SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવ તા ૧૨૯ સ્ક'દિલના નામથી છે. આ અને એક જ છે, પણ આગમવાચનાકાર સ્ફદિલથી આ યુગપ્રધાન સ્કંદિલ જુદા છે. શ્રી શ્યામાચા અને શ્રી ષાંડિલ્યાચાય – બન્નેને! જન્મ બ્રાહ્મણ પિરવારમાં થયે હતે. નદીસૂત્ર અનુસાર આચાયૅ શ્યામનું ગેાત્ર હારિત અને આચાય ાંડિલ્યનું ગોત્ર કૌશિક છે. આચાર્ય શ્યામના જન્મ વીરનિર્વાણુ સું. ૨૮૦માં અને આચાર્ય ષાંડિલ્યના જન્મ વીરનિર્વાણુ સ. ૩૦૬માં દર્શાવવામાં આવે છે. શ્રી શ્યામાચા : સ`સારથી વિરક્ત થઈ શ્યામાચાયે વીરનિર્વાણુ સં. ૩૦૦માં શ્રી ગુણાકરસૂરિ પાસે દીક્ષા લીધી હતી. દીક્ષા સમયે તેમની વય ૨૦ વર્ષની હતી. યુગપ્રધાનાચાય. ગુણસુંદરસૂરિ અને વાચનાચાર્ય સ્વાતિના સ્વર્ગવાસ પછી શ્યામમુનિએ વીરનિર્વાણુ સ’. ૩૩૫માં યુગપ્રધાનાચા તથા વાચનાચાર્ય એ બંનેય પદવીનું ઉત્તરદાયિત્વ સંભાળ્યું હતુ. શ્રી શ્યામાચાની શ્રુતસાધના વિશિષ્ટ હતી. તે તે સમયના દ્રવ્યાનુયાગના પ્રકાંડ જ્ઞાતા અને જૈનસિદ્ધાંતના વિષયામાં સૂક્ષ્મ વ્યાખ્યાકાર હતા. ઇતિહાસમાં તેમની પ્રસિદ્ધિ નિંગાદના વ્યાખ્યાતા તરીકે થાય છે, જે પ્રસંગ શ્રી સીમ`ધરપ્રભુને કરાયેલા ઇન્દ્રના પ્રશ્ન અને પ્રભુજીએ આપેલે ઉત્તર શાસ્ત્રપ્રસિદ્ધ છે, જે આ રીતે છે: એક વખત સૌધમેન્દ્રે મહાવિદેહક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામી પાસે સૂક્ષ્મ નિગેાદની વિશિષ્ટ વ્યાખ્યા સાંભળી અને પ્રશ્ન કર્યો કે- — ભગવન્ ! ભરતક્ષેત્રમાં નિગેદ સંબંધી આવા પ્રકારની વ્યાખ્યા કરવાવાળા કોઇ મુનિશ્રમણ, ઉપાધ્યાય કે આચાય છે? ” સૌધમેન્દ્રના પ્રશ્નને ઉત્તર આપતાં શ્રી સીમ’ધરસ્વામીએ આચાય શ્યામનું નામ બતાવ્યું. સૌધર્મેન્દ્ર ભરતક્ષેત્રમાં વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં આચાર્ય શ્યામ પાસે આવ્યા. તેમના જ્ઞાનબળની પરીક્ષા કરવા માટે તેમણે પાતાના હાથ તેમની સામે ધર્યો. હસ્તરેખાના આધારે આચાર્ય શ્રી શ્યામે જાણ્યું કે, નવાગંતુક બ્રાહ્મણનું આયુષ્ય પત્યેાપમથી પણ વધારે છે. આથી આચાર્ય શ્રી શ્યામે તેમની સામે ગભીર ષ્ટિથી જોયું અને કહ્યું કે તમે મનુષ્ય નથી. દેવ છે. ” આ ઉત્તરથી સૌધમેન્દ્રને સતેષ મળ્યા અને નિાદનું સ્વરૂપ જાણવા ઇચ્છા કરી. આચાર્ય શ્રી શ્યામે નિાદનું સાંગોપાંગ વર્ણન કરી ઇન્દ્રને આશ્ચય ચક્તિ કર્યાં. પોતાના આગમનનું રહસ્ય ખુલ્લુ કરતાં સૌધર્મેન્દ્રે કહ્યું કે, મે... સીમ’ધરસ્વામી પાસે નિંગાદ સબધી જેવી દેશના સાંભળી તેવુ' જ વિવેચન આપની પાસે સાંભળી અત્યંત પ્રભાવિત થયે! છું. ' ,, દેવાની રૂપસ ́પત્તિ જોઈ કોઈ શિષ્યમુનિ નિયાણુ' ન બાંધી લે એ હેતુથી ભિક્ષાચર્યામાં ગયેલા મુનિમંડળના આગમન પહેલાં જ સૌધર્મેન્દ્ર શ્યામાચાય ની પ્રશંસા કરતાં કરતાં જવા લાગ્યા. શ્યામાચા શિષ્યાને સિદ્ધાંત પ્રત્યે અધિક આસ્થાશીલ કરવા માટેની દ્રષ્ટિથી એલ્યા, “ સૌધર્મ ન્દ્ર ! કોઈ પણ સાંકેતિક ચિહ્ન વિના શ્રમણા દેવાગમનની વાત કેવી રીતે જાણશે ?” આચાર્ય દેવની અનુજ્ઞા મેળવી સૌધર્મેન્દ્રે ઉપાશ્રયનુ દ્વાર પૂર્વમાંથી પશ્ચિમાભિમુખ કયુ. શ્રી શ્યામાચાયના શિષ્યા ગોચરી લઈને પાછા ફર્યાં ત્યારે તેઓ ઇન્દ્રના આગમનથી માંડીને દ્વારના સ્થાનાન્તર શ્ર, ૧૭ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249061
Book TitleShyamacharya tatha Shandilacharya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Story
File Size125 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy