SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ સાધ્વી શ્રી મૃગાવતીશ્રીજી : વિદ્યાથી અને શિક્ષકની...ભૂમિકા ૧૧૧ આથી ઊલટુ', જેમ હંસપક્ષી દૂધ અને પાણી મળી ગયાં હાય છતાં તેમાંથી માત્ર દૂધ દૂધ જ પી જાય છે અને પાણી પડતું મેલે છે, તેમ જે વિદ્યાથી શિક્ષકે કહેલી વાતા. માંથી સારસારરૂપ હકીકતા તારવીને મનમાં સંઘરી રાખે અને પાણી જેવા ભાગને પડતા મેલે, તે વિદ્યાર્થી વિદ્યાના અધિકારી ગણાય. પાડા તળાવમાં પાણી પીવા પડે છે તે તે બધું જ પાણી ડાળી નાંખે છે; એથી પેાતે ચાખ્ખું પાણી પી શકતેા નથી તેમ ખીજા' જાનવરો પણ ચાખ્ખુ પાણી મેળવી શકતાં નથી, તેમ જે છાત્ર, જ્યારે પાડૅ ચાલતા હાય ત્યારે, પોતાનું ડહાપણ બતાવવા શિક્ષકને આડીઅવળી નકામી વાતે પૂછી કે નકામી ચર્ચા ઊભી કરી વર્ગને-પાઠને ડાળી નાંખે તેથી તે પેાતે તે વિદ્યાને પામી ન શકે પણ વર્શીમાં બેઠેલા બીજા જિજ્ઞાસુએ પણ શિક્ષક દ્વારા સમજાવાતા પાઠને પામી શકતા નથી. આવેા વિદ્યાથી વિદ્યાને માટે પાત્ર ન કહેવાય. એથી ઊલટું, જેમ ઘેંટું પેાતાના અને ગોઠણ નીચે નાખી તળાવના પાણીને ડાળ્યા વગર જ પાણી પીવે છે અને ખીજા પશુઓ પણ ચાખ્ખુ' પાણી પી શકે છે, તેમ જે વિદ્યાથી ચૂપચાપ એકાગ્રમન થઈને ગુરુ દ્વારા અપાતી હકીકતાને સાંભળે, ગ્રહણ કરે, તેમાં જરા પણ ડાળાણુ ન કરે, તેથી તે પોતે જરૂર વિદ્યાને પામે અને સહાધ્યાયીએ પણ વિદ્યાને મેળવી શકે. આવે વિદ્યાથી વિદ્યાને માટે સુપાત્ર લેખાય. મચ્છર માણસને કરડીને તેનું લેાહી પી પેાતાને પાયે છે; આમ તે પેાતાનુ' પાષણ કરતાં માણુસને ડંખ માર્યા વિના રહેતા નથી, તેમ જે વિદ્યાર્થી ગુરુ પાસેથી વિદ્યા મેળવતાં ગુરુને ડંખ મારે અર્થાત્ આ તા માત્ર ગેાણિયા છે વગેરે કહી ગુરુની નિંદા કરે અથવા અધ્યાપકની સામું તિરસ્કારભાવથી મેલે તે છાત્ર વિદ્યાને માટે કુપાત્ર છે. તેથી ઊલટુ, જેમ જળેા માણસને જરા પણ દુઃખની ખખર ન પડે તેમ તેનું લેાહી પી પેાતાનું પાષણ કરે છે, તેમ જે વિદ્યાથી પાતાની ભક્તિ, નમ્રતા અને વિદ્યા માટેની ખંત વગેરે ગુણાથી અધ્યાપકને એવા વળગે કે એને ભણાવતાં ભણાવતાં જરાય થાક ન જણાય અને ઊલટું તે વિદ્યાર્થી તરફ ખેંચાતા જ રહે—આ જાતના વિદ્યાથી વિદ્યાના ખાસ અધિકારી ગણાય. શાસ્ત્રકારે આમ લૌકિક ઉદાહરણા દ્વારા વિદ્યાથીની યાગ્યતા અને અયાગ્યતાનું ઘણું સ્પષ્ટ દર્શન કરાવેલ છે. તે જ રીતે અધ્યાપક, શિક્ષક કે ગુરુની યાગ્યતા અને અાગ્યતા દર્શાવવા માટે પણ કેટલીક ઉત્તમ હકીકત આ પ્રમાણે ખતાવેલ છેઃ— આ ગાય એક લેાભી બ્રાહ્મણને કોઈ એક દાતાએ સસ્તામાં સ્વર્ગ મેળવવા સારુ માંદલી-બેઠેલી જ ગાયનુ દાન કર્યું. પેલા લેાલી બ્રાહ્મણે દાતાને એ પણ ન પૂછ્યું ઊભી તા કરા યા તે કેટલુ' દૂધ આપે છે? વગેરે. પછી જ્યારે ઘરે લઈ જવા સારુ બ્રાહ્મણુ ગાયને પૂછડે ઝાલીને બેઠી કરવા લાગ્યા, ત્યારે તેને ખખર પડી કે ગાય તા માંદલી છે અને વસૂકી ગયેલ છે તેથી દૂધ તા આપતી જ નથી. હવે બ્રાહ્મણને એમ થયું કે આ અલાને કાઈ ને તન સસ્તામાં વેચી મારું કાઈ બીજો એવા જ એક લેભિયા ઘરાક મળ્યા. તેણે શરૂમાં તે પૂછ્યું કે ભાઈ, આ ગાયને બેઠી તેા કરો. પણ બ્રાહ્મણે કહ્યું કે જેમ મે' ખરીદેલી છે તેમ જ તમારે ખરીદવી પડશે, બીજી પૂછપરછની વાત નથી. પેલા લેલિયાએ બ્રાહ્મણ ઉપર વિશ્વાસ રાખીને બેઠેલી ગાય તદ્ન પાણીની ક’મતે ખરીદી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230227
Book TitleVidyarthi ane Shikshani Yogyata ane Ayogyatani Bhumika
Original Sutra AuthorN/A
AuthorMrigavatishreeji
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Education
File Size475 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy