SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવ તા-૨ ખાતે ખુલ્લી મુકાયેલી શ્રી. મહાવીર હાસ્પિટલના વિશાળ હોલમાં પૂ. મુનિશ્રી યજ્ઞેાવિજયજી મહારાજની પ્રેરણાથી તૈયાર કરાયેલાં ભગવાન મહાવીરનાં જીવન-કવન અંગેનાં ભીતચિત્રા હેાસ્પિટલના ઉદ્ઘાટન પ્રસ`ગે વડાપ્રધાન શ્રી મેારારજી દેસાઈએ ખૂબ જ એકાગ્ર ચિત્તે નિહાળ્યાં હતાં. મનને મુગ્ધ કરનારાં સુંદર ભાવવાહી ચિત્રા અને તેની ત્રણ ભાષામાં અપાયેલ ચિત્રા વિશેની સમજૂતી પાછળ રહેલી પૂજ્યશ્રીની આગવી દ્રષ્ટિની શ્રી દેસાઈ એ ભારોભાર પ્રશ ંસા કરી હતી. આ ચિત્રસ ંપુટનાં જ ચિત્રો ઉપરથી મુંબઈ-ધાટકે પર-સર્વોદય હાસ્પિટલ, જયપુર વગેરે અનેક સ્થળોએ આરસનાં ચિત્રો અન્યાં છે. ઉપરાંત, કાપડ ઉપર, હાથીદાંતમાં એમ વિવિધ માધ્યમ ઉપર આ ચિત્રો બન્યાં છે, કેટલેક સ્થળે ગેલેરીએ પણ તૈયાર થઈ રહી છે. ચિત્રસંપુટમાં આપેલાં ચિત્રો, પ્રતીકો, ખેડ રાના ઉપયેગ સે કડા લોકોએ વિવિધ રીતે કર્યાં છે. આજે છપાતી ઘણી કંકોતરીએમાં આ પુસ્તકની એડ રાનું અનુકરણ થાય છે તેની નોંધ કરીએ તે ઘણી લાંબી થાય. શ્રી મહાવીર ભગવાનની ઉજવણી કમિટી : ભગવાન મહાવીરસ્વામીના ૨૫૦૦મા નિર્વાણુ મહેૉત્સવ અંગે રાષ્ટ્રીય સમિતિમાં જૈન સમાજમાં અગ્રણીઓની સલાહ લઈ ને ભારત સરકારે પૂજ્યશ્રીની ચાગ્યતા પિછાણીને તેમની અતિથિવિશેષ તરીકે નિમણુક કરી હતી. સરકારે તેઓશ્રી સાથે સવિનય પત્રવ્યવહાર કર્યાં હતા. અજાણતાં પણ જૈન શાસ્ત્ર કે સંસ્કૃત વિરુદ્ધ કોઈ આયેાજન ન થઈ જાય તેની ભારે તકેદારી રાખી હતી. પૂજ્યશ્રીએ સરકારશ્રી પાસે અહિંસા વગેરે વિષે ઘણા કાર્ય ક્રમે કરાવ્યા હતા. એ વખતે દિલ્હીથી અનેક રાજદ્વારી નેતા પૂજ્યશ્રીને મળવા વાલકેશ્વર મુંબઈ આવતા હતા. જૈન આગેવાનો, વિદ્વાને, સામાજિક કાર્ય કરે પણ આવતા હતા. આ પ્રસંગે મુંબઈમાં જે ભવ્ય ઉજવણી થઈ તેમાં પૂજ્યશ્રીના ગુરુદેવેાની કૃપા વડે તેએશ્રીના મહત્ત્વને ફાળેા હતે. આકાશવાણીનાં સાત કેન્દ્રો પરથી એક વરસ સુધી ચાલે તેટલાં સ્તવના, ગીતા અને સંવાદોની રજૂઆતે માટેનુ આયેાજન પૂજ્યશ્રીએ કરી આપ્યું હતું. એક પુસ્તક થાય એટલી કામગીરી તે વખતે તેએશ્રીએ કરી હતી. જૈનધ્વજ અને જૈનપ્રતીકનુ આયેાજન કરવામાં પણ પૂજ્યશ્રીએ મુખ્ય ભાગ ભજજ્ગ્યા છે. રાષ્ટ્રપતિ શ્રી વી. વી. `રે અને પૂજ્યશ્રી : તા. ૨૨-૭-૭૪ના રોજ પૂ. મુનિરાજ શ્રી યશે.વિજયજી મહારાજના શુભ હસ્તે ભગવાન શ્રી મહાવીની ભવ્ય મૂર્તિ અ`ણુ કરવાની હોવાથી તે નિમિત્તે ભારતના રાષ્ટ્રપતિ શ્રી વી. વી. ગિરિને મુંબઈ વાલકેશ્વર શ્રી આદિનાથ જૈન મંદિરના દર્શન કરી, ઉપાશ્રયમાં પધારતાં પૂ. ગુરુદેવાની અધ્યક્ષતામાં હાથીદાંતની ભવ્ય મૂતિ, એ ઐતિહાસિક સમાર ંભમાં ભારે જયનાદો વચ્ચે અર્પણ થઈ હતી અને વાસક્ષેપ દ્વારા તેમણે આશીર્વાદ લીધા હતા. મુનિજીના વ્યક્તિત્વથી તેએ ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ સમારંભમાં એસ. બી. ચૌહાણ અને શહેરની પ્રથમ પક્તિની વ્યક્તિએ ઉપસ્થિત હતી. બીજા દિવસે રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં, રાજભવનમાં મુંબઈના ૩૦૦ અગ્રણી, જેમાં હિન્દુ, મુસલમાન, પારસી ધર્માંગુરુ સામેલ હતા, તે સની હાજરીમાં પૂજ્યશ્રીને અભિનંદન આપવાના તેમ જ શાલ ઓઢાડી બહુમાન કરવાને નિર્ણય લેવાયેા હતેા. પણ ખૂબ જ આગ્રહભરી વિનંતિ કરવા છતાં તેઓશ્રીએ આ સન્માન માટે અશક્તિ દર્શાવી Jain Education International 2010-04 પ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249127
Book TitleVijay Yashodevsuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages20
LanguageGujarati
ClassificationArticle & Story
File Size533 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy