SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ * પ્રાત:કાલીન કાર્યોથી પરવારી મંત્રી શકડાલ રાજસભામાં પહોંચ્યા. નમસ્કાર કરતી વખતે રાજાની મુખમુદ્રા અવળી જોઇ મહામત્રી ચિંતાના સાગરમાં ડૂબી ગયા. તે જાણતા હતા કે રાજાના કાપનું પરિણામ કેટલું ભય કર હોય છે ! તેમની નજર સામે પોતાના પરિવારના સમસ્તપણે વિનાશ ભયંકર રૂપે તરવરવા લાગ્યા. આ અપકીર્તિથી બચવા માટે અને સમસ્ત પરિવારને વિનાશમાંથી બચાવી લેવા માટે તેમને પાતાના પ્રાણના ત્યાગ કરવા સિવાય બીજો માર્ગ ધ્યાનમાં ન આવ્યા. તેમણે પાતાના ઘેર આવી પુત્ર શ્રીયકને કહ્યું કે, “ વત્સ ! કાઇક ચાડિયાના પ્રયત્નથી આપણા પરિવાર માટે સંકટના સમય ઉપસ્થિત થયેા છે. આપણને બધાને મેાતના ઘાટે ઉતારવાનો રાજકીય આદેશ ગમે તે ક્ષણે આવી શકે તેમ છે. પિરવારની રક્ષા અને યશ નિષ્કલંક રાખવા માટે મારા જીવનનુ અલિદાન આવશ્યક છે. એ કા હે પુત્ર! તારે જ કરવું પડશે. આથી હું જ્યારે રાજાના ચરણામાં નમસ્કાર કરું તે જ વખતે તારે નિશ્ચલ બની તીક્ષ્ણ તલવારથી મારે શિરચ્છેદ કરવા પડશે. આવા સમયે પ્રાણના મેહ તે અદ્રદર્શિતાનુ પરિણામ સાબિત થશે ! ' પિતાની વાત સાંભળી શ્રીયક સ્તબ્ધ બની ગયા. ઘેાડી વાર વિચાર કરી તે એલ્કે શાસનપ્રભાવન કે * પિતાજી ! પિતૃહત્યાનું આ નીચ કા મારાથી કેવી રીતે સંભવી શકે ? ” પુત્રની દુ લતાનુ સમાધાન કરતાં શકડાલે કહ્યું કે— હે વત્સ ! હું નમન કરતી વખતે મેમાં તાલપુર વિષ રાખીશ. તેથી તું પિતૃહત્યાના દોષને ભાગીદાર થઈશ નહિ.” રાજભયથી ત્રસ્ત પિતાની સામે શ્રીયકને પિતાના આ કઠેર આદેશ અન્યમનસ્ક ભાવથી સ્વીકારવા પડ્યો. * પિતાપુત્ર અને રાજસભામાં આવ્યા. રાજનીતિકુશળ મંત્રી શકડાલ મસ્તક નમાવી રાજૂ નંદને પ્રણામ કરવા લાગ્યા; ત્યારે બુદ્ધિમાન શ્રીયકે પિતાના નમન કરવા ચેાગ્ય મસ્તકને શસ્ત્રપ્રહારથી ધડથી જુદું કરી નાખ્યું. આ ઘટનાએ એક જ ક્ષણમાં રાન્ત નંદના વિચારોમાં ઊથલ-પાથલ મચાવી દીધી. શ્રીયકની સામે પોતાનાં રક્તનેત્રથી જોતાં રાજા નંદે કહ્યું કેવત્સ ! તેં આ શું કર્યું ? ” શ્રીયકે નિર્ભીક સ્વરોમાં કહ્યું કે—“ રાજન્ ! આપની દૃષ્ટિમાં જે રાજદ્રોહી દેખાય તે ભલે પિતા હાય, તે પણ નદના મંત્રીપરિવાર તેને સહન કરી શકતા નથી. ’’ શ્રીયકની રાજપરિવાર પ્રત્યેની અતૂટ શ્રદ્ધા જોઇ નંદની પાસે મહા-અમાત્ય શંકડાલની અતૂટ રાજભક્તિનું ચિત્ર ઉપસ્થિત થયું. રાજ્યની સુરક્ષા માટે તેણે કરેલી સેવાએ રાજા નદના મસ્તકમાં તરવરવા લાગી. અતીતનું વમાનમાં પરિવર્તન થઈ શકતું નથી. સુદક્ષ મ ́ત્રીને ખાઇ દેવાથી રાજાનું મન ભારે ખિન્ન થઈ ગયુ. મહા-અમાત્ય શકડાલના રાજસન્માન સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યેા. વત્સ ! “ મહેશ ! મહામ`ત્રી શકડાલની ઔવ દૈહિક ક્રિયા કર્યા પછી રાન્ત નઅે શ્રીયકને કહ્યું કે તમે સ` વ્યાપારસહિત મત્રીમુદ્રાને ગ્રહણ કરે. ' ત્યારે શ્રીયકે નમ્ર સ્વરે કહ્યું કેમારા પિતાતુલ્ય વડીલ ભ્રાતા કશા ગણિકાને ત્યાં નિવાસ કરી રહ્યા છે. તેમણે આજે ભાગે ભાગવવામાં બાર બાર વર્ષે વિતાવ્યાં છે. તે જ ખરેખર આ પદને યોગ્ય છે.” રાજાનંદનુ નિમંત્રણ સ્થૂલિભદ્ર પાસે પહોંચ્યું. તેણે પિતૃહત્યાને સઘળે વૃત્તાંત જાણ્યા. રાજાની આજ્ઞાથી સ્થૂલિભદ્રે પ્રથમ વાર કોશાના પ્રાસાદમાંથી બહાર પગ મૂકયો. તે મસ્ત ચાલથી Jain Education International/2010/04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249058
Book TitleSthulibhadrasuri
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Story
File Size228 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy