SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અને પથ _ ૩૭ મે માને છે અને તેમ મનાવવા યત્ન કરે છે. એમાં નમ્રતા હોય તે તે -બનાવટી હોય છે અને તેથી તે માણસને મેટાઈને જ ખ્યાલ પૂરું પાડે છે. એની નમ્રતા એ મેટાઈને માટે જ હોય છે. સાચા જીવનની ઝાંખી ન હોવાથી અને ગુણોની અનન્તતાનું તેમ જ પિતાની પામરતાનું ભાન ન હોવાથી પંથમાં પડેલે માણસ પિતામાં લધુતા અનુભવી શકતું જ નથી, માત્ર તે લઘુતા દર્શાવ્યા કરે છે. ધર્મમાં દષ્ટિ સત્યની હોવાથી તેમાં બધી બાજુ જોવા-જાણવાની ધીરજ અને બધી જ બાજાઓને સહી લેવાની ઉદારતા હોય છે. પંથમાં એમ નથી હોતું. તેમાં દષ્ટિ સત્યાભાસની હોવાથી તે એક જ અને તે પણ પિતાની બાજુને સર્વ સત્ય માની બીજી બાજુ જોવા-જાણવા તરફ વલણ જ નથી આપતી, અને વિધી બાજુઓને સહી લેવાની કે સમજી લેવાની ઉદારતા પણ નથી અર્પતી. ધર્મમાં પિતાનું દોષદર્શન અને બીજાઓના ગુણનું દર્શન મુખ્ય હોય છે, જ્યારે પંથમાં તેથી ઊલટું છે. પંથવાળો માણસ બીજાના ગુણો કરતાં દિ જ ખાસ જોયા તેમ જ ગાયા કરે છે, અને પિતાના દોષો કરતાં ગુણે જ વધારે જોયા તેમ જ ગાયા કરે છે, અથવા તે એની નજરે પિતાના દે ચડતા જ નથી. ધર્મગામ કે ધર્મનિક માણસ પ્રભુને પિતાની અંદર જ અને પિતાની આસપાસ જ જુએ છે. તેથી તેને ભૂલ અને પાપ કરતાં પ્રભુ જોઈ જશે એવો ભય લાગે છે, તેની શરમ આવે છે; જ્યારે પંચગામી માણસને પ્રભુ કાં તે જેરૂસલેમમાં, કાં તો મક્કા-મદીનામાં, કાંતો બુદ્ધગયા કે કાશીમાં અને કાં તો શત્રુંજય કે અષ્ટાપદમાં દેખાય છે અથવા તે વૈકુંઠમાં કે મુકિતસ્થાનમાં હોવાની શ્રદ્ધા હોય છે. એટલે તે ભૂલ કરતાં પ્રભુથી પિતાને વેગળો માની, જાણે કોઈ જાણતું જ ન હોય તેમ, નથી કેઈથી ભય ખાતો કે નથી શરમાતો. એને ભૂલનું દુઃખ સાલતું જ નથી અને સાથે તે ફરી ભૂલ ન કરવાને માટે નહિ. ધર્મમાં ચારિત્ર ઉપર જ પસંદગીનું ધોરણ હોવાથી તેમાં જાતિ, લિંગ, ઉમર, લેખ, ચિહ્નો, ભાષા અને બીજી તેવી બહારની વસ્તુઓને સ્થાન જ નથી, જ્યારે પંથમાં એ જ બાહ્ય વસ્તુઓને સ્થાન હોય છે. કઈ જાતિને? પુરુષ કે રઝી ? કઈ ઉમરનો ? વેશ શું છે? કઈ ભાષા બોલે છે ? અને કઈ રીતે ઊઠે કે બેસે છે?—એ જ એમાં જોવાય છે; અને એની મુખ્યતામાં ચારિત્ર બાઈ જાય છે. ઘણી વાર તે લેકમાં જેની પ્રતિષ્ઠા ન હોય એવી જતિ, એવું લિંગ, એવી ઉમર કે એવા વેશ કે ચિહ્નવાળામાં જે ખાસું ચારિત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249158
Book TitleDharm ane Panth
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Religion
File Size104 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy