SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્યવિજયજી વિરચિત મદન-ધનદેવ રાસ વસુદત્ત સાર્થવાહને પુત્ર અશ્વ પર આરૂઢ થઈને તોરણે આવ્યો; પણ લેકના ધકકાથી તોરણને થંભ પડી ગયો અને તેને અગ્રભાગ વરરાજાના મસ્તક પર વાગવાથી તે તરત મૃત્યુ પામે. આ વખતે શ્રીપુંજ શ્રેષ્ઠી વિચાર કરે છે કે કન્યાને અત્યારે જ નહિ પરણાવીએ તો લેકમાં તેણીનું દુર્ભાગ્ય પ્રસિદ્ધ થશે. માટે કઈ યુવાન વર મળી જાય તે તેની સાથે આ પુત્રીને તત્કાળ પરણાવી દઈએ. અને શ્રેષ્ઠીએ વરને શોધી લાવવા માણસો મોકલ્યા. તેઓ કામદેવ જેવા ધનદેવને શ્રેષ્ઠી પાસે લઈ આવ્યા. યુવાન પુત્રીને ગ્ય છે એમ જાણી શ્રેષ્ઠીએ પ્રાર્થનાપૂર્વક હર્ષથી તે યુવાન સાથે પુત્રીને પરણાવવાનું નકકી કર્યું. | દશમી ઢાળ–તે વખતે ધનદેવે વિચાર કર્યો કે આવી સુંદર સ્વયંવરને શા માટે ત્યાગ કરું? પછી લગ્નક્રિયા શરૂ થઈ. આ અવસરે ધનદેવની બન્ને સ્ત્રીઓ ત્યાં આવી પહોંચી, અને દેવ-દેવી જેવું વરવહનું યુગલ જોઈને પ્રશંસા કરવા લાગી. તે વેળા નાની સ્ત્રી બોલી : “બહેન ! આ વર આપણા પતિ જે દેખાય છે. મોટી બોલી : “સમાન આકૃતિવાળા મનુષ્ય ઘણું હોય છે. આપણો પતિ તે શીત જવરથી પીડાતા ઘેર સૂતો છે, જેથી તું જરા પણ ચિંતા ના કરીશ.” પછી ધનદેવ કઈ બહાનું કાઢી નગર બહાર આવી આંબાના કોટરમાં ભરાઈ ગયો. પિલી બે સ્ત્રીઓ પણ ત્યાં આવી. એમણે મંત્ર ભણે અને આ આકાશમાં ઊડીને પોતાના ઘરના આંગણે આવી ગયે. ધનદેવ તેમાંથી નીકળીને ઘરમાં જઈને ઓઢીને સૂઈ ગયે. બન્ને સ્ત્રીઓ એને સૂતેલો જોઈ શંકા વિના સૂઈ ગઈ. સવારે ઘરકામ કરતાં નાની એ ધનદેવના હાથે કંકણ બાંધેલું જેઈને મેટીને તે વાત કહી. મોદીએ કહ્યું: “તું ચિંતા ન કરીશ. હમણાં જ હું એને ઈલાજ કરું છું.” અગિયારમી ઢાળ—પછી મોટી સ્ત્રીએ કે દેરાને મંત્રીને સાત ગાંઠ વાળીને ધનદેવના પગે બાંધી દીધે; એટલે તરત એ પિપટ થઈ ગયે. તે વિચાર કરે છે, “મનુષ્યભવ હારી ગયો, અને પક્ષી થયે; હવે હું શું કરું?” આ વિચારથી દુઃખી થયેલ પોપટ ઊડવા લાગે. તે વખતે મોટી સ્ત્રી એને પકડીને બોલીઃ “રે મૂર્ખ ! ટાઢિયે તાવ આવ્યાનું બહાનું કરી તેં અમારું ચરિત્ર જોયું છે, તે હવે કપટનું ફળ ભેગવ!” પછી એણે પિપટને પાંજરે પૂરી દીધો. નાની સ્ત્રી મોટી સ્ત્રીની આવડતની પ્રશંસા કરવા લાગી. પિોપટ પોતાના ઘરને તથા પરિવારને જેઈ ક કરવા લાગ્યું. પછી તે સ્ત્રીઓ જે વખતે વઘારના છમકાર આપતી હતી તે વખતે પિપટને કહેવા લાગીઃ “રે દુષ્ટ અમે તારે વધ કરીને તારા પણ આવા જ છમકારા બોલાવીશું.” બારમી ઢાળ –આ બાજુ રત્નપુરમાં શ્રીમતીને પતિ ક્યાં ગયે, ક્યાં ગયો તેમ શોધ શરૂ થઈ, પણ તેને પત્તો લાગ્યું નહિ. સવારે તેણે લખેલ એક લેક શ્રીમતીના જોવામાં આવ્યું. તેમાં લખ્યું હતું કે હસંતીપુરના નિવાસી ધનપતિને પુત્ર ધનદેવ અહીં આવે હતો, તે પરણીને પાછો ગયે છે. શ્રીમતીએ આ વાત પોતાના પિતાને કહી. પિતાએ તેને કહ્યું: “તારા પતિને શીધ્ર અહીં બોલાવું છું.” પછી એક દિવસ સાગરદત્ત શેઠ ધનેપાર્જન માટે હસંતી નગરી જતો હતો તે વાત જાણીને શ્રીપુંજ શ્રેષ્ઠીએ ધનદેવને માટે રત્નના અલંકાર આપીને સંદેશે કહેવરાવ્યોઃ હે ધનદેવ, તારી પત્ની તને બહુ યાદ કરે છે, માટે જલદી આવીને એની સંભાળ લે.” સાગરદત્ત સમુદ્ર ઓળંગીને હસંતી નગરીમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230187
Book TitleMadan Dhandev Ras
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages48
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy