________________
સિદ્ધહેમશબ્દાનુશાસન અને મલયગિરિશબ્દાનુશાસન કરી હતી. મલયગિરિ ચાન્દ્ર અને શાકટાયનને ઉલેખ કરે છે. હૈમવ્યાકરણની તેમાં ઘણી અસર હેવા છતાં હેમચન્દ્રને તેમાં ઉલ્લેખ નથી. કતત્રની યોજના પ્રમાણે તેણે સંધિ, નામ, આખ્યાત, કૃદન્ત અને તદ્ધિત એવા વિભાગો પાડયા છે. પિતાની ગ્રંથરચનામાં પોતાના વ્યાકરણને જ ઉપયોગ કરો એવી મહેચ્છા પૂર્ણ કરવા મલયગિરિનું વ્યાકરણ રચાયું છે. જૈન વ્યાકરણમાં મલયગિરિના શબ્દાનુશાસનનું મહત્વે પ્રમાણમાં ઓછું છે.
ઉપર જણાવ્યું તેમ જૈન ગ્રંથકારોમાં પોતાની પરંપરાનાં વ્યાકરણના અભ્યાસ અને તેમનો જ ઉપયોગ કરવાનું સ્પષ્ટ વલણ નજરે ચઢે છે. જૈન સાધુઓ અને વિદ્વાને આ અંગે હમેશાં ઉત્સાહી રહ્યા છે. દિવંગત પંડિત બેચરદાસજી આનું ઉત્તમ ઉદાહરણ છે.
પંડિતજીએ નાની વયથી જ સિદ્ધહેમશબ્દાનુશાસનને અભ્યાસ શરૂ કર્યો હતો અને આજીવન ચાલુ રાખ્યો હતો. સિદ્ધહેમપરંપરાના લગભગ બધા ગ્રંથને તમને અભ્યાસ સંક્રમ હતો. સમગ્ર હૈમસૂત્રપાઠ તેમના જિહવાગે હતા અને હૈમવ્યાકરણુસૂત્રોને તેઓ વારંવાર ઉલલેખ કરતા હતા. ગુજરાતનું પ્રધાન વ્યાકરણ નામના તેમના લેખમાં તેમણે સિદ્ધહેમશબ્દાનુશાસનને વિસ્તૃત પરિચય કરાવ્યું છે. ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ અંગેના, મુંબઈ યુનિવર્સિટીના આશ્રયે તેમણે આપેલાં વ્યાખ્યાનોમાં સિદ્ધહેમના પ્રાકૃત વ્યાકરણના તેમના અભ્યાસની સ્પષ્ટ છાપ દેખાઈ આવે છે.
પંડિતજીના વ્યાકરણવિષયક પાંડિત્યનો પરિચય તેમના મલયગિરિકૃત શબ્દાનુશાસનના શાસ્ત્રીય સંપાદન (અમદાવાદ, ૧૯૬૭) ઉપરથી મળે છે. તેરમા સૈકાની તાડપત્રીય હસ્તપ્રત અને પૂનાની હસ્તપત્ર ઉપરથી તેમણે આ સંપાદનકાર્ય કર્યું છે. હસ્તપ્રતો ઉપરથી ગ્રંથ સંપાદન કરનારા સંશોધકોને હસ્તપ્રતોની કેટલીક વિશિષ્ટતાઓ–સળંગ લખાણ, લેખનની વ્યક્તિનિક પદ્ધતિ અને વિરામચિહ્નોના લગભગ અભાવને કારણે સૂત્ર, વૃત્તિ, ઉદાહરણે અને પ્રત્યુદાહરણને જુદાં તારવીને વ્યવસ્થિતરૂપે મૂકવાનું મુશ્કેલ બને છે. વ્યાકરણશાસ્ત્રમાં સૂત્રોનાં એકસરખાં વૃત્તિ, વ્યાખ્યાન, ઉદાહરણ અને પ્રત્યુદાહરણની પરંપરા પતંજલિના સમયથી પ્રચલિત છે અને ઈસવી સનના અઢારમાં સૈકા સુધીના બધા વૃત્તિગ્રંથમાં તે પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિ જૈન વ્યાકરણપરંપરામાં પણ હોય તે સ્વાભાવિક છે. કાશિકા, ચાન્દ્રવૃત્તિ અને ન્યાસમાંની પરંપરા જૈનેન્દ્ર, શાકટાયન અને હેમચન્દ્રમાં દઢ બનીને મલયગિરિ સુધી પહોંચી છે. તેથી મલયગિરિના પાઠને વ્યવસ્થિત કરવામાં આ પરંપરા મદદરૂપ બને છે. તેની સાથે સાથે સંપાદક પાસેથી આ પરંપરાના પૂરેપૂરી જ્ઞાનની અપેક્ષા પણ રહે છે. પંડિતજીએ આવી અપેક્ષા પૂરી કરી છે. કાશિકાકાર, જૈનેન્દ્ર, શાકટાયન અને હેમચન્દ્રના ગ્રંથે તપાસીને તેમાંના વિધાનોની મલયગિરિનાં વિધાને સાથે તુલના કરીને સૂત્રા, વૃત્તિ અને ઉદાહરણને વ્યવસ્થિત રીતે રજુ કરવાનું મુશ્કેલ કાર્ય પંડિતજીએ સફળતાથી પાર પાડયું છે. હસ્તપ્રતોમાં વારંવાર પ્રાપ્ત થતા નાના કે મેટા ગ્રંથપાતાનું પુનઃસંધાન અને પુનનિર્માણ કરવું પડે છે. પંડિતજીએ નાના ગ્રંથપાતોનું પુનનિર્માણ અને પુનઃસંધાન કર્યું છે, અને તેમને યોગ્ય સંદર્ભોમાં ગોઠવીને ગ્રંથની સળંગસૂત્રતા જાળવી છે.
મલયગિરિના તેમના સંપાદનની પાદટીપ ઉપરથી પંડિતજીના સંપાદનકાર્યની બરાબર સ્પષ્ટતા થાય છે. કેટલાંક ઉદાહરણ જોઈશું. (૧) મૂળ પાઠમાં આવશ્યક સ્પષ્ટતા થાય તે માટે તેમણે વ્યાખ્યાન અને વૃત્તિ રજુ કર્યા છેઃ (24) वृत्तौ “स्थानगुणप्रमाणादीनां आसत्त्या" इत्यत्र 'आदि' शब्दनिदेशेन 'अर्थेन'
રૂલ્યા સંગ્રાહ્ય તસ્ય ૨ ૩M પૃ. ૪ પાદટીપ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org