SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ તપ અને ષહ [ ૪૪૩. તપને તે! જૈન ન હેાય તે પણ જાણે છે, પરંતુ પરિષહાની બાબતમાં તેમ નથી. અજૈન માટે પરિષદ્ધ શબ્દ જરા નવા જેવા છે, પરંતુ એને અથ નવી નથી. ધર ઊંડી ભિક્ષુ બનેલાને પોતાના ધ્યેયની સિદ્ધિ માટે જે જે સહેવું પડે તે પરિષદ્ધ, જૈન આગમોમાં આવા રિષહે ગણાવવામાં આવ્યા છે, તે ફક્ત ભિક્ષુજીવનને ઉદ્દેશીને જ. બાર પ્રકારનું તપ દર્શાવવામાં આવ્યુ છે તે તે ગૃહસ્થ કે ત્યાગી બધાને જ ઉદ્દેશીને, જ્યારે બાવીસ પરિષહા ગણા વવામાં આવ્યા છે તે ત્યાગીજીવનને ઉદ્દેશીને જ. તપ અને પરષદ્ધ એ એ જુદા દેખાય છે, એના ભેદ્યે પણ જુદા છે, છતાં એકખીજાથી છૂટા ન પાડી શકાય એવા એ એ મા છે. .. તનિયમ અને ચારિત્ર એ અન્ને એક જ વસ્તુ નથી. એ જ રીતે જ્ઞાન એ પણ એ બન્નેથી જુદી વસ્તુ છે. સાસુ, નણુંદ અને ધણી સાથે હંમેશા ઝધડનાર વહુ, તેમ જ જો હું મેટલનાર અને દેવાળું કાઢનાર અપ્રામાણિક વ્યાપારી પણ ધણીવાર કઠણ નિયમ આરે છે. નેફનીતિથી સાદુ અને તદ્દન પ્રામાણિક જીવન ગાળનાર કાઈ કાઈ એવા મળી આવે છે કે જેને ખાસ નિયમાનુ બંધન નથી હેતુ, નિયમ આચરનાર અને સરલ ઈમાનદાર જીવન ગાળનાર કાઈ કાઈ ધણીવાર એવા તમને મળશે કે જેમનામાં વધારે વિચાર અને જ્ઞાનની જાગૃતિ ન હેાય. આમ છતાં વ્રતનિયમ, ચારિત્ર અને જ્ઞાન એ ત્રણના યાગ એક વ્યક્તિના જીવનમાં શકય છે, અને જો એ યાગ હાય તેા જીવનના વધારે અને વધારે વિકાસ સભવે છે; એટલું જ નહિ, પણ એવા યાગવાળા આત્માને જ વધારે વ્યાપક પ્રભાવ બીજા ઉપર પડે છે, અથવા તે! એમ કહો કે એવા જ માણસ બીજાને દોરી શકે છે; જેમ મહાત્માજી. આજ કારણથી ભગવાને તપ અને પરિષહેામાં એ ત્રણ તત્ત્વા સમાવ્યાં છે. તેમણે જોયું કે મનુષ્યતા જીવન પથ લાંખે છે, તેનુ ધ્યેય અતિ દૂર છે, તે ધ્યેય જેટલું દૂર છે તેટલું જ સૂક્ષ્મ છે અને તે ધ્યેયે પહેાંચતાં વચ્ચે મોટી મુસીખતે ઊભી થાય છે, એ મામાં અંદરના અને બહારના બન્ને દુશ્મન હુમલા કરે છે, એને પૂ વિજય એકલા શ્રૃતનિયમથી, એકલા ચારિત્રથી, કે એકલા જ્ઞાનથી શકય નથી.. આ તત્ત્વ ભગવાને પોતાના જીવનમાં અનુભવ્યા બાદ જ એમણે તપ અને પરબહાની એવી ગેાઠવણી કરી કે તેમાં વ્રતનિયમ, ચારિત્ર અને જ્ઞાન એ ત્રણેને સમાવેશ થઈ જાય. એ સમાવેશ એમણે પેાતાના જીવનમાં શકય. ફરી અતાવ્યા. મૂળમાં તો તપ અને પરિષદ્ધ એ ત્યાગી તેમ જ ભિક્ષુજીવનમાંથી જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249208
Book TitleTap ane Parishaha
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & Achar
File Size346 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy