________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
પહોંચે, એ ધ્યેયને લક્ષમાં રાખીને વિ. સં. ૧૯૬૫ના કારતક સુદ પાંચર્મ (જ્ઞાનપંચમીના પવિત્ર દિવસે) ઉપર્યુક્ત સંસ્થાની સ્થાપના માણસા (જિ. મહેસાણા) મુકામે થઈ. આ સંસ્થાએ નામ પ્રમાણે કામ કર્યું. આ સ્ટંસ્થા દ્વારા ગુજરાતી, સંસ્કૃત, હિંદી અને માગધીમાં અત્યાર સુધીમાં નાના-મોટા થઈને લગભગ ૧૨૫ જેટલા ગ્રંથો બહાર પડથા છે. આ ગ્રંથમાળાની વિશેષતા એ છે કે તેમાં તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, અધ્યાત્મયોગની સાધના, વિવેચનો—ભાષાંતરો, જીવનચરિત્રો અને સમાજસુધારણા આદિ વિવિધ વિષયોને લગતા ગ્રંથો પ્રકાશિત થયા છે. આ ગ્રંથો માત્ર અમુક નાતજાત, પ્રાંત, ધર્મ, ભાષા કે માન્યતાના લોકો માટે જ નથી પણ એક અદના માનવીથી માંડીને મોટા મોટા પ્રોફેસરો, વકીલો, ડૉક્ટરો, વિદ્વાનો, ઇતિહાસકારો કે ત્યાગી-મુનિઓ-સૌ કોઈને સમજાય તેવા અને ઉપયોગી, ઉપકારી તથા વ્યક્તિના દૈનિક જીવનને ઉન્નત બનાવવામાં ઉપયોગી થાય તેવા છે, આમાંથી નીચેના ગ્રંથો બહુજનસમાજ અને સાધકો માટે વિશેષ ઉપયોગી હોવાથી વાંચવાની ખાસ ભલામણ કરવામાં આવે છે :
..
(૧) સમાધિશતક ( ૨ ) પરમાત્મ દર્શન (૩) યોગદીપક
(૪) અધ્યાત્મ શાંતિ (૫) કર્મયોગ
(૬) અધ્યાત્મગીતા (૭) ધ્યાનવિચાર
(૮) આત્મશક્તિ પ્રકાશ (૯) આત્મદર્શન
(૧૦) આનંદઘનપદ ભાવાર્થસંગ્રહ (૧૧) શ્રીમદ્ દેવચંદ્રજી (૧૨) કુમારપાળ ચરિત્ર
(૧૩) યશોવિજય ચરિત્ર
(૧૪) અધ્યાત્મ ભજનસંગ્રહ (ભાગ ૧–૧૪) (૧૫) શુદ્ધોપયોગ
(૧૬) સામ્યશતક (૧૭) શિષ્યોપનિષદ
(૧૮) આત્માનું શાસન
શિષ્ય સમુદાય : આચાર્યશ્રીનો મુખ્ય રસ અને પ્રયત્ન તો શાશ્વતકાળ માટે રહેનારાં શાસ્ત્રો રચવામાં જ રહેતો, તેમ છતાં યોગાનુયોગે તેમણે કેટલાક ભવ્ય જીવોને દીક્ષા આપવાનું કાર્ય પણ બજાવ્યું. તેમના મુખ્ય શિષ્યો નીચે પ્રમાણે છે :
(૧) અજિતસાગર (૨) કીર્તિસાગર
(૪) અમૃતસાગર (૫) જીતસાગર (૬) ભૃદ્ધિસાગર
(૩) ભક્તિસાગર
અજિતસાગરજી અને કીર્તિસાગરજીની પરંપરામાં ઘણા પ્રભાવશાળી મુનિરાજો થયા, જેમાં સર્વશ્રી કૈલાસસાગરજી, સુબોધસાગરજી, પદ્મસાગરજી વગેરે અનેકે શાસન પ્રભાવનાનાં રૂડાં કાર્યો કર્યાં. આજે પણ તે પરંપરા સારી રીતે સત્કાર્યરત છે. મહુડી તીર્થ ખૂબ વિકાસ અને લોકપ્રિયતાને પામ્યું છે. પૂજ્યશ્રીની પરંપરાના મુનિઓ ભારતભરમાં પોતાના જ્ઞાન–ચારિત્રયુક્ત પ્રેરક, તેજસ્વી અને પ્રતિભાશાળી વ્યક્તિત્વથી સુંદર અને દીર્ધજીવી શાસન-પ્રભાવના કરી રહ્યા છે. બીજા રૂડાં કાર્યોની સાથે સાથે આ મુનિરાજો વિશાળ બિનસાંપ્રદાયિક દૃષ્ટિ અને અધ્યાત્મયોગની સાધનાને આગળ વધારવામાં અગ્રગણ્ય ભાગ ભજવશે, એમાં કંઈ શંકા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org