SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૬૮ ] દન અને ચિંતન કાઈ પ્રબળ વેગ તેમની ખાદ્ય પરિસ્થિતિમાંથી પ્રગટે એવે ભાગ્યે જ સભવ હતા. તત્ત્વજ્ઞાન શ્રીમદનું પોતાનુ જ કહી શકાય એવું કાંઈ પણ તત્ત્વજ્ઞાન તેમનાં લખાણેમાં નથી. તેમના જીવનમાં ભારતીય ઋષિઓએ ચિંતવેલું જ તત્ત્વજ્ઞાન સક્રમે છે. તેમાંય તેમના પ્રાથમિક જીવનમાં જે થોડાક વૈદિક કે વૈષ્ણવ તત્ત્વજ્ઞાનના સકારા હતા, તે ક્રમે સમૂળગા ખરી જઈ તેનું સ્થાન જૈન તત્ત્વજ્ઞાન લે છે; અને તે એમના વિચાર તેમ જ જીવનમાં એટલું બધું એતપ્રેત થઈ જાય છે કે તેમનાં વાણી અને વ્યવહાર જૈનતત્ત્વજ્ઞાનનાં દર્પણ અની જાય છે. જીવ, અજીવ, મેક્ષ, તેના ઉપાય, સંસાર, તેનું કારણ, ક, કર્મોનાં વિવિધ સ્વરૂપે, આધ્યાત્મિક વિકાસક્રમ ગુણસ્થાન, નય ( એટલે કે વિચારણાનાં દૃષ્ટિબિન્દુએ ), અનેકાંત (સ્યાદ્વાદ : એટલે કે વસ્તુને સમગ્રપણે સ્પનાર દૃષ્ટિ ), જગતનું એકંદર સ્વરૂપ, સંશ્વર, તેનું એકત્વ કે અનેક, તેનુ વ્યાપકત્વ કે દેહપરિમિતત્વ, ઇત્યાદિ તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં આવતા અનેક મુદ્દાઓને તે અનેક વાર ચે છે; બલ્કે તેમનું સમગ્ર લખાણ જ માત્ર આવી ચર્ચાઓથી વ્યાપ્ત છે. એમાં આપણે અથથી ઇતિ સુધી જૈન દૃષ્ટિ જ જોઈએ છીએ. તેમણે એ બધા મુદ્દા પરત્વે ઊંડી અને વેધક ચર્ચા કરી છે, પણ તે માત્ર જૈન દૃષ્ટિને અવલબીને અને જૈન દૃષ્ટિનું પોષણ થાય એ રીતે જ કાઈ એક જૈન ધર્મગુરુ કરે તેમ. ફેર એટલે અવશ્ય છે કે ક્રમે ક્રમે તેમનાં ચિંતન અને વાચનના પ્રમાણમાં એ ચર્ચા કાઈ એક જૈન વાડાગત શાસ્ત્રમાં પરિમિત ન રહેતાં સમગ્ર જૈન શાસ્ત્રને સ્પર્શી ચાલે છે, એમના અંતરાત્મામાં જૈન તત્ત્વજ્ઞાનને સંસ્કાર એટલે સુધી પાષાયેલા છે કે તેએ પ્રસંગ આવતાં સરખામણીમાં વૈદિક આદિ તત્ત્વજ્ઞાનોને પોતાની સમજ મુજ્બ નિખાલસપણે ‘ અધૂરાં ' દર્શાવે છે. એમનાં લખાણો ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે એમણે વેદાનુગામી કેટલાંક દર્શન સબંધી પુસ્તકા વાંચેલાં છે. તેમ છતાં અત્યાર લગી મારા ઉપર એવી છાપ પડી છે કે વૈદિક કે બૌદ્ધ દનાનાં મૂળ પુસ્તક વાંચવાની તેમને સુગમતા સાંપડી નથી. પ્રમાણમાં જેટલું મૌલિક અને ઉત્તરવતી જૈન સાહિત્ય તેમણે વાંચ્યું અને વિચાયુ" છે, તેથી બહુ જ એહુ ખીજા' બધાં દશ નાનુ મળી એમણે વાંચ્યું–વિચાર્યું છે. સ્વતંત્ર ઐતિહાસિક દૃષ્ટિએ નહિ, પણ મુખ્ય પણે જૈન પરંપરામાં ચાલી આવતી માન્યતા પ્રમાણે જૈનદર્શન અને ખીજા ભારતીય દર્શનને સબંધ એમણે વિચાર્યો છે. તેથી જ તે એક સ્થળે જૈનેતર દનેને હિંસા અને રાગદ્વેષનાં પાત્રક કહે છે. જે તેમને ખીજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249240
Book TitleShrimad Rajchandra Ek Samalochna
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages28
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size527 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy