________________
૪૪ ]
દુન અને ચિંતન
અને કુચાં એ કીમતી વારસાને વ્યર્થ અને નાશકારક રીતે અય ! જો જૈન સમાજના એ મુખ્ય પ્રતિનિધિઓએ આધ્યાત્મિક વિજય સાધી આપણા સમાજતે જીવિત શાંતિ અર્પી હોત, અથવા હજી પણ અર્પતા હાત તે, વ્યાવહારિક ભૂમિકામાં ગમે તેટલું પછાતપણુ હોવા છતાં, આપણે ઊંચું માથું કરી એમ કહી શકત કે અમે આટલું તે કર્યું છે. પણ એક આજી આધ્યાત્મિક શાંતિમાં જગત આપણું દેવાળું જુએ છે અને બીજી બાજી આપણી સામાજિક અને રાષ્ટ્રીય નબળાઈએ તે આપણે પોતાને મોઢે જ કબૂલ કરીએ છીએ; એટલે એકંદર રીતે એમ બન્યું છે કે આપણે તપ અને પરિષહામાંથી પરિણામ મેળવવાની ક્રૂ'ચી જ હાથ નથી કરી. તેથી આજે વિચાર ઉપસ્થિત થાય છે કે હવે શું એ વારસ, જે હજારા વર્ષો થયાં મળ્યો છે અને જે કીમતી લેખાય છે તે, ફેંકી દેવા ? અમર તે તે મારફત શું કરવું? તેનાથી પરિણામ સાધવાની થી કૂચી છે ? આ પ્રશ્નોના જવાખમાં જ પ્રસ્તુત ચર્ચા પૂરી થઈ જાય છે.
સમયે સમયે નવાં નવાં ખળેા પ્રગટે છે અને ક્ષેત્રો ખુલ્લાં થાય છે. એક જ વસ્તુને ભિન્ન ભિન્ન સમયમાં અને ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં જીદ્દે ઉપયોગ થઈ શકે છે. આજે ભારતવને સાચા તપ અને પરિષહની જરૂર ઊભી થઈ છે. આપણા સમાજ તપ અને પરિષહેાથી ટેવાયલે છે. જે એમની આધ્યાત્મિક આંખ એનાથી ન ઊપડતી હાય તે પછી એનાથી વ્યાવહારિક આંખતા ઊપડવી જ જોઈએ ! અને તપ કે પરિષષ્ઠા દ્વારા કાઈ પણ વ્યાવહારિક પરિણામ લાવવું હોય ત્યારે, જો દષ્ટિ હેાય તો, તેનાથી આધ્યાત્મિક પરિણામ તે આવે જ છે. ભગવાનનુ તપ દ્વિમુખી છે. જો એને આચરનારમાં આનની કળા હોય તો તે મોટામાં મોટુ વ્યાવહારિક પરિણામ આણવા ઉપરાંત આધ્યાત્મિક પરિણામ પણ આણે જ છે. આની સાબિતી માટે ગાંધીજી અસ છે. એમના તપે અને પરિષહાએ રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં કેવાં કેવાં પરિણામ આણ્યાં છે ! કેવી કેવી ચિરસ્થાયી ક્રાંતિ જન્માવી છે અને લોકમાનસમાં કેટલા પલટા આણ્યો છે! તેમ છતાં તેમણે પોતાના આધ્યાત્મિક જીવનમાંથી કશું જ ગુમાવ્યું નથી; ઊલટુ' એમણે એ તપ અને પરિષષ્ઠાની મદદથી જ પાતાનું આધ્યાત્મિક જીવન પણ ઉન્નત બનાવ્યુ છે. એક જણ તપ અને પરિષહેાથી આધ્યાત્મિક તેમ જ આધિભૌતિક અને પ્રકારનાં પરિણામે સાધે અને ખીજાએ એ વડે બેમાંથી કશુ જ ત્યારે એમાં ખામી તપ-પરિષહતી કે એના આચરનારની? ઉત્તર એજ છે કે ખામી એના આચરનારની.
ન
સાધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org