SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ જ્ઞાનાંજલિ લીધે તેમાંની જે અતે જેટલી હકીકતા મળી આવે તે આધારે તેને પુનરુદ્ધાર સ્થપિર આ કાલકે કર્યા હતા. વસુદેવવિહડી, આવશ્યકચૂર્ણિ, આવશ્યક સૂત્ર અને અનુયાગદારસૂત્રની હારિભદ્દી વૃત્તિ આદિમાં પ્રથમાનુયોગના નામના જે ઉલ્લેખ છે તે આ પુનરુરિત પ્રથમાનુયાગને લક્ષીને છે; જ્યારે આવશ્યક સૂત્રની નિયુક્તિમાં ( અવતરણ ૧ ) આવતેા પ્રથમાનુયોગ નામનેા ઉલ્લેખ, સભવ છે કે, મૂલપ્રથમાનુયોગને લક્ષીને પણ હાય ! ૨. આડ અને નવ ઉલ્લેખને આધારે આપણને નવા મળે છે કે પ્રથમાનુયાગમાં માત્ર તીર્થંકરોનાં જ જીવનચરિત્ર હતાં, પરંતુ ત્રીજા ઉલ્લેખને આધારે પ્રથમાનુયોગમાં તીર્થંકરોનાં ચરિત્ર ઉપરાંત ચક્રવર્તી અને દશારોનાં પણ ચિત્રો હતાં. મને લાગે છે કે સૂત્રકાળમાં પ્રથમાનુયાગનુ ગમે તે સ્વરૂપ હા, પરંતુ સ્થવિર આર્ય કાલકે પુનરુદ્ધાર કર્યો ત્યારે તેનું સ્વરૂપ આચાર્ય શ્રી ભદ્રેશ્વરકૃત કહાવલી, શ્રી શીલાંકાચાકૃત ચઉપણમહાપુરિસચરિય અને આચાર્યં શ્રી હેમચંદ્રકૃત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતને મળતુ હાવુ જોઇ એ. ૩. પાંચમે ઉલ્લેખ શ્વેતાં સમજી શકાય છે કે, પ્રથમાનુયોગ ગ્રંથની રચના ગદ્યપદ્યરૂપે હતી. પરંતુ પ્રસ્તુત ગ્ર ંથ આજે આપણા સામે નથી, એટલે તેની ભાષાશૈલી, વનપદ્ધતિ, છંદ વગેરે વિષય, આ ગ્રંથમાં શી શી વિશેષતા અને વિવિધતાએ હશે, એ આપણે ખરા સ્વરૂપમાં સમજી શકીએ તેમ નથી. તે છતાં અનુયોગદ્દારસૂત્ર ઉપરની હારિભદ્દી વૃત્તિ(ઉલ્લેખ છમાં પાંચ મહામેàાનુ વર્ણન જોવા માટે પ્રથમાનુયોગ જોવાની ભલામણ કરી છે. એ ઉપરથી પ્રથમાનુયોગમાં પ્રસંગે પ્રસંગે ઘણી ઘણી હકીકતાને સમાવેશ હેાવાને સંભવ છે. ૪. સમવાયાંગ સૂત્ર અને નંદિસૂત્ર(ઉલ્લેખ ૮-૯)માં પ્રથમાનુયોગને બદલે મૂલપ્રથમાનુયોગ નામ મળે છે, તેનુ ં કારણ મને એ લાગે છે કે; જ્યાં સુધી સ્થવિર આકાલકે પ્રથમાનુયોગને પુનરુદ્વાર નહાતા કર્યાં ત્યાં સુધી સૂત્રકાલીન ગ્રંથમાનુયોગને પ્રથમાનુયાગ નામથી જ એળખવામાં આવતે। હશે, પર ંતુ સ્થવિર આ કાલકે એ ગ્રંથને ઉદ્ધાર કર્યાં બાદ સૂત્રકાલીન પ્રથમાનુયોગને લપ્રથમાનુયોગ નામ આપ્યું હોવું જોઈ એ જેકે સમવાયાંગસૂત્ર-નંદિસૂત્રના ચૂર્ણિકૃત્તિકારોએ વ્યુત્પત્યર્થસિદ્ધ કેટલાક વૈકલ્પિક લાક્ષણિક અર્થ આપ્યા છે, પણ મારી સમજ પ્રમાણે એ વાસ્તવિક અર્થને રપ નથી કરતા. જે પ્રથમાનુયાગમાં માત્ર તીર્થંકરોનાં જ ચરિત્રા હાત તે ચૂર્ણિકૃત્તિકારોના અસ્થ્ય લાક્ષણિક ન રહેતાં વાસ્તવિક બની જાત. પરંતુ, આપણે સભાવના કરી શકીએ છીએ ત્યાં સુધી, પ્રથમાનુયોગમાં માત્ર તીર્થં'કરોનાં જ ચિત્રો હોય અને તેમની સાથે અનિવાર્ય રીતે સંબધ ધરાવતા ચક્રવર્તી– વાસુદેવાદિનાં ચરિત્રો હોય જ નહિ, એ કદીયે બનવા યાગ્ય નથી. એટલે પ્રથમાનુયોગમાં માત્ર તી - કરોનાં ચરિત્રો હાવાની વાત નદિમુત્ર-સમવાયાંગત્રમાં મળતી હોય કે માત્ર તી કર-ચક્રવર્તી દશારોનાં ચરિત્રો હેાવાની વાત પાંચકલ્પભાષ્યાદિમાં મળતી હોય તેાપણ આપણે એ સમજી જ લેવુ જોઈ એ કે પ્રથમાનુયાગમાં, ઉપર કહેવામાં આવ્યું તેમ, ત્રેસઠ શલાકાપુરુષ અને તે સાથે સંબંધ ધરાવતી અનેક વ્યક્તિનાં ચરિત્રાને સમાવેશ થવા જોઈએ. એટલે ચૂર્ણિકૃત્તિકારોની વ્યાખ્યાને આપણે અહી લાક્ષણિક જ સમજવી જોઈ એ. દિબર આચાર્ય શ્રી શુભચદ્ર પ્રણીત અગપણુત્તીમાં પ્રથમાનુયોગમાં શું છે તે વિષે આ હકીકત જણાવી છે पढमं मिच्छादिट्ठ अव्वदिकं आसिदूण पंडिवज्जं । अयोगों अहियारो तो पढमाणुयोगो सो ॥ ३५ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230168
Book TitlePrathamanuyog Shastra ane Tena Praneta Sthavir Aryakalaka
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Ascetics
File Size550 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy