SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ બૃહદ્દેપસૂત્ર ' : પ્રાસ્તાવિક [ ૯૭ અવચૂરી—ગૃહકપત્ર ઉપર એક અવસૂરી ( સ્મૃતિસ ંક્ષિપ્ત ટીકા ) પણ છે. એના પ્રણેતા શ્રી સેાભાગ્યસાગરસૂરિ છે અને એ ૧૫૦૦ શ્લેાકપ્રમાણ છે. મૂળ ગ્રંથના શબ્દાર્થને સ્પષ્ટ રીતે સમજવા ઈચ્છનાર માટે આ અવચૂરી મહત્ત્વની છે અને એ ટીકાને અનુસરીને જ રચાયેલી છે. પ્રસ્તુત અવસૂરીની પ્રતિ સંવત ૧૬૨૮માં લખાયેલી હાઈ એ તે પહેલાં રચાયેલી છે. આન્તર પરિચય પ્રસ્તુત બૃહત્કલ્પ મહાશાસ્ત્રના આન્તર પરિચય માટે અમે દરેક ભાગમાં વિસ્તૃત વિષયાનુક્રમણિકા આપી છે, જે બધાય ભાગેાની મળીને ૧૫૨ પૃષ્ઠ જેટલી થાય છે, તે જ પર્યાપ્ત છે. આ અનુક્રમણિકા જોવાથી આખા ગ્રંથમાં શુ છે તે, દરેકેદરેક વિદ્વાન મુનિવર આદિ સુગમતાથી જાણી--સમજી શકશે. તેમ છતાં પ્રસ્તુત મહાશાસ્ત્ર એ, એક છેદશાસ્ત્ર તરીકે ઓળખાતુ હાઈ તે વિષે અને તેના અનુસ ંધાનમાં જે જે ખાસ ઉચિત હાય તે અંગે વિચાર કરવા અતિ આવશ્યક છે. છેદઆગમા—છેદઆગમા બધા મળીને છતી સંખ્યામાં છે, જેને ઉલ્લેખ અને તેને લગતા વિશાળ વ્યાપ્યાસાહિત્યની નોંધ અમે ઉપર કરી આવ્યા છીએ. આ છેદઆગમેામાં, મનસા, વાચા, કણા અવિસંવાદી જીવન જીવનાર પરમજ્ઞાની તી કર, ગણુધર, સ્થવિર આદિ મહર્ષિએ જગતના મુમુક્ષુ નિત્રંથ-નિ થીઓને એકાંત કલ્યાણ સાધના માટે જે મૌલિક અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રતાદિરૂપ મા દર્શાવ્યા છે તે અંગે તે તે દેશ, કાળ તેમ જ તે તે યુગના માનવાની સ્વાભાવિક શારીરિક અને માનસિક વૃત્તિ અને વલણને ધ્યાનમાં લઈ બાધક નિયમેાનુ વિધાન કરવામાં આવ્યુ' છે, જેને શાસ્ત્રીય પરિભાષામાં અપવાદ કહેવામાં આવે છે. આ અપવાદ અર્થાત્ બાધક નિયમે ઉત્સર્ગી એટલે કે મૌલિક માર્ગોના વિધાન સામે હાવા છતાં એ, મૌલિક નાના બાધક ન હેાતાં તેના સાધક છે. આથી સમજાશે કે છેદઆગમે!માં અતિગંભીર ભાવે એકાન્ત આત્મલક્ષી બનીને મૌલિક અહિંસાદિ નિયમે અંગે તે તે અનેકવિધ વર્તમાન પરિસ્થિતિને લક્ષમાં લઈ આધક નિયમે! અ'ગે' વિધાન અને વિચાર કરવામાં આવ્યા છે. તાત્ત્વિક દૃષ્ટિએ વિચારતાં એમ કહી શકાય કે જૈન છેદઆગમે. એ, એકાન્ત ઉચ્ચ જીવન જીવનાર ગીતા જૈન સ્થવિરા અને આચાર્યાંની સૂક્ષ્મક્ષિકા અને તેમની પ્રૌઢ પ્રતિભાના સર્વોચ્ચ પરિચય આપનાર મહાન શાસ્ત્રા છે. ઉસ અને અપવાદ-પ્રસ્તુત બૃહત્કલ્પસૂત્ર, એ છેદઆગમામાંનુ એક હાઈ એમાં ઉત્સ અને અપવાદમા તુ અર્થાત્ સાધક-બાધક નિયમાનુ વિધાન કરવામાં આવ્યું છે. એ ઉત્સ-અપવાદે કયા, કેટલા અને કઈ કઈ બાબત વિષે છે?એ ગ્રંથનું અવલેાકન કરનાર જોઈ-જાણી શકશે, પરંતુ એ ઉત્સર્ગ અને અપવાદના નિર્માણને મૂળ પાયા શા છે? અને જીવનતત્ત્વાનું રહસ્ય સમજનારે અને તેનું મૂલ્ય મૂલવનારે પોતાના જીવનમાં તેનેા ઉપયાગ કઈ રીતે કરવાના છે—કરવા જોઈ એ ?-એ વિચારવું અને સમજવું અતિ આવશ્યક છે. આ વસ્તુ અતિ મહત્ત્વની હાઈ ખુદ નિયુક્તિ-ભાષ્યકાર ભગવંતે એ અને તદનુગામી પ્રાકૃત-સંસ્કૃત વ્યાખ્યાકારાએ સુધ્ધાં પ્રસ`ગ આવતાં એ વિષે ઘણા ઊંડાણથી અનેક સ્થળે વિચાર કર્યાં છે. જગતના કોઈ પણ ધર્મ, નીતિ, રાજ્ય, પ્રજા, સંધ, સમાજ, સભા, સંસ્થા કે મંડળેા—ત્યાગી હા કે સ*સારી—એ તેના એકધારા મૌલિક બંધારણ ઉપર નભી કે વી શકે જ નહિ; પરંતુ એ સૌને તે તે સમ-વિષમ પરિસ્થિતિ અને સચેગેાને ધ્યાનમાં રાખીને અનેક સાધક-બાધક નિયમેા ઘડવા પડે છે અને તે જ તે પેાતાના અસ્તિત્વને ચિરકાળ સુધી ટકાવી રાખી પેાતાના ઉદ્દેશાને સફળ કે ચિરંજીવ બનાવી સાન ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230177
Book TitleBrihatkalpa Sutra Prastavik
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages45
LanguageGujarati
ClassificationArticle & Agam
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy