________________ [ 3 જે જૈન સામયિક જૈનેતરમાં પ્રતિષ્ઠા મેળવી ન શકે, એવા પુનરુક્તિ, ખુશામત અને માત્ર પરલોકપ્રશંસા કરનાર સામયિકે ચાલુ રહેવાનાં હેય અને સમાજને કશી સાચી દોરવણી સ્પષ્ટપણે આપી શકતાં ન હોય તે સાંવત્સરિક ધર્મપર્વ તરીકે અનેક વાર ગાવા છતાં આપણું સ્થિતિમાં છે કેર પડવાને ? ઉપરના પ્રશ્નો માત્ર દિગ્દર્શનરૂપ છે. પાંજરાપોળ, અસ્પૃશ્યતાનિવારણ, સાધુઓની કાર્યદિશાનું પરિવર્તન, એહિક આવશ્યક પ્રવૃતિઓમાં રસ લેવાની ભાવના, સ્વયંસેવક દળ, અખાડાપ્રવૃત્તિ, સ્વબળે સાચવી અને નભાવી શકાય તેટલાં જ મંદિરે અને તીર્થોની વ્યવસ્થાને પ્રશ્ન વગેરે અનેક મુદ્દાઓ તત્કાળ વિચારણું અને ઉકેલ માગી રહ્યા છે, પણ એ વિશે વાચક પોતે જ વિચાર કરી લે અને વિચાર કરતા થાય એ ઈષ્ટ છે. આ સ્થળે જે સામાજિક નિરીક્ષણ કર્યું છે તે ક્રિયાપર્યવસાયી બને એ ભાવનાથી જ કરાયેલું છે; પણ એવી ભૂમિકા તૈયાર કઈ રીતે થાય અને એવી તૈયારી કરવાની જવાબદારી કોને શિરે છે, અગર એવી જવાબદારી ઉઠાવવાની જવાની કાનામાં છે એ પણ પ્રશ્ન છે. આને ઉત્તર શાણા અને સ્કૂર્તિવાળા યુવકે જ આપે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org