SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિતક અને તેનુ' મહત્ત્વ [ ૯૨૧ ભલે ગમે તે હોય, પણ એને તર્કની તીક્ષ્ણ શાણુ ઉપર ચઢાવી અને બુદ્ધિની કસોટીએ કસીને જ દિવાકરશ્રી કહે છે. પ્રવચનસારની રોલી આમિક એટલા માટે છે કે તેમાં તત્ત્વનું નિરૂપણ કરતાં કરતાં ડગલે ને પગલે ઉપદેશ દેવાતા જાય છે. તે સાંભળતાં એમ ભાન થાય છે જાણે આપણે ધર્મસ્થાન કે ઉપાશ્રયમાં બેસી કાઈ મહામના નિભ્રં"થના મુખેથી શ્રદ્ધાપૂર્ણાંક ઉપદેશમિશ્રિત જૈનતત્ત્વ સાંભળી રહ્યા છીએ; ત્યારે સન્મતિની ખાખતમાં એમ નથી. એમાં ઉપદેશના છાંટાયે નથી. એમાં તે શુદ્ધ જૈન તત્ત્વો પેાતાની ઢમે દિવાકરશ્રી પ્રવાહભદ્ર વર્ણવે જ જાય છે. એને સાંભળતાં એમ લાગે છે કે જાણે કાઈ પ્રતિભામૂર્તિ તાર્કિકશિરામણના મુખેથી મન તત્ત્વા સાંભળી રહ્યા છીએ. પ્રસ્તુત બન્ને ગ્ર ંથ જૈન તત્ત્વજ્ઞાન અને સંપ્રદાયના પાષક છે, છતાં બન્નેમાં મોટા તફાવત છે. એક જૈનમત સાથે સાથે તેના એક કાંટાનુ રાષણ કરે છે, જ્યારે અને કાઈ ફાંટાના પાષણમાં ન ઊતરતાં માત્ર જૈન તત્ત્વજ્ઞાનને જ સ્થાપે છે અને વ્યવસ્થિત કરે છે. પ્રવચનસારનું ચારિત્રવણું દિગ ંખર શાખાનું પોષણ કરે છે, પણુ સન્મતિને કાઈ શાખાની કી જ પડી નથી. એ તા ભગવાન મહાવીરની દૃષ્ટિ સ્પષ્ટ કરવા, તેને વ્યવસ્થિત રીતે સમજાવવા અને તક ઉપર તેની માંડણી કરવા મથે છે. ઔદ્ધ અને વૈદિક ગ્રંથે સાથે સરખામણી દિવાકરશ્રીના સમયના સવાલ હજી વિચારવા જેવા હોવાથી કાળના પૌર્વોપયા વિચાર છેડી માત્ર સરખામણી માટે કેટલાક પ્રાચીન, બૌદ્ધ અને વૈદિક ગ્રંથો લઈ એ. પ્રવચનસાર જોતાં તેના પ્રણેતા આચાય કુંદકુંદના માનસમાં ત્રણ જૈનેતર દતાના અભ્યાસની છાપ પડેલી દેખાય છે અને તે પણ સ્થૂલ : સાંખ્ય, વૈરોષિક અને બૌદ્ધ. એ ત્રણ ઉપરાંત ન્યાય, વે, ઔપનિષદ આદે બીજા તત્કાલીન પ્રસિદ્ધ જૈનેતર નાના અભ્યાસની ઊંડી અને વિસ્તૃત છાપ દિવાકરશ્રીના માનસમાં પડેલી છે, એ તેઓશ્રીની સતિ, ખત્રીસીએ વગેરે કૃતિ જોતાં સ્પષ્ટ થાય છે. (ક) સાંખ્યાચાય ઈશ્વરકૃષ્ણની કારિકાએ લે અને સતિ સાથે સરખાવે, ભાષા અને સપ્રદાયને ભેદ ખાદ ફરીએ તે એ એમાં છંદનું તેમ જ પોતપોતાના વિષયને તર્ક પતિએ ગાવવાનું સામ્ય નજરે પડરો. ( ખ ) શૂન્યવાદી બૌદ્દાચાય નાગાર્જુનની મધ્યમકકારિકા અને વિજ્ઞાનવાદી વસુબન્ધુની વિશિકા તથા ત્રિશિકા સાથે દિવાકરશ્રીની કૃતિઓ સરખાવતાં એમ લાગે છે કે એ આચાર્યો ઉપર એકબીજાની અસર અવશ્ય છે. (ગ) (ખ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249251
Book TitleSanmatitarka ane Tenu Mahattva
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages32
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size534 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy