________________
૧૮૪ ]
દર્શન અને ચિંતન છે. ક્યારેક કોઈ વર્તુળમાં શ્રદ્ધાનું એકઠું વધારે સખત થયું કે તરત જ તે વર્તુલના આન્તરિક કે બહારનાં બળોમાંથી એક નવું તત્વચિંતન પ્રગટે કે જેને લીધે એ સખત એકઠું પાછું ઢીલું પડે અને તત્વચિંતનની દેરવણ પ્રમાણે નવેસર રચાય.
એ જ રીતે જ્યારે કોઈ વર્તુળમાં બુદ્ધિમૂક વિચારને સ્વૈરવિહાર છવગત આચરણની ભૂમિકાથી તદ્દન છૂટે પડી જાય ત્યારે એ વર્તુલના આન્તરિક કે તેની બહારનાં બળેમાંથી એવી શ્રદ્ધામૂલક ધર્મભાવના પ્રગટે કે તે વિચારના સ્વૈરવિહારને આચાર સાથે યોગ્ય રીતે સાંકળીને જ જંપે. * આ રીતે ભારતીય જીવનમાં શ્રદ્ધામૂલક ધમ ચા આચાર, બુદ્ધિમૂલક તત્ત્વવિચારના પ્રકાશથી અજવાળી રહ્યો છે, ગતિ પામતો રહ્યો છે; વિશેષ
અને વિશેષ ઉદાત્ત બુદ્ધિમૂલક તત્વવિચાર, શ્રદ્ધામૂલક ધર્મના પ્રેગની મદદથી વિશેષ અને વિશેષ યથાર્થતાની કસોટીએ પર ખાતે રહ્યો છે. તેથી જ ભારતીય બધી પરંપરાઓમાં વિચાર અને આચાર બન્નેનું સમ્મિલિત સ્થાન અને માન છે. બુદ્ધની વિશિષ્ટતા
બુદ્ધના પહેલાં અને બુદ્ધના સમયમાં પણ અનેક ધર્માચાર્યો, તીર્થકરે અને ચિન્તક વિદ્વાને એવા હતા જે પિતાપિતાની પરંપરામાં પિતાપિતાની રીતે વિચાર અને આચાર બન્નેનું સંવાદી મૂલ્ય આંકતા. બુદ્ધે પોતે પણ વિચાર અને આચારનું સંવાદી મૂલ્ય જ આંધ્યું છે. તે પછી પ્રશ્ન થાય છે કે બીજા કરતાં બુદ્ધની વિશિષ્ટતા શી? આને ઉત્તર આપો એ જ અત્રે પ્રસ્તુત છે. એક વાક્યમાં કહેવું હોય તે કહી શકાય કે બુદ્ધની વિશિષ્ટતા મધ્યમપ્રતિપદામાં છે; અર્થાત વિચાર અને આચારનાં તમામ ક્ષેત્રોમાં એ બંનેને મધ્યમમાર્ગી સંવાદ સાધવો એ જ બુદ્ધની વૈયક્તિક સાધના અને સામૂહિક ધર્મ પ્રવૃત્તિનું હાર્દ છે. આ કેવી રીતે, તે હવે જરા વિગતે જોઈએ. બીજા વિચાર્કે
તત્ત્વજ્ઞાનની બાબતમાં બુદ્ધ જેયું કે કેટલાક વિચારકે જીવન યા ચિત કે આત્માનું અસ્તિત્વ વર્તમાન દેહના વિલયની સાથે જ વિલય પામે છે, એમ માને છે. અને તેઓ પિતાને આચાર પણ માત્ર વર્તમાન જીવનને સુખી બનાવવાની દષ્ટિએ જ જે છે અને ઉપદેશ છે. આવા ઈહલેવાદી ચાકે ઉપરાંત બુડે બીજે પણ એક એ વિચારક વર્ગ જે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org