SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરાજ્યને છકે વર્ષે [૧૭૧ કરે કે સરકારી તંત્ર ઉપર આવનારા અમલદારે અને નોકરે લાંચની બદીથી મુક્ત નથી અને લાગવગ એ તે તેની ભૂમિકા છે, તે પ્રજાને દેશ દઈ નહિ શકાય. મેટા મેટા વ્યાપારીઓ લેભવશ પ્રજાદ્રોહ કરી સરકારને ઠગે તે એ સમજી શકાય, પણ કેટલાક સરકારી હોદ્દેદારે જ સરકારને ઠગે તે એ મહેલ રેતી ઉપર ઊભા છે એમ કેઈ પણ કહી શકે. જેઓએ સરકારને ધોખો આ હાય—-પછી તે વ્યાપારી હોય કે અમલદાર–તેમને સખત નસિયત કરવામાં જેટલું મોડું થાય છે તેટલું જ લેકેને ઉકળાટ વધે છે; અને બીજી બાજુથી લાંચ આપનાર અને લેનાર એમ સમજતા થઈ જાય છે કે ચાલતું હોય તેમ ચાલશે. કાંઈ આફત આવશે તે જોયું જશે, કેમ કે તેમને નથી હેતે તરત શિક્ષા થવાનો ભય, કે નથી હેતે સખત નસિયત થવાને ભય. કરેડના ગોટાળા કરનાર વ્યાપારીઓ અને અમલદારો સુખે શા માટે સૂવા જોઈએ ? તેમણે છેવટે તે પ્રજાનું જ લેહી ચૂસ્યું છે; અને લોહી ચુસનારને એક પણ માણસને ફાડી ખાનાર જંગલી પ્રાણી જે ગાળીનું નિશાન મનાતું હોય તો આવા ઊજળા દેખાતા વ્યાપારીઓ અને અમલદારે, જે આખી પ્રજાનું સીધી કે આડકતરી રીતે લેહી પીતા હોય, તેઓ તુરતાતુરત સખત, સજાને પાત્ર કેમ ન બનવા જોઈએ? એટલે સરકારી સડો દૂર કરવાની જવાબદારી પણ સરકારી તંત્રની જ છે. એમ કહ્યું નહિ ચાલે કે પ્રજા લાંચ ન આપે તે અમલદારે ન લેભાય. પ્રજા અભણુ છે, અસંસ્કારી છે, શિસ્તબદ્ધ નથી, એમ સમજીને જ તે સરકાર ચાલે છે. એટલે એણે પિતાના તંત્રને વહેલામાં વહેલું સડામુક્ત કરવા તરફ જ લક્ષ આપવું ઘટે છે. છેલ્લાં પાંચ વર્ષોની સડની ફરિયાદે બ્રિટિશ અમલના સડાને ભુલાવી દીધો છે. પ. આજે પ્રજા એમ તે જાણે છે કે રાજ્યકર્તા અમારા જ ભાઈઓ છે ને અમારામાંથી જ તેઓ અમારી સંમતિથી આગળ આવ્યા છે, પણ સાથે સાથે પ્રજા એમ પણ સમજી રહી છે કે હેદેદારે–-ખાસ કરીને મેટા હોદ્દેદારે-જે પગાર લે છે તે સેવા અર્થે નીકળેલને ન શોભે તેવો છે. જે મેંધવારીનું બહાનું આગળ ધરવામાં આવે તે પ્રજા એમ કહે છે કે મેંઘવારી તે સૌને છે. વળી સામાન્ય પ્રજાજન કરતાં અને સાધારણ કટિના સરકારી નોકરી કરતાં ઊંચી કોટિના અમલદારોને પોતાના તંત્ર વિશે અને પિતાના. જીવન વિશે વધારે આત્મશ્રદ્ધા હોવી જોઈએ. તે એ અર્થમાં કે અમે કશે સંગ્રહ નહિ કરીએ તોપણ કદી ભૂખે મરવાના નથી કે અમારાં બાળબચ્ચાં હેરાન થવાનાં નથી. જે તેમનામાં આવી ઊંડી શ્રદ્ધા ન હોય તે સહેજે જ તેમનાં મન પગારના ધેરણ પર ઢીલા રહેવાનો અને જેટલું મળતું હોય તે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249176
Book TitleSwarajyane Chatthe Varshe
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Society
File Size157 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy