SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ sex] દર્શન અને ચિંતન ( એવા કર્યાં છે, પરંતુ ડૉ. અમ્રવાલની સૂમેક્ષિકાને પ્રશ્ન થયા કે સવારે ત્રણ વાગે લશ્કર સૂતુ હાય ત્યારે વ્યાપારી અને અધિકારી સૌથી પહેલાં આવે કેવી રીતે ? એ પ્રશ્નના ઉત્તરમાંથી તેમને સૂઝી આવ્યું કે ' વ્યવહારિન ને અર્થ ઝાડૂ દેનાર જ બટે. સૌથી પહેલાં ઝાડૂ દેનારાઓ આવી સૂતેલ નાકરચાકરને જગાડી દે છે; અને વ્યવહારિન એ પદ હિન્દી શબ્દ ‘લુહારી'નું સંસ્કૃત રૂપ છે. બુહારી' ને અર્થ હિન્દીમાં ઝાડૂ કે સાવરણી થાય છે અને હિન્દીમાં સર્વત્ર ઝાડૂવાળા યા ખુદ્દારી દેનેવાલા-ઝુહારનેવાલા એમ વપરાય છે. શ્રી. અગ્રવાલની દૃષ્ટિ વસ્તુસ્થિતિના મૂળને કેવી રીતે પકડે છે એનું આ એક ઉદાહરણ છે. ' માણે ભિન્ન ભિન્ન પ્રસંગે તે કાળમાં પ્રચલિત પ્રધાને અનુસરી અનેક ભાત, પાત અને જાતનાં વઓનું વર્ણન જુદાં જુદાં ખાસ નામેાથી કરેલ છે. તે બધાં નામેાને યથાવત અર્થ શું છે અને તેમાં વસ્તત્વ એ સામાન્ય તત્ત્વ હેવા છતાં કેટકેટલા અને કયા પ્રકારના તફાવત છે એ વિગતે ( રૃ. ૭૬થી ) શ્રી. અગ્રવાલે દર્શાવ્યું છે, જે વષ્રની નતે બનાવટે આદિના ઇતિહાસ ઉપર પુષ્કળ પ્રકાશ નાખે છે અને ભારતમાં કેટકેટલા પ્રકારની વસ્ત્રની જાતાના અને રંગોના વિકાસ થયેા હતા તેની માહિતી પૂરી પાડે છે. સાથે જ ઈરાન, ચીન જેવા દેશોમાં ખનતાં અને વપરાતાં વસ્ત્રો ભારતમાં પણ વપરાવા લાગ્યાં હતાં અને એ દેશના વ્યાપાર તેમ જ અવરજવને સબંધ કા હતા એવી એવી અનેક જ્ઞાતવ્ય બાબતોનું પ્રકરણ તે ઉમેરે છે, જેમાંથી અહીં તો માત્ર સ્તવરક અને બાંધણી (પૃ. ૭૩) એને નિર્દેશ કરીશુ સ્તવરક એ મૂળમાં ઈરાની અનાવટ છે. પહેલવી ભાષામાં સ્તત્રકૂ કહેવાય છે, પણ ફારસી અને અરબીમાં તેને સ્તમ કહે છે. કુરાનમાં પણ એને ઉલ્લેખ છે. શ્રી. અગ્રવાલજીએ ગુપ્તકાલીન સૂર્યની મૂર્તિઓ ઉપરના જરીના કીમતી કાટના કપડાને તથા તુચ્છત્રાથી પ્રાપ્ત સૂની તેમ જ નકીની ભૃણ્મય પૂતળીઓના કાટ અને લેધાને એજ સ્તવરકના બનેલ દર્શાવ્યા છે અને વરાહમિહિર એ વેષને ઉદીચ્યવેષ તરીકે ઓળખાવ્યા છે તેની સંગતિ શ્રી. અગ્રવાલે એસાડી છે. ગુજરાતની પેઠે ભારતના ખીજા અનેક ભાગમાં કપડાં ઉપર બાંધણીનું કામ અને રગાઢ થતાં. ખણે એવા વસ્ત્રનો ઉલ્લેખ કરેલ છે. તેની સમજૂતી શ્રી. અગ્રવાલે લગભગ આખા દેશમાં થતાં બાંધણીનાં કામેાનુ વર્ણન કરી અતિમનેાર્જક આપી છે. આણે રાજાની વેષભૂષાના વર્ષોંનપ્રસંગે ત્રણ પ્રકારના પાયાના અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249237
Book TitleHarshcharitna Sanskrutik Adhyayannu Avalokana
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size272 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy