________________
સુરતને મધ્યમમાર્ગ : શ્રદ્ધા ને મેધાનો સમન્વય
જીવનમાત્રના, ખાસ કરી માનવજીવનના, મુખ્ય બે પાયા છે : શ્રદ્ધા અને મેધા. આ બન્ને એકમેકથી કદી તદ્દન છૂટા પડી શકતા જ નથી, ભલે કયારેક કઈમાં એકની પ્રધાનતા અને બીજાની અપ્રધાનતા-ગૌણતા હેય
જ્યાં અને જ્યારે શ્રદ્ધા તેમ જ બુદ્ધિને સંવાદ, સુમેળ યા પરસ્પરની પુષ્ટિ તેમ જ વૃદ્ધિ કરે એવો સમન્વય થવા પામે છે ત્યાં અને ત્યારે માનવજીવન ખીલી ઊઠે છે. જેટલા પ્રમાણમાં એ સંવાદ વધારે તેટલા પ્રમાણમાં માનવજીવનની દીતિ વિશેષ. બુદ્ધના જીવનને એગ્ય રીતે સમજવાનો માપદંડ આ સત્ય ઉપર પ્રતિષ્ઠિત છે. ગ્રીક અને સેમેટિક વિચારધારા
આપણે ઇતિહાસથી જાણીએ છીએ કે ગ્રીસમાં મેધા યા બુદ્ધિશક્તિના વિકાસ ઉપર વધારે પડતે ભાર અપાયેલે, જેને લીધે ત્યાં તત્ત્વચિન્તન તેમ જ અનેક ક્ષેત્રને સ્પર્શતી મુક્ત વિચારધારાઓ અને સ્વતંત્ર ચર્ચાઓ ખીલી; તેમાંથી આંજી દે એવો બૌદ્ધિક ચમકાર અસ્તિત્વમાં આવ્યું, પરંતુ ત્યાં બૌદ્ધિક ચમકારાને જોઈએ તેવું ધાર્મિક બળ યા તે એ સૂક્ષ્મ ચિન્તનને. જીવનમાં એગ્ય રીતે ઉતારવાનું શ્રદ્ધાબળ ન ખીલ્યું.
બીજી બાજુ આપણે એ પણ જાણીએ છીએ કે સેમેટિક (યાદી, માએ આદિ) પ્રજામાં મુખ્યપણે શ્રદ્ધાબળ પ્રગટયું. તેથી ત્યાં ખાસ ખાસ માન્યતાઓને જીવનમાં વણું લેવાનો પુરુષાર્થ વિશેષ થયા. ગ્રીસની સૂક્ષ્મ બુદ્ધિ બ્રહામૂલક ધર્મને ૩ ટેકા વિના માત્ર ફિલસૂફીમાં મુખ્યપણે પરિણમી, તે સેમેટિક પ્રજાની શ્રદ્ધામૂલક ધર્મવૃત્તિ તત્ત્વચિંતનના સમર્થ પ્રકાશની મદદ વિના ગતિશન્ય ચોકઠામાં મુખ્યપણે પુરાઈ રહી. અલબત્ત, એ બંને દીખલાએમાં થોડાક અપવાદ તે મળી જ આવવાના.
ભારતની સ્થિતિ પહેલેથી સાવ જુદી રહી છે. વેદકાળ કે ત્યાર પછીના કાળમાં બુદ્ધિ અને શ્રદ્ધાની જે જે ભૂમિકા રચાતી આવી છે ત્યાં સર્વત્ર શ્રદ્ધામૂલક ધર્મ અને બુદ્ધિમૂલક તવચિંતન એ બન્ને સાથે જ ખેલતાં રહ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org