SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦] દર્શન અને ચિંતન લાગુ પડે છે. સરકાર માત્ર એમ કહ્યા કરે છે કે પ્રજાને સહગ જોઈએ, તે પૂરે સહગ નથી આપતી, ઇત્યાદિ...પણ એણે વિચારવું જોઈએ કે પ્રજામાં સહગ કરવાની પૂરી લાગણું તે કેમ પ્રગટાવી શકી નથી? જો તે સાચા દિલથી આ વસ્તુ ઉપર વિચાર કરે તે તેને પોતાને જ પિતાની ખામી જણાશે. પ્રજાને ગાંધીજી પ્રત્યે મમતા હતી, પ્રજા તેમને દરેક બાબતમાં સહગ કરતી. એનું હાર્દ તપાસીશું તો જણાશે કે ગાંધીજી તે પ્રજાના અદનામાં અદના માણસને પણ છૂટથી મળવાનો અને તેની કથની સાંભળવાને અવસર આપતા. શું, આજે કેઈ સરકારી હોદ્દેદાર એમ કહી શકશે કે પ્રજની સહાનુભૂતિ મેળવવાને આ કીમિયો તેને લાગે છે ? આજે પણ જે ગણ્યાગાંઠ્યા સેવકે દેશના કેઈ ને કઈ ભાગમાં અને કેઈ ને કઈ પ્રજાના થરમાં પૂર્ણ રીતે ખૂયા છે તેમને અનુભવ પણ એ જ કહે છે કે લેકસંપર્ક એ જ લેકેનો સહયોગ મેળવવાની ચાવી છે. શું રવિશંકર મહારાજ કે શું સંતબાલ કે શું સ્વામી આનંદ-એ બધાને પૂછો તે એક જ વાત કહેશે કે કે તે સાવ ભોળા છે, કહે તે કરવા તૈયાર છે; ફક્ત તેમનાં દિલ જીતવાં જોઈએ, ને તે તે સંપર્ક દ્વારા જ જીતી શકાય. સરકારી અમલદારે આ વસ્તુ ભાગ્યે જ જાણે છે અને તેથી જવાબદાર લેકઆગેવાને પણ તેમના ઉપર આક્ષેપ મૂકતાં પાછા નથી પડતી કે તેમને તો વાલકેશ્વરની અગર નવી દિલ્હીની હવા જ ખાવી છે. પિતાની મુશ્કેલીઓ દૂર નહિ થઈ હોય તોપણ જે પ્રજા એવો અનુભવ કરે કે સરકારી અમલદારે તેમની વાત ધીરજથી સાંભળે છે તે તેને બહુ ફરિયાદ વિના મુશ્કેલી સહન કરવાનું બળ જરૂર મળવાનું. તેથી સરકારી તંત્રને જે તે લાભ નથી. ૪. સરકારી તંત્રમાં લાંચરુશ્વત અને લાગવગ કેટલા પ્રમાણમાં છે એનું પ્રમાણ આપવાની જરૂર જ નથી. એક એક ખાતામાં એક એક મંત્રી, એને આધીન બીજા કેટલાયે ઉચ્ચ અમલદારે, તેમાં પણ આઈ. સી. એસ. જેવા હોદ્દા ધરાવનારા આ બધા આધુનિક શિક્ષણ પામેલા અને મેટેભાગે દેશપરદેશમાં ફરેલા. તેમને રુઆબ અને દમામ જોતાં એમ લાગે કે તેઓ દેવના દીકરા છે. સામાન્ય માણસ તે એમની બુદ્ધિ, એમનાં ભણતર વિશે સાંભળીને જ આભે થઈ જાય. છતાં આપણે જોઈએ છીએ કે એમાંથી હજી સુધી તે એક પણ માઈનો લાલ એ નથી નીકળ્યો કે જે સરકારી તંત્રના મુખ્ય સડાને દૂર કરવાની કોઈ જડીબુટ્ટી બતાવી શક્યો હોય. આવી સ્થિતિમાં છૂટથી ફરિયાદ કરવા પૂરતું સ્વરાજ્ય પ્રાપ્ત થયા બાદ જે લેકે એમ કહ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249176
Book TitleSwarajyane Chatthe Varshe
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Society
File Size157 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy