SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ “ગીતાધર્મ પરિશીલન [ ૧૩૫ એક અથવા બીજી રીતે પડેલે છે, પણ એ સંસ્કારનું શ્રવણમનન દ્વારા સશેવન કરવું અને એક એક્કસ નિર્ણય પર પહોંચવું એ કામ સૌને માટે સરળ નથી. કાંઈ નિર્ણય બાંધે તેયે તે આચરણની કસોટીઓ કસાયેલે જ હોય એવું તે ભાગ્યે જ હોય છે. કાકાનો નિર્ણય માત્ર દલીલમૂલક કે બુદ્ધિવાદમૂલક નથી. એમણે આચરણનાં વિવિધ ક્ષેત્રોમાં હિંસા વિરુદ્ધ અહિંસાવૃત્તિને પ્રવેગ કરી અહિંસાશક્તિને કાંઈક પણ અનુભવ કર્યો છે અને તેથી જ એમની અહિંસાની સમર્થક તક શૈલીમાં વિશેષ તેજ પ્રતીત થાય છે. - સત્યની ચર્ચામાં જ્ઞાતવ્ય તે ઘણું જ છે, પણ એમાં ઉપમાકૌશલ લેખે બે ઉપમાઓ ધ્યાન દેવા જેવી છે. બાળક જન્મતાંવેંત માને સંબંધ લઈને જ આવે છે. તે સંબંધ તેના હાડપિંજરના બંધારણ સાથે જ ઘડાયેલ છે, તેમ સત્ય એ જીવનના અસ્તિત્વ સાથે જ સંકલિત છે. જીવન પહેલું અને સત્ય પછી એમ નથી. તેથી સત્યની ભૂમિકા ઉપર જ જીવનની ગતિવિધિ એ સ્વાભાર્વિક ગતિવિધિ છે એમ ઉપમાન ભાવ છે. બાળક જેભ્યા પછી મેટું થઈ ગમે ત્યાં ગમે તે રીતે વિચરે અને વિહરે છતાં માતા તરફથી મળેલ સૂક્ષ્મ અને સ્થળ વારસાની ભૂમિકા જે તે ગુમાવે છે તેનું અસ્તિત્વ જ ન રહે અથવા વિકૃત બને. દી એક જ જગાએ સ્થિર હોય તો તે માત્ર તે જ સ્થળમાં પ્રકાશ આપે અને નવા પ્રદેશો તમસાત જ રહે, પણ ચાલવા સાથે બત્તીને પણ ચાલવા દઈએ તે નવાં વનોમાં પણ તે પ્રકાશ આપે. પ્રકાશ અને વન તેમ જ પ્રકાશ અને વ્યવહાર સાંજ ન પડે. તેમ જ સત્ય જે પ્રત્યેક જીવનવ્યવહારમાં સાથે છે તે જીવનની તમાવત ગલકુંથીઓમાં કે અધારી ગુફાઓમાં પણ તે રસ્તે બતાવે. સત્યના તેર આકારે મહાભારતમાંથી દર્શાવ્યા છે. આનો અર્થ એટલે જ છે કે મૂળમાં સત્ય હોય તે તે વ્યવહારમાં જુદે જુદે નામે પ્રસિદ્ધ એવા અનેક ગુણોરૂપે આવિર્ભાવ પામે છે. બીજા ગુણ એ તેમાં નાનાવિધ રૂપ છે—જેમ એક ધાતુનાં અનેક રૂપ હોય તેમ. દ્રષ્ટાઓ કોઈ પણ એક સણને જ્યારે એના મૂળ અર્થમાં વ્યાપક રીતે જોતા અને વર્ણવતા ત્યારે બામા સશુને એના આકારે જ માનતા. જેમ શિવને મુખ્ય દેવ માનનાર બાકીના દેવોને તેનાં જ રૂપ માનતે; વિષ્ણુને પરમ વૈત માનનાર પણ એ જ રીતે કલ્પના કરતે; તે રીતે જે સાધક જે સગુણને આશરે મુખ્યપણે વર્તતે તે બીજા અને તેના વર્તુળમાં તેના અંગ તરીકે ગોઠવતાં. દા. ત. અહિંસાની અનન્ય સાધના કરનાર બુદ્ધ કે મહાવીરે બીજા બધા ગુણોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249227
Book TitleGita Dharmnu Parishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages22
LanguageGujarati
ClassificationArticle & Religion
File Size121 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy