________________
શ્રમણભગવ તા
૩ર૩
પ્રદૂષણ પ્રવતી રહ્યાં હતાં તેને ચિતાર શ્રી આનંદઘનજી અને મહે॰ યશવિજયનાં પદો, સ્તવન, સયા વગેરેમાં જોવા મળે છે. આમ, આ સમય પાનખરને અને વસંતના – એમ બંને રીતે પ્રતિત હતા એમ કહી શકાય.
શ્રી આનદધનજીએ કયા ગચ્છમાં દીક્ષા લીધી તે અંગે મતમતાંતર પ્રવર્તે છે. તેમ છતાં, તેમના સમાગમ વગેરે જોતાં તેએ ‘તપાગચ્છ 'ના હાય એમ વધુ બનવાજોગ છે. જો કે, તેમનું મેટા ભાગે એકાંતમાં કે જગલમાં અધ્યાત્મ-ચેગસાધનાથે રહેવાનું જે અલગારીપણુ હતું, તેથી ગચ્છ કે સપ્રદાયથી તે તેઓ પર જ હતા. એટલું જ નિહ, તેમનું જીવન અને કવન કોઈપણને પોતાના માનવા પ્રેરે એવું સર્વવ્યાપક પણ હતું. આવી પ્રતીતિ આપણને તેમની નિમ્ન કાવ્યકૃતિઓમાં તરત જોવા મળે :
*
રામ કહે રહેમાન કા, કાઉ કાન કહેા મહાદેવ ;િ પારસનાથ કહે કોઉ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવ રિ. ભાજન ભેદ કહાવન નાના, એક કૃત્તિકા રૂપ ;િ તૈસે ખંડ કલ્પનારેાપિત, આપ અબડ સ્વરૂપ ર. પસે. રૂપ પરસકે કહિયે, બ્રહ્મ ચીન્હેસે બ્રહ્મ ;િ । ઇહિ વિધિ સાધેા આપ, ‘ આનધન ’ચેતનમય નિષ્કર્
આજથી લગભગ ૨૭૫ વર્ષ પહેલા થઈ ગયેલા યાગીવય શ્રી આન ધનજીનાં સ્તવનામાં ભક્તિયેાગ છે, જ્ઞાનયેગ છે, સમર્પણુયાગ છે; તેમ જ શ્રી જિનાગમેાનાં સઘળાં રહસ્યો છે, આ સ્તવના એક એવા મહાપુરુષનું સર્જન છે કે જેમની સાતે ધાતુમાં, દશ પ્રાણામાં, પાંચ ઇન્દ્રિયામાં અને છટ્રૂડા મનમાં તેમ જ સાડા ત્રણ કરોડ રૂવાડાંમાં પરમાત્મક્તિ પ્રતિષ્ઠિત હતી. જેમનામાં અસ્થિમજાવત્ પરમાત્મભક્તિની પાવનકારી ગંગા અહર્નિશ વહેતી હતી.
આનંદઘન ચાવીશી : વ`માન અવર્પિણી કાળના ૨૪ તીર્થંકરદેવાનાં આ ૨૪ સ્તવનામાં ક્રમશઃ અધ્યાત્મ રવિના વધતા જતે ઉદ્યોત વર્તાય છે. આનંદધન એ અંતરતમ આત્મા છે. અણુ અણુમાં વ્યાપ્ત અંતર્યામી છે. સ` નિકટવર્તી પદાર્થોથી વધુ નિકટ આત્માના સ્વભાવને સ્વ-ભાવ-ભૂત બનાવીને જીવવા માટે ચેાગીવર્ય શ્રી આનંદઘનજીનાં આ ચાવીસે સ્તવને એક અર્જુડ ઇલાજ છે. બધાં સ્તવનામાં આનંદઘન આત્માની વાણી છે, આનંદઘન આત્માના ઉર્જાસ છે, આનંદઘન આત્માની પ્રતિષ્ઠા છે. પ્રત્યેક સ્તવનમાં સાધકની આગવી છટા છે. આત્મિક ખુવારીની હુવા છે, યાગ અને અધ્યાત્મની સ્પનાનું સંગીત છે. કબળ અને ધબળનું નિવ પ્રતિપાદન અને ષડૂદનની સ્પષ્ટતા છે, અવંચક આદિ ત્રણ યોગાનું નિરૂપણ છે, સમ્યક્ત્વ ગુણનું પ્રતિપાદન છે. અઢાર મુખ્ય દાષાથી સર્વથા રહિત શ્રી જિનેશ્વરદેવના અચિંત્ય સામર્થ્યનુ વિરાટ સ્વરૂપે નિરૂપણ છે. આ સ્તવને એ ઉત્કૃષ્ટ ભક્તિવરની ઉત્કૃષ્ટ જિનભક્તિના ઉત્કૃષ્ટ અંતરોદ્ગાર છે. મહામહિમાશાળી આત્મદ્રવ્યના આવા આબેહૂબ નકશે અન્યત્ર ભાગ્યે જ નીરખવા મળે છે. જેમ જન મહાકવિ ગેટે મહાકવિ કાલિદાસના શાકુંતલ ને માથે મૂકીને
Jain Education International 2010-04
For Private & Personal Use Only
:
www.jainelibrary.org