SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ સુગતને મધ્યમમાર્ગ [ ૧૮૫. આત્માનું અસ્તિત્વ માત્ર વર્તમાન કાળ પૂરતું ન માનતાં શાશ્વત-સદા સ્થાયી માનતા, અને એ શાશ્વત જીવનને સદા સુખમય બનાવવાની દૃષ્ટિએ જ આચાર-પ્રણાલિકાઓ જ ને તેને પ્રચાર કરતે. આ બન્ને વર્ગના વિચાર અને આચારમાં બુદ્ધને અતિરેક દેખાય. બુદ્દે જોયું કે વર્તમાન જીવન એ અનુભવસિદ્ધ સત્ય બીના છે, પણ એનાથી પહેલાં અને પછી જીવનનું કઈ અનુસંધાન નથી એમ માનવું છે કેવળ ઈન્દ્રની સ્થળ અનુભવ ઉપર આધાર રાખી સૂમ વિચાર અને તર્કબળને નકારવા બરાબર છે. એ જ રીતે બુદ્ધ એ પણ જોયું કે તત્ત્વચિન્તકે આત્મા અને લોકના શાશ્વતપણા વિશે વિચાર કરતાં કરતાં એવી ભૂમિકાએ પહોંચ્યા છે કે જે કોઈને માટે વિચાર કે તર્કથી ગમ નથી. તત્વજ્ઞાન પરત્વે મધ્યમમાર્ગ તત્વવિચારની આ સ્થિતિ જોઈ બુદ્ધને તેમાંથી મધ્યમમાર્ગનું સત્ય લાગ્યું. એ સત્યને અનુસરી તેણે જીવનતત્ત્વ યા આત્મતત્વને કેવળ ઈન્દ્રિયગમ્ય વર્તમાનકાળની શૂળ મર્યાદાથી પર એવી, પણ વિચાર અને તર્કથી સમજી શકાય એવી, સૈકાલિક મર્યાદાવાળું સ્વીકાર્યું. પણ સાથે સાથે એવા આત્મતત્વને દેશ-કાળની અસરથી તદ્દન મુક્ત એવા શાશ્વતવાદની અગમ્ય કટિથી પણ મુક્ત રાખ્યું. આ રીતે બુદ્ધ આત્મતત્વને ઉછેરવાદ તેમ જ ફૂટસ્થનિત્યવાદ બન્નેથી પર રાખી તેનું દરેક વિચારવાની અને તર્કશીલને સમજાય એવું પ્રવાહગામી સ્વરૂપ સ્થાપ્યું. તેણે કહ્યું કે જે આપણો વર્તમાન અનુભવ પ્રત્યેક ક્ષણે આન્તરિક જીવનમાં પણ ફેરફાર જોતો હોય અને પૂર્વ પૂર્વના સંસ્કારમાંથી નવનવા અનુભવ પામતે હેય તે એ જ અનુભવને આધારે આપણે સ્વીકારવું જોઈએ કે વર્તમાન જીવનને પ્રારંભ એ કાંઈ આકસ્મિક નથી, પણ અતીતપ્રવાહમાંથી ફૂટેલું એક વહેણ માત્ર છે. એ જ રીતે વર્તમાન જીવન પૂરું થવા સાથે એને આન્તરિક પ્રવાહ સમાપ્ત નથી થતું, પણ એમાંથી એક નવું ભાવિ વહેણ શરૂ થાય છે. આ રીતે બુદ્દે આત્મા કે ચિત્તને ત્રણ કાળના પટમાં વિસ્તરેલ માનવા છતાં તેને સતત ગતિશીલ સ્વીકાર્યું અને એમાં જ પુનર્જન્મ, કર્મ, પુરુષાર્થ તેમ જ ચરમસુખવાદ એ બધું બુદ્ધિગમ્ય રીતે ઘટાવ્યું. આ થયે તત્ત્વજ્ઞાન, પર બુદ્ધને મધ્યમમાર્ગ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249231
Book TitleShraddha ane Medhano Samanvaya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size114 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy