________________
૩૬૦ ]
દર્શન અને ચિંતન
આગ્રહ જ હોડવા પડે. જે માતાએ સિક ંદર, નેપોલિયન, પ્રતાપ કે શિવાજી જેવા પરાક્રમી જગતને આપવા હોય તે માતાએ સંયમ કેળવે જ છૂટકો છે, અથવા એવી ભેટ ધરવાની મહત્ત્વાકાંક્ષા છેાડે જ ટકે છે. આપણા ગુરુવ બાળદીક્ષા ભારત જો સમાજ, રાષ્ટ્ર કે જગતને કાંઈ અને કાંઈ આપવા જ માગતા હાય તે તેણે પાતાના જીવનમાં અસાધારણ ત્યાગ, વિશાળ જ્ઞાન અને ચિત્તની વ્યાપક ઉદારતા કેળવે જ છૂટા છે; અને તે માટે તેમને આજનું વાતાવરણ બદછ્યા વિના ચાલી શકે તેમ જ નથી. એટલે ઝઘડે દીક્ષા આપવા ન આપવાને નથી, પણ અત્યારના ક્ષુદ્ર વાતાવરણને અલવા ન ખાવાના છે. મેઢેથી એમ તે કહેવાય જ નિહ કે અમારી પરિસ્થિતિ અને અમારું વાતાવરણ કેટલું ક્ષુલ્લક છે ( જોકે સહુ મનમાં તે જાણે જ છે), એટલે બહારથી દીક્ષા આપવાની વાત થાય છે,
.
વિશ્વમાં દીક્ષાનું સ્થાન શું છે એ પ્રશ્નના ઉત્તર વાતાવરણમાં છે. જો ત્યાગીઓને રહેવા, વિચારવા, શીખવા, કામ કરવા અને આખી દિનચર્યા ગાઠવવાનું વાતાવરણ ઉદાત્ત હોય તો વીસ વર્ષના, દશ વર્ષના અને પાંચ વર્ષના સુધ્ધાંને દીક્ષામાં સ્થાન છે; અને જો વાતાવરણ એદી તથા ખીકણુ હાય તા તેમાં સાઠ કે એંશી વર્ષના મુદ્દો દીક્ષા લઈ ને કાંઈ ઉકાળવાના નથી, એ વાત ત્યાગીઓની સફળતા-નિષ્ફળતાના ઇતિહાસ આપણને જણાવે છે. જગત આખામાં, અને ખાસ કરી આપણા દેશમાં અને સમાજમાં, તે ત્યાગીની ભારે જરૂર છે. સેવા માટે ઝંખનાર આપદ્મત લોકો અને પ્રાણીઓનો પાર નથી. સેવા ોધ્યા જડતા નથી. ત્યારે પછી દીક્ષાના વિધ કેવી રીતે હોઈ શકે ? વિધ તે દીક્ષા લેનારમાં જ્યારે સેવકપણું મટી સેવા લેવાપણું વધી જાય છે ત્યારે જ ઊભે . થાય છે. એટલે દીક્ષાના પક્ષપાતીએ જો પોતાના વિરોધીઓનું મોઢું પ્રામાણિકપૂણે અને હ ંમેશને માટે બંધ જ કરવા માગતા હાય, અને પેાતાના પક્ષને ખરીદેલા નહિ પણ સાચે જ વિજય માગતા હોય તેા, તેમની જ એ છે કે તેઓ દીક્ષાને સેવાનું સાધન બનાવે. કાઈ એમ ન કહે અને ન સમજે કે સેવા સાથે દીક્ષાના શો સંબંધ? જો દીક્ષાને મૂળ ઉદ્દેશ શુદ્ધિજીવનમાં હરશે અને તે માટેના સતત પ્રયત્ન હશે તે દીક્ષાને સેવા સાથે કરશે વિરોધ જ નથી; અને જો એ મૂળ ઉદ્દેશ વનમાં નહિ હાય, અથવા તે માટેની તાલાવેલી પણ નહિ હાય તા તેવી દીક્ષા જેમ ખીજાની સેવા નહિ સાધે, તેમ દીક્ષા લેનારની પણ સેવા નહિ સાધે એ નિઃશંક છે. એટલે જેમ હુમેશાં
C
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org