________________
શ્રમણભગવત-૨
૪૭ અર્ધ શતાબ્દી સમારકગ્રંથ' પણ પ્રકાશિત થયેલ છે, જેના લેખક અને સંપાદક પૂ. મુનિશ્રી મૃગેન્દ્રમુનિજી મહારાજ છે, જેઓ પૂ. આ. શ્રી ચિદાનંદસૂરિજીના શિષ્ય અને શિશુ છે. ત્યાર બાદ, હમણ જ, સં. ૨૦૪૭માં, પૂજ્ય મુનિપ્રવર શ્રી મોહનલાલજી મહારાજના મુંબઈપ્રવેશને ૧૦૦ વર્ષ પૂરાં થતાં તે નિમિત્ત, તા. ૧-૬-૯૧ થી તા. ૯-૬-૯૧ સુધી મુંબઈ, ભાયખલા મુકામે પૂજ્યપાદ મુનિપ્રવર શ્રી મોહનલાલજી મહારાજ વિહાર–શતાબ્દીને ભવ્ય કાર્યક્રમ-મહત્સવ ગાધિપતિ પૂ. આચાર્ય શ્રી ચિદાનંદસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આચાર્ય શ્રી યશોભદ્ર સૂરીશ્વરજી (ડહેલાવાળા ) મહારાજ તથા વિશાળ મુનિમંડળની નિશ્રામાં–ઉપસ્થિતિમાં ઉજવાયો હતા. આ મહોત્સવમાં મુંબઈના સમસ્ત શ્રીસંઘે સામેલ થયા હતા. આ ઐતિહાસિક શતાબ્દી પ્રસંગની કાર્યવાહીમાં પૂ. મુનિશ્રી મુક્તિપ્રભમુનિજી મહારાજ, પૂ. મુનિશ્રી સુયશમુનિજી મહારાજ અને પૂ. મુનિશ્રી વિનીતભમુનિજી મહારાજે ભારે જહેમત ઉઠાવીને પ્રસંગને સફળતા
કાકી:
*
સામે જ
દિક
પૂ. મુનિશ્રી મુક્તિપ્રભમુનિજી મ. પૂ. મુનિશ્રી સુયશમુનિજી મ. પૂ. મુનિશ્રી વિનીતભમુનિજી મ. અપાવી હતી. આ યાદગીરી પૂજ્યશ્રીને જીવનને યાવચંદ્રદિવાકર અજર-અમર બનાવશે. ઉપરાંત, મુંબઈની ધર્મપ્રાણ જૈનજનતા પૂજ્યશ્રીના ઉપકારોની હંમેશ માણી રહેશે. એવા એ વિરલ વિભૂતિ સાધુવને કેટ કેટિ વંદના ! (સંકલન : પ્રા. ડે. મુગટલાલ પી. બાવીસી.)
અનેક ગુણરૂપી પુપોથી નંદનવન સમાન ઉગ્ર તપસ્વી
શાસ્ત્રવિશારદ–બાલબ્રહ્મચારી પૂ. આચાર્યશ્રી નિપુણપ્રભસૂરીશ્વરજી મહારાજ
મેવાડના વસી ગામમાં સુશ્રાવક ખરતાજીને ત્યાં નવલમલજી તરીકે સં. ૧૯૬૦ના જેઠ સુદ ૧૪ના જન્મ લઈ, સુરત પાસે મરેલી ગામમાં તેમનાં ફેઈને ત્યાં પ્રાથમિક શિક્ષણ લીધું. ૧૬ વર્ષની યુવાન વયે સુરતના ધર્મનિષ્ઠ વ્રતધારી સુશ્રાવક શ્રીકૃષ્ણાજી જોધાજીને ત્યાં
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org