SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ 64 ] દર્શન અને ચિંતન તેને લેકસમક્ષ મૂકતાં વિદ્વાન લેખકે સુધ્ધાં કરે છે, સંકેચાય છે. જે વસ્તુ હું. મનમાં વિચારતો હેલું', મિત્રોને કહેતે હૈઉં ને જેના પ્રત્યે મારું વિશિષ્ટ વિલણ હોય તે જ વસ્તુ હું જે સમભાવે લેકસમક્ષ વિચાર અર્થે ન મૂકું તો વિચારની પ્રગતિશીલ ધારાઓ ઉદયમાં જ ન આવે. કેશાબીજી એવા ડરથી પર છે. એક વાર તેમને જે સત્ય લાગ્યું તે પછી તેઓ કહી જ દે છે. આ કાંઈ દેષ જ છે એમ ન કહી શકાય. તેથી એમણે પિતાનાં મંતવ્ય જે છૂટથી ચર્ચા છે, તથા પિતાના અવકન અને કલ્પનાબળને ઉપયોગ કરી પોતાના કથનનું જે સમર્થન કર્યું છે તે પુનઃ વિચારવા વાસ્તે સૌને માટે ખુલ્લું છે. વિચારકને વિચાર અને ચિંતનની, લેખકને લખવાની અને શૈધકને સંશોધનની ઘણું સામગ્રી પૂરી પાડવા બદલ ગુણ તો કેશાબીજીના સમર્થ શ્રમના આભારી જ રહેવું જોઈએ. - કાશીબીજ આ પુસ્તક મરાઠીમાં લખી રહ્યા હતા તે જ વખતે એ નિર્ણય મેં સાંભળેલ કે આનું હિન્દી ભાષાન્તર પ્રથમ જ અને જલદી પ્રગટ થશે. તે વખતે મને સંદેહ તે થયેલે કે કાશી જેવા સનાતન રૂઢિના કિલામાં વસતા ઉદારતા પ્રકાશકો પણ આવું ભાષાન્તર જલદી અને પ્રથમ પ્રગટ કરે તે એટલી વાત સાબિત થશે કે એ કિલ્લામાં હવે ગાબડાં પડવા લાગ્યાં છે. કેણ જાણે કયે કારણે હજી હિન્દી ભાષાન્તર પ્રસિદ્ધ થયું નથી. મરાઠી ઉપરથી હિન્દી લખાયું છે કે નહિ તે પણ અજ્ઞાત છે, પરંતુ ખુશીની વાત છે કે ગુજરાતી ભાષાનાર પ્રથમ જ પ્રસિદ્ધ થાય છે. ગુજરાતની વ્યાપારી પ્રકૃતિસુલભ ઉદારતા, સાહસવૃત્તિ અને રૂઢિદાસત્વની મુક્તિ આ પ્રકાશનથી સિદ્ધ થાય છે. શ્રીયુત જીવણલાલે આ ગૂજરાતી ભાષાન્તર પ્રગટ કરી ગૂજરાતી સાહિત્યમાં એક નવી ભાતના કીમતી અને ભાગ્યે જ બીજાથી લખાય એવા પુસ્તકનું ઉમેરણ કરી ગુજરાતી વાચકવર્ગ ઉપર ઉપકાર કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249226
Book TitleHindi Sanskruti ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages15
LanguageGujarati
ClassificationArticle & Ahimsa
File Size411 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy