SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ વતી ના વિસ્તાર એવી શિક્ષણુસ’સ્થાની ગ્રહમાળા ક્રમેક્રમે રચાતી અને વિશ્વવિદ્યાલયના સકલ્પના મધ્યવતી સૂર્ય પણ એક જ પ્રકાશવા લાગ્યા. અહેવાલમાં શિક્ષણનીતિ વિશે જે ચોખવટ કરી છે તે બહુ મહત્ત્વની છે. આપણે જાણીએ છીએ કે પૂ. ગાંધીજીએ પોતાના જીવનક્રમના આંતરખાવ ધરખમ ફેરફાર સાથે જ પ્રજાવ્યાપી શિક્ષણની એક નવી જ દૃષ્ટિ લોકો સમક્ષ રજૂ કરી હતી, અને એ દૃષ્ટિને અનુસરી એમણે કામ પણ શરૂ કર્યું. હતું. એ કામ ગુજરાત અને ગુજરાત બહાર પણ ચાલતું. વિચારશીલ અને સહૃદય સ્વાતંત્ર્યપ્રેમી આત્માએતે તો એ પસદ આવ્યું; પણ સાધારણ લેાકાનું ગજુ ચાલુ શિક્ષણમાં કરવા પડનાર એવડા મોટા ફેરફારને ઝીલવાનું ન હતું, તેથી ખાપુજીની દૃષ્ટિ પ્રમાણે સ્થપાયેલ સંસ્થાઓમાંથી પણ ધીરે ધીરે એટ થતી જોવાતી. બીજી બાજુ આખા દેશમાં વિદેશી સરકારની ગુલામીપેષક શિક્ષણનીતિ પ્રત્યે લોકાને રાષ પણ જેવા તેવા ન હતા. એક ખાજુ ગુલામીપોષક શિક્ષણનીતિ પ્રત્યે રાવ અને બીજી બાજુ એ પ્રથા પ્રમાણે ચાલતી અનેક વિષયની વ્યવહારુ જીવનને ધડનાર કૉલેજો જેવી સંસ્થાએના માહ, એ બંને વચ્ચે લોકમાનસ ક્ષોભ પામતું. એવી દશામાં શે! રસ્તા લેવા કે જેથી લેકાને જોઈતી આધુનિક પ્રણાલીની શિક્ષણસંસ્થા પણ સાંપડે અને એમનાં માનસ ગુલામીમાંથી ધીરે ધીરે છૂટવા પણ પામે?—આ એક પ્રશ્ન હતા. એને ઉકેલ સાસાયટીના કાર્યકર્તાઓએ મધ્યમમાગ લઈ કાઢયો. એ મધ્યમમાગ એટલે વિદેશી સરકારની નીતિએ લાદવા ધારેલી ગુલામીમાંથી લેાકમાનસને મુક્ત કરવું અને છતાંય પાશ્ચાત્ય પ્રણાલીની શિક્ષણપ્રથામાં લોકાને જોઈતા લાભ પણ પૂરા પાડવા. [ ૯૧૧ ગેહવાતી ચાલી તે ગ્રહમાળાના કેન્દ્રમાં સાસાયટીના કાર્ય કર્તાઓની તેમ પહેલેથી જ ગુલામીમાનસ વિરુદ્ધ અંડ કરવાની હતી. એવા પ્રસંગ ઉપસ્થિત પણ થયા. સાયમન કમિશન વખતે ગુજરાત કૉલેજના કેટલાક વિદ્યાર્થીઓએ વિધસૂચક ન્યાય્ય વર્તન આચયું" તે તરત જ એ વખતના એ કૉલેજના ગેારા આચાર્ય એપ્રત્યે કડક વલણ અખત્યાર કરી વિદ્યાર્થીએ તેમ જ દેશના સ્વમાન ઉપર સીધો ધા કર્યો. આ બનાવ ખરેખર કસોટીનેા હતેા. કાં તો ગુલામી સામે થયું કાં તો નમીને ઘેટાવૃત્તિ પાવી. પણ અત્યાર અગાઉ ખાપુજીએ આખા દેશમાં સ્વતંત્રતાની ભાવનાની એવી ચિનગારી પેટાવી હતી કે હવે લેકા અને વિદ્યાર્થી આલમ સ્વમાનભંગ સહેવા તૈયાર ન હતા. અને ખરેખર, જ્યારે અહેવાૠમાં વાંચીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249252
Book TitleVatbijno Vistar
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Society
File Size174 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy