SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્રાચંદ્ર’એક સમાલોચના tone સવિક્તિ છે, પણ શ્રીમદ પેાતાની આધ્યાત્મિક પ્રકૃતિ પ્રમાણે કલ્પનાબળ ચારે પુરુષાથૅના આધ્યાત્મિક ભાવમાં જ અર્થ ઉપજાવે છે (૭૬), એ કરતાં પણ વધારે સરસ અને પક્વ કલ્પનાબળ તે જુવાન ઉંમરે, પણ તેમના જીવનકાળના હિસામે ત્રીસ વર્ષાંતે લડપણે કરેલ જ્ઞાન અને અજ્ઞાનનુ પૃથક્કરણ દર્શાવતાં આંટીવાળું અને આંટી વિનાનું એ સૂતરના દાખલામાં છે. દિગ્દમા દાખલા, જે સૉંત્ર બહુ જાણીતા છે, તેની સાથે ઘૂંચવાળા અને ઘૂચ વિનાના સૂતરના દાખલાને ઉમેરી તેમણે જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનું વાસ્તવિક અંતર જે પ્રગટ કર્યું છે, [ ૭૦૪–(૩)] તે તેમની અંત સુધી દૃષ્ટાન્ત ધટાવી અથ વિસ્તારવાની, વક્તવ્ય સ્થાપન કરવાની કલ્પનાચાતુરી સૂચવે છે. * તર્ક ટુતા શ્રીમદમાં કેવી સુક્ષ્મ અને નિર્દોષ હતી, એ એમનાં લખાણામાંથી અનેક સ્થળે ચમત્કારિક રીતે જાણવા મળે છે. કેટલાક દાખલા ટાંકું : સત્તરમા વર્ષના પ્રારંભમાં સૂને દોરાય ફૂટથો નહિ હોય, ત્યારે કાઈ ને ચરણે પડી. ખાસ વિદ્યાર્પારેશીલન નહિ કરેલ કુમાર રાજદ્ર મોક્ષમાળા ’માં (૮૬–૯૨) એક પ્રસંગ ટાંકે છે. પ્રસંગ એવા છે કે કાઇ સમથ વિદ્વાને મહાવીરની યાગ્યતા સામાન્ય રીતે સ્વીકારવા છતાં તેમની અસાધારણતા વિષે શંકા લઈ શ્રીમદને પ્રશ્ન કર્યો છે કે મહાવીરની ઉત્પાદ, વ્યંય, અને દ્રૌવ્યવાળી ત્રિપદી તેમ જ અસ્તિ નાસ્તિ, આદિ નયેા કાંઈ સંગત નથી. એક જ વસ્તુમાં ઉત્પત્તિ છે અને નથી, નાશ છે અને નથી, ધ્રુવત્વ છે અને નથી.એ બધું વાસ્તવિક રીતે કેમ ઘટી શકે? અને જો પરસ્પર વિરુદ્ધ એવા ઉત્પાદ, નાશ અને ધ્રુવત્વ તેમજ નાસ્તિત્વ અને અસ્તિત્વ ધર્મો એક વસ્તુમાં ન ધટે તે અઢાર દોષો ઉત્પન્ન થાય છે. એ સમર્થ વિદ્વાને જે અઢાર દો! તેમની સામે મૂકયા છે, તે જ એ વિદ્વાનની સમતાના સૂચક છે. આ કે આવી જાતના અઢાર દોષાનુ વર્ણન આટલાં બધાં શાઓ ફેંદથાં પછી પણ, મને યાદ છે ત્યાં સુધી, હું પોતે પણ એ શ્રીમદના વિદ્વાન સાથેના વાર્તાલાપના પ્રસંગમાંથી જ વાંચુ છું. આ દોષો સાંભળ્યા પછી તેનુ નિવારણ કરવા અને તેમના પોતાના શબ્દ ટાંકીને કહુ તો ' મધ્ય વયના ક્ષત્રિયકુમાર' ની ત્રિપદી અને નયભંગી સ્થાપવા શ્રીમદે પોતાની તદ્દન અલ્પજ્ઞતા. પ્રગટ કરી, કાંપતે સ્વરે પણ મક્કમ હૃદયે માત્ર તર્ક બળથી ખીડું ઝડપ્યું છે. અને એમને એવી ખૂબીથી, એવી તક પતાથી જવાબ વાળ્યો છે, અને બધા જ વિરાધજન્ય દોષોને પરિહાર કર્યો છે કે વાંચતાં ગુણાનુરાગી હુંધ્યું. તેમની સહજ ત પટુતા પ્રત્યે આદરવાન બને છે. કાઈ પણ તરસિકે એ આખો સવાદ એમના જ શબ્દોમાં વાંચવા ઘટે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249240
Book TitleShrimad Rajchandra Ek Samalochna
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages28
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size527 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy