SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ગુપ્તવાસમાં લઈ જઈ, ચેરેલો ધનમાલ તથા બાન પકડેલાં સ્ત્રીપુરુષે સુપરત કરી દઈ, રાજાશા પ્રાપ્ત કરીને ભગવાન મહાવીરના ચરણમાં આત્મસમર્પણ કરી દે છે અને એ સાથે જ આ નાટકકથા સમાપ્ત થાય છે. રહિણેય તે પ્રથમથી જ ધારી બેઠો હતો કે પોતે હવે જલદી છૂટી જ જશે. પણ જે ઘડીએ એ અભયકુમારનાં ચાતુર્યને નિષ્ફળતામાં ફેરવી શકો, તે જ ઘડીએ એના હૃદયમાં એક તુમૂલ મંથન શરૂ થઈ જાય છે. એને થાય છે: ‘રે ભગવાનનાં વચન સાંભળવાને ને દર્શન કરવાને મારા પિતાએ મને કડક પ્રતિબંધ કર્યો, તે ભગવાનનાં એક જ વચનમાં આટલી બધી તાકાત? જે એ વચન મારા કાને પરાણે પણ ન પડયું હોત તો આજે હું ઘોર શિક્ષા વેઠતો હોત? ઓહ, મારા પિતા કેવા ગેરમાર્ગે દોરવાયા અને મને પણ દોરતા ગયા ! રૌહિણેયનું આ હૃદયમંથન, રાજાની પાસે પોતાનું સાચું સ્વરૂપ કબૂલ્યા પછી પોતાના જીવનનું બયાન આપતી વખતે બોલાયેલા પ્રસ્તુત નાટકના થતા 4 ફૂટ હૂિવવનપ્રસ્તનના मयापास्तं जैनं वचनमनिशं चौर्यरतिना / हहापास्याम्राणि प्रवर रसपूर्णानि तदहो !, कृता काकेनेव प्रकटकटुनिम्बे रसिकता // 34 // चौर्य निष्ठापहिष्ठस्य धिगादेशं पितुर्मम / बञ्चितोऽस्मि चिरं येन, भगवद्वचनामृतात् / / 35 // આ શ્લોકોમાં પ્રાકટય પામતું જોવાય છે. અને એ હૃદયમંથન એટલે કે હૃદયપરિવર્તનની પરાકાષ્ઠા એના મુખે બોલાયેલાં. "देव ! कमपि प्रेषय पूरुषम् / यथा वैभारगिरि गह्वरन्यस्तं लोप्नं समय तत्र भ्रमयत: श्रीवर्धमानस्वामिन : क्रमाम्भोजसपर्यया ની સતા નથfમ' આ વાકયમાં જોવા મળે છે. - માત્ર આ બોલીને રૌહિણેય નથી અટકતે. એ તો તરત જ પિતાની સાથે આવવા તૈયાર થયેલા રાજા અને મંત્રી વગેરેને પોતાના સમગ્ર રીતે પ્રવુ પtfzય 1 નો સાર વિચારીએ તો લાગે છે કે આ નાટક, જૈન ધર્મના “અસ્તેય’ ના સિદ્ધાંતને અને “લકોત્તર ધર્મતીર્થંકરની વાણીના શ્રવણના અમોઘ મહિમા નો પ્રચાર - પ્રસાર કરવાના જીવંત સાધન તરીકે પ્રયોજાયું છે. આવા ઉદ્દે શ માટે પ્રયોજાતાં નાટકો અનેક છે. આ તે તેનું એક ઉદાહરણ છે. જેમ પ્રાચીન કાળમાં, તેમ આજે પણ ધર્મ સિદ્ધાંતે તથા ઉપદેશોના પ્રચાર માટે વિવિધ પદ્ધતિઓ અખત્યાર કરાય છે. દા. ત., ધાર્મિક ઉત્સવાદિ પ્રસંગોએ યંત્રની મદદથી ધાર્મિક કથાઓ પર આધારિત માટી કે કાષ્ઠની હાલતી ચાલતી રચનાઓ, જેમાં તીર્થકર વગેરે લોકોત્તર પુરુષની પ્રતિકૃતિમાં પણ યંત્રસહાયથી સજીવારોપણ કરાય છે. અનેક શિષ્ટ, સંસ્કારી, અભિનય કલાવિદો આજે પણ વિદ્યમાન છે જેઓ અભિનયના માધ્યમથી ધર્મપ્રસારના પોતાના હેતુને સફળ કરવા માટે પુરુષાર્થ ખેડતા જોવાય છે. (1) પ્રઢ રળિય જૈન આત્માનંદ સભા (ભાવનગર) દ્વારા મુદ્રિત (વિ. સં. 1974), આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજ્યજી દ્વારા સંપાદિત. 14 રાજેન્દ્ર જ્યોતિ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230119
Book TitleJain Dharmna Prachar Mate Natak Kalano Upayoga
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherZ_Rajendrasuri_Janma_Sardh_Shatabdi_Granth_012039.pdf
Publication Year1977
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Art
File Size632 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy