SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મવીર શ્રી વીરચંદ રાઘવજી ગાંધી છતાં ભારતનો આત્મા જીવંત રહ્યો છે, જાગ્રત રહ્યો છે. એનાં આચાર અને ધર્મ સાબૂત છે અને સારાયે વિશ્વને ભારત તરફ મીટ માંડીને જવું પડે છે. સંસ્કૃતિનાં લક્ષણ, ખેતી, કલાકારીગરી, સાહિત્ય, સદાચાર અને જ્ઞાનવિજ્ઞાનનાં સાધનો, અતિથિસત્કાર, નારીપૂજા, પ્રેમ અને આદર-બધું જ ભારતમાં કોઈ જુદા જ સ્વરૂપે જોવા મળે છે. ખરીદી શકાય એવી એ સંસ્કૃતિ હોત તો ઇંગ્લેન્ડ આ દેશમાંથી એને ખરીદી લઈ શકત, પોતાની બનાવી શકત, પણ એવું નથી બન્યું, નહિ બની શકે.” છેક, ઈ. સ. ૧૮૯૩ માં વીરચંદ રાઘવજી ગાંધીએ દેશના આર્થિક અને રાજકીય સ્વાતંત્ર્યની વાત કરી. એક વાર એમણે અમેરિકન લોકોને કહ્યું કે ભારત અત્યારે પરદેશી એડી નીચે કચડાયેલું છે. એ માત્ર ધાર્મિક ક્ષેત્રમાં સ્વાતંત્ર્ય ધરાવે છે, પણ ભારત સ્વતંત્ર થશે ત્યારે તે હિંસક માર્ગે કોઈ પણ દેશ પર આક્રમણ નહિ કરે. ૧૮૯૩માં ગાંધીજી માત્ર બૅરિસ્ટર હતા, તે સમયે વીરચંદભાઈએ આ ભવિષ્યકથન કર્યું હતું. એમની એ કલ્પના કેટલી બધી વાસ્તવિક સાબિત થઈ! આ ધર્મશાના અનોખા દ્વાનદ્રષ્ટા હતા. આ જગતની પેલે પારનું જોઈ શકે તે ક્રાન્તદ્રષ્ટા, વર્તમાનને વીધીને ભવિષ્યને જાણી શકે તે ક્રાન્તા . જ્યારે ભારતના રાજકીય સ્વાતંત્રયની ઉષાનું પહેલું કિરણ પણ ફૂટ્યું નહોતું ત્યારે વીરચંદભાઈએ એમ કહ્યું હતું કે હિન્દુસ્તાન આઝાદ થશે તો બધા દેશો સાથે શાંતિમય સહઅસ્તિત્વથી જીવશે. દેશને આઝાદી મળી તે અગાઉ પાંચ-પાંચ દાયકા પૂર્વે પેલે પારનું દર્શન કરતા વીરરચંદભાઈ, “The Jain Philosophy” વિશેના એમના પ્રવચનમાં કહે છે : “You know my brothers and sisters, that we are not an independent nation. We are subjects of Her Gracious Majesty Queen Victoria the defender of the faith', but if we were a nation in all that, name implies with our own government and our own rulers, with our laws and institutions controlled by us free and independent, I affirm that we should seek to establish and forever maintain peaceful relations with all the nations of the world." વિદેશમાં સન્માન અને પ્રચારકાર્ય: શ્રી વીરચંદભાઈનો એટલો પ્રભાવ પડ્યો કે વિશ્વધર્મપરિષદના આવાહકો અને વિદ્વાનોએ એમને રૌગચંદ્રક એનાયત કર્યો હતો. એ પછી ૧૮૯૪ની ૮મી ઑગસ્ટે કાસાડોગા શહેરના નાગરિકોએ એમને સુવર્ણચંદ્રક આપ્યો હતો. એમણે આ શહેરમાં “Some Mistake Corrected' અંગે પ્રવચન આપ્યું હતું. એ પ્રવચન પૂરું થયા પછી ફરી ફરી પ્રવચન કરવાનું કહેવામાં આવ્યું એમ બફેલો કોરિયર” નામનું અખબાર નોંધે છે. અમેરિકામાં એમણે “The Gandhi Philosphical Society' 2401 'The School of Oriental Philosophy ulkoil Q Rizelzuil સ્થાપના કરી. શિકાગોમાં “Society for the Education of Women of India નામની સંસ્થા સ્થાપી. આ સંસ્થાના મંત્રી શ્રીમતી હાવર્ડ હતાં કે જેમણે વીરચંદભાઈની પ્રેરણાથી શુદ્ધ શાકાહારી અને ચુસ્ત જૈન ધર્મ અપનાવ્યો હતો. સ્વામી વિવેકાનંદના www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.249005
Book TitleVirchand R Gandhi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji
PublisherZ_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Publication Year1988
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Story
File Size373 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy