SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવ તા જૈનશાસન અને સયમધર્મની રક્ષા માટે અભૂતપૂર્વ પરાક્રમ દાખવનારા અને જેમના નિણ યથી સંવત્સરી મહાપર્વની આરાધના પાંચમની ચેાથના . આજ પર્યંત પ્રવતી રહી છે. એવા આચાર્ય શ્રી કાલકસૂરિ (બીજા કાલકાચાર્ય) મહારાજ ધરક્ષા અને સંયમરક્ષા માટે ઝઝૂમનાર એકલવીર આચાર્ય કાલકસૂરિ ( ખીજા કાલકાચા )નું નામ જૈન ઇતિહાસમાં સુપ્રસિદ્ધ અને સંસ્મરણીય છે. આચાય કાલકસૂરિએ પશ્ચિમમાં છેક ઇરાન સુધી વિહાર કર્યાં હતા. તેમના આ વિહાર ધ રક્ષા અને સંચમરક્ષા માટે જ હતા, અને તે અનિવાય હતે. ૧૫ શ્રી કાલકસૂરિના જન્મ ધારાવાસ નામના નગરમાં થયેા હતે. ત્યાંના રાજા વીરસ અને રાણી સુરસુ ંદરીના તેઓ કુંવર હતા. તેમની બહેનનું નામ સરસ્વતી અને તેમનુ પોતાનું નામ કાલક હતું. એક વખત કુમાર કાલક સામતા સાથે ઘેાડા ઉપર બેસી નગર બહાર જઈ રહ્યા હતા. બહાર ઉદ્યાનમાં તેમણે શ્રી ગુણાકરસૂરિ નામના જૈનાચાય ને ઉપદેશ આપતા જોયા. તેમની ત્યાગગર્ભિત ધીર-ગંભીર અને હૃદયસ્પર્શી વાણી સાંભળી તેમને વૈરાગ્ય ઊપજ્યું. રાજમહેલે આવી માપિતાની અનુમતિ મેળવી. મહેન સરસ્વતીએ પણ દીક્ષા લેવાના નિણુ ય કરતાં, બંનેએ આચાર્ય ગુણાકરસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી. કાલકકુમાર હવે કાલક મુનિ બની ગયા. તેજ બુદ્ધિ અને તીવ્ર જ્ઞાનરુચિને કારણે અલ્પ સમયમાં તે જિનાગમેના પારગામી બની ગયા. ગુરુએ તેમને સ` રીતે ચેગ્ય જાણી આચાર્ય પદથી વિભૂષિત કર્યાં. એક વખત આચાર્યાં કાલકસૂરિ શિષ્યપરિવાર સાથે અવંતિ (ઉજ્જયિની) પધાર્યા. તેઓએ નગર બહાર ઉદ્યાનમાં સ્થિરતા કરી હતી. તેમનાં બહેનમહારાજ સાધ્વીજી સરસ્વતી પણ અતિ પધાર્યા હતાં. તે નામ પ્રમાણે સાક્ષાત્ સરસ્વતી જેવાં હતાં. દેખાવમાં રૂપ રૂપનો અંબાર હતાં. તે સમયે અવતિમાં ગદ્ય બિલ્લરાજા રાજ્ય કરતે હતા. તે ઘણા કામાંધ હતા. સાધ્વી સરસ્વતીના રૂપની તેને જાણ થતાં પેાતાના સૈનિકો દ્વારા તેનું અપહરણ કરાવ્યું. સાધ્વી સરસ્વતીએ ઘણી ચીસ પાડી અને અમે પાડી પણ રાજાની ભારે ધાકથી કોઇ ડાવવા આવ્યું નહી. આચાય કાલકસૂરિને આ ખબર મળતાં તુરત રાજસભામાં પધાર્યા; અને રાજા ગભિલ્લ સામે જોઈ ખેલ્યા કે, “હું રાજન્ ! વાડથી રક્ષિત ફળનું જો વાડ જ ભક્ષણ કરવા લાગે તે ફળની રક્ષા કેવી રીતે થાય? રક્ષક જે ભક્ષક અને તે દુઃખની વાત કાની પાસે જઈ ને કરવી ? આપ સમગ્ર પ્રજાના રક્ષક છે. આપના દ્વારા એક સાધ્વીજીનું અપહરણ થાય એ કૈાઇ રીતે ઉચિત નથી. માટે આપ તેને મુક્ત કરો. ’ આચાર્ય કાલકસૂરિએ ખૂબ ખૂબ સમજાણ્યે; પણ કામાંધ રાજા જરા પણ સમયે નહીં. મહાજને, ધજના, વિદ્વજનો, નગરજને અને મંત્રી આદિ રાજ્યાધિકારીઓએ પણ નિવેદન કર્યું ; પડેશના રાજાએ સુદ્ધાંએ અનેક પ્રયત્ન કર્યો; પણ મૂઢમતિ રાજાએ કોઈની વાત Jain Education International 2010-04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249062
Book TitleKalakasuri
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Story
File Size181 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy