SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રીમદ્રાજચંદ્ર ’– એક સમાલાચના [ ૭૭ રીય સાહિત્યના પરિચય હિર`ગ અને અંતરગ અને રીતે વચ્ચે જ જા હતા, તેટલામાં મુંબઈ જેવા સ્થળેથી તેમને દિગબરીય શાસ્ત્રો જાણવા મળ્યાં. તેઓ જે વખતે જે વાંચતા, તે વખતે તેના ઉપર કાંઇક નોંધાથીમાં લખતા; અને તેમ નહિ તો છેવટે કેાઈ જિજ્ઞાસુ કે સ્નેહીને લખવાના પત્રમાં તેને નિર્દેશ કરતા. એમની નોંધપોથી સમગ્ર જ છે એમ ન કહી શકાય. વળી અધી જ નોંધપાથી કે બધા નિર્દેશક પત્રો પ્રાપ્ત થયા છે એમ પણ ન કહી શકાય, છતાં જે કાંઈ સાધન ઉપલબ્ધ છે તે ઉપરથી એટલું ચોક્કસપણે કહી શકાય એમ છે કે ત્રણે જૈન પર પરાના તાત્ત્વિક, પ્રધાન પ્રધાન ગ્રંથા એમણે વેધક દ્રષ્ટિથી સ્પી છે. કેટલાંક મૂળ સૂત્રેા, જેવાં કે ઉત્તરાધ્યયન, સૂત્રકૃતાંગ, વૈકાલિક, પ્રશ્નવ્યાકરણ, ઇત્યાદિ તે એ શબ્દ, ભાવ અને તાપમાં પી ગયા હતા, એમ લાગે છે. કેટલાક તર્ક પ્રધાન ગ્રંથે! પણ એમણે વાંચ્યા છે. વૈરાગ્યપ્રધાન અને કવિષયક સાહિત્ય તો એમની નસેનસમાં વ્યાપેલું હાય એમ લાગે છે. ગુજરાતી, હિન્દી, સ’સ્કૃત અને પ્રાકૃત એ ચાર ભાષામાં લખાયેલ શાસ્ત્રો એમણે વાંચેલાં લાગે છે. આશ્રય તો એ છે કે ગુજરાતી સિવાય એમણે બીજાઓની પેઠે સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓને વ્યવસ્થિત અભ્યાસ કર્યો નથી, છતાં તે તે ભાષાના વિશારદ પડિતા શાસ્ત્રના ભાવેને સ્પર્શે તેટલી જ યથા તાથી અને ઘણે સ્થળે તે તેથી પણ આગળ વધીને તેમણે એ ભાષાના શાસ્ત્રોના ભાવેને તાવ્યા છે; એટલું જ નહિ, પણ તે ભાવેને તેમણે ગદ્ય કે પદ્યમાં વ્યક્ત કર્યો છે; ઘણી વાર તે તે ભાવાનાં માર્મિક વિવેચના કર્યાં છે; એ વસ્તુ તેમની અસ્પર્શ પ્રત્તા સૂચવે છે. તે વખતે જૈન પર પરામાં મુયુગ નામના જ હતા. દિગબરીય શાસ્ત્રોએ તે કદાચ છાપખાનાના દરવાજો જોયા જ ન હતા. એ યુગમાં ધ્યાન, ચિતન, વ્યાપાર આદિની ખીજી બધી પ્રવ્રુત્તિ વચ્ચે વ્યાપક રીતે ત્રણે ફિરકાનું આટલું શાસ્ત્ર, ભાષા આદિની અધૂરી સગવડે, એના યથા ભાવમાં વાંચવું અને તે ઉપર આકર્ષીક રીતે લખવું, એ શ્રીમદની અસાધારણ વિશેષતા છે. એમના કાઇ ગુરુ ન હતા-હાત તો એમના કૃતન હાથ ઉલ્લેખ કરતાં ન ભૂલત છતાં એ એવા જિજ્ઞાસુ હતા કે નાનામેટા ગમે તે પાસેથી પોતાને જોઈતું મેળવી લેતા. એ યુગમાં ગુજરાતમાં, ખાસ કરી સ્મૃતિપૂજક અને સ્થાનકવાસી જૈન પરપરામાં, હિંગ અરીય સાહિત્યને પરિચય કરાવનાર, તે તરફ રસવૃત્તિ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249240
Book TitleShrimad Rajchandra Ek Samalochna
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages28
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size527 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy