. એ ભાષા માત્ર શીખવાના વિષય તરીકે તેમ જ સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને ધાર્મિક વિષને ગ્રંથબદ્ધ કરવાના મુખ્ય વાહન તરીકે કામ આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org