________________
સ્તુતિકાર માતૃચેટ અને તેમનુ અદ્ધશતક
[ ૬૪૧
મૂળ સંસ્કૃત ગ્રંથીના ટિમેટન ભાષાન્તરે કરવા ટિમેટમાં ગયા હતા. એ લિખિત પ્રતિ શ્રી. રાહુલજીએ પોતાની ત્રીજી ટિમેટ યાત્રામાં મેળવી હતી. આ પ્રતિ ફાંથી કેવી રીતે અને કેવા સંજોગોમાં તેમને મળી તેમ જ આ પ્રતિની લખાઈ પહેાળાઈ વગેરેનું શું સ્વરૂપ છે એનું વર્ણન બહુ જ રોચક છે છતાં અહીં તે જતું કરવું પડે છે, કેમ કે મારો આશય આ સ્થળે મુખ્યપણે અધ્ય શતકના ખાદ્ય–અન્તર હાર્દને જ ખતાવવાને છે. પરંતુ જે શેાધખાળ અને ભારતીય વિદ્યા–સંપત્તિમાં રસ ધરાવતા હોય તે પૂર્વોક્ત જર્નલના પુસ્તક નં. ૨૧,૨૭ અને ૨૪માં શોધ વિશેના શ્રી. રાહુલજીના લેખા અવશ્ય વાંચે. નવીન સાતવ્ય વસ્તુ મેળવી શકરો.
પ્રસ્તુત અ... શતકનું ટિમેટન ભાષાંતર પણ શ્રી, રાહુલજીને પ્રાપ્ત થયેલું, એનુ ચીની ભાષાંતર થયેલું છે એ વાત તા પહેલાં કહેવાઈ ગઈ છે; પણ એના તે તેાખારિયન ભાષાંતરના અવરોધો સુધ્ધાં પ્રસિદ્ધ થયા છે. આ વિવિધ ભાષાન્તરા એટલું પુરવાર કરવા માટે બસ છે કે અનેક શતાબ્દી લગી પ્રસ્તુત અધ્યશતકની ખ્યાતિ અને પ્રચાર જુદા જુદા દેશમાં રહ્યાં છે. એના જન્મસ્થાન ભારતમાંથી એ ભલે અદૃશ્ય થયુ હોય, છતાં તે અનેક રૂપામાં ભારત બહાર પણ આજે વિદ્યમાન છે.
k
;
અય્યદ શતકના પર્યાય તરીકે મેં સરલતા ખાતર સાર્ધશતક શબ્દ માતૃચેટના પરિચયમાં વાપર્યાં છે. બન્ને શબ્દના અર્થ એક જ છે અને તે અર્થા એટલે એકસો પચાસ સંખ્યાના શ્લોકાનું સ્તોત્ર. અધ્યશતક એ નામનું ટિબેટન ઉપરથી સંસ્કૃત રૂપાન્તર શતપંચાશિકાસ્તોત્ર એવુ પણ કરવામાં આવ્યું છે. તેમ છતાં એ સ્તંત્રનું અસલ નામ તો અધ્યશતક જ છે. એમાં ખરી રીતે પદ્યો એક પચાસ નહિ પણ એકસો ત્રેપન મળે છે, જે ખધાં માતૃચેટરચિત જ ભાસે છે. પચાસ ઉપર ત્રણ પદ્યો વધારે હોવા છતાં તે અધ શબ્દથી સાના અધ તરીકે ગણવામાં આવ્યાં છે. સામાન્ય રીતે લેા એમ સમજે છે કે અર્ધું એટલે આખાને ખરાખર અધ ભાગ. પણ્ અર્ધું શબ્દ આખાના એ સમાન અંશ પૈકી એક અંશની પેઠે તેના નાનામોટા એ અસમાન શ પૈકી કાઈ પણ એક અંશ માટે પણ વપરાય છે. એટલે પ્રસ્તુત સ્તોત્ર સા ઉપરાંત ત્રેપન શ્લોકપ્રમાણ હોય તોય એનું અધ્ય શતક નામ તદ્દન શાસ્ત્રીય અને યથાર્થ છે.
૩, જુઓ સિદ્ધહેમશબ્દાનુશાસનનું સૂત્ર · મે શેડધું ન વા ' ( ૩-૧-૧૪) અને તેનો અહત્તિ
૪૧
Jain Education International
પ્રસિદ્ધ થયેલ ટિમેટમાંની તેમાંથી તેઓ બહુ જ
For Private & Personal Use Only
www.jainelibrary.org