________________
ધર્મ અને પથ
[૭]
પહેલામાં એટલે ધર્મમાં અંતર્શન હોય છે, એટલે તે આત્માની. અંદરથી ઊગે છે અને તેમાં જ ડેકિયું કરાવે છે કે તે તરફ જ માણસને વાળે છે; જ્યારે બીજામાં એટલે પંથમાં બહિર્દર્શન હોય છે, એટલે તે બહારના વાતાવરણમાંથી જ અને દેખાદેખીમાંથી જ આવેલ હોય છે, તેથી બહાર જ નજર કરાવે છે અને માણસને બહારની બાજુ જોવામાં જ રોકી રાખે છે.
ધર્મ એ ગુણજીવી અને ગુણાવલંબી હોવાથી તે આત્માના ગુણો ઉપર જ રહેલો હોય છે, જ્યારે પંથ એ રૂપજીવી અને રૂપાવલંબી હોવાથી તેનો બધે આધાર બહારના રૂપરંગ અને ડાકડમાળ ઉપર હોય છે. તેથી તે પહેરવેશ, કપડાનો રંગ, પહેરવાની રીત, પાસે રાખવાનાં સાધનો અને ઉપકરણની ખાસ પસંદગી અને આગ્રહ કરાવે છે.
પહેલામાં એકતા અને અભેદના ભાવે ઊઠે છે અને સમાનતાની ઊર્મિએ ઊછળે છે; જ્યારે બીજામાં ભેદ અને વિષમતાની તરાડો પડતી અને વધતી જાય છે. એટલે પહેલામાં માણસ બીજા સાથે પિતાને ભેદ ભૂલી અભેદ તરફ જ મૂકે છે, અને બીજાના દુઃખમાં પિતાનું સુખ વીસરી જાય છે; અથવા એમ કહો કે એમાં એને પોતાનાં જુદાં સુખ-દુઃખ જેવું કાંઈ તત્વ જ નથી હોતું; જ્યારે પંથમાં માણસ પિતાની અસલની અભેદ ભૂમિને ભૂલી ભેદ તરફ જ વધારે અને વધારે મૂકતા જાય છે અને બીજાનું દુઃખ, એને અસર નથી કરતું, પિતાનું સુખ એને ખાસ લલચાવે છે, અથવા એમ. કહો કે એમાં માણસનાં સુખ અને દુઃખ સૌથી છૂટાં જ પડી જાય છે. એમાં માણસને પિતાનું અને પારકું એ બે શબ્દ ડગલે ને પગલે યાદ આવે છે.
પહેલામાં સહજ નમ્રતા હોવાથી એમાં માણસ લઘુ અને લકે દેખાય છે. તેમાં મોટાઈ જેવી કોઈ વસ્તુ જ નથી હોતી અને ગમે તેટલી ગુણસમૃદ્ધિ કે ધનસમૃદ્ધિ છતાં તે હમેશને માટે સૌ કરતાં પોતાને ના જ દેખે છે; કારણ કે, ધર્મમાં બ્રહ્મ એટલે સાચા જીવનની ઝાંખી થવાથી તેની વ્યાપકતા, સામે માણસને પિતાની જાત અલ્પ જેવી જ ભાસે છે, જ્યારે પંથમાં એથી ઊલટું છે. એમાં ગુણ કે પૈભવ ન પણ હોય છતાં માણસ પિતાને બીજાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org