________________
‘અન્દ્રસ્તુતિચતુર્વિશતિકા”
આજે વિદ્વાન સમક્ષ સ્વાપન ટીકા સહિત ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકા ધરીએ છીએ, જેના કર્તા ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીમાન યાવિજયાપાધ્યાય છે. તેઓશ્રી માટે આજ સુધીમાં ઘણું લખાયું છે, છતાં હજુ ઘણું લખવુ શેષ રહે છે. પરંતુ અત્યારે તેને લગતી તૈયારી ન હેાવાથી તે બાબતથી વિરમી માત્ર સ્તુતિને અંગે જ અહી કાંઈ લખવાના ઇરાદા છે.
અત્યારે આપણા સમક્ષ કે કાવ્યપ્રમાણ યમકાલ કારમયી જે સ્તુતિચતુર્વિશતિકાએ વિદ્યમાન છે, તે સૌમાં રચનાસમયની દૃષ્ટિએ આચાર્ય બપ્પભટ્ટકૃત સ્તુતિચતુર્વિશતિકા પ્રથમ છે અને યશેવિજયાપાધ્યાયકૃત અંતિમ છે. અત્યારે નીચે પ્રમાણેની સ્તુતિચતુર્વિશતિકા
જોવામાં આવે છે :
૧. સ્તુતિચતુવિ શતિકા
૨.
* મહાપાધ્યાય શ્રી યશેાવિજયકૃત ‘ઐન્દ્રસ્તુતિચતુર્વિ શતિકા 'ની (પ્રકાશક-શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર, સં. ૧૯૮૪) પ્રસ્તાવના.
૧ આચાર્ય. પટ્ટિ પાંચાલ (પંજાબ) દેશનિવાસી હતા. તેમના પિતાનું નામ અપ્તિ, માતાનું નામ ભિટ્ટ અને પેાતાનું નામ સુરપાલ હતું. તેમણે સાતમે વર્ષે દીક્ષા લીધી હતી. માતા-પિતાની પ્રસન્નતાને માટે તેમનું નામ અપ્પ-ભિટ્ટ રાખવામાં આવ્યું હતું. તેમનું મુખ્ય નામ ભદ્રકીતિ હતું. ગુરુ આચાર્ય સિદ્ધસેન હતા. કત્તેજના રાન્ન આમરાજે તેને યાવજ્જીવ મિત્રરૂપે અને મરણ સમયે ગુરુ તરીર સ્વીકાર્યા હતા. ‘ ગઉડવહા’ મહાકાવ્યના કર્તા મહાકવિ શ્રીવાતિરાજને પાછલી અવસ્થામાં પ્રતિખેાધ કર્યાંનુ પણ કહેવામાં આવે છે. તેમનેા જન્મ સ ંવત ૮૦૦, ભાદ્રપદ તૃતીયા, રવિવાર હસ્તનક્ષત્ર; દીક્ષા ૮૦૭ વૈશાખ શુકલ તૃતીયા; આચાર્ય પદ ૮૧૧ ચૈત્ર વદ ૮; સ્વવાસ ૮૯૫ શ્રાવણ શુદિ ૮ સ્વાતિનક્ષત્ર. એમણે તારાગણનામના ગ્રંથ રચ્યા છે, જે અત્યારે મળતેા નથી.
Jain Education International
""
ik
*
આચાર્ય બપ્પભટ્ટિ મુદ્રિત શોભનમુનિર
'भद्रकी ते मत्याशा: कीत्तिस्तारागणाध्वना । प्रभा ताराधिपस्येव श्वेताम्बर शिरोमणेः ॥ ३२ ॥
'' તિલમનરી, પૃ. ૪
આમનુ' વિશેષ ચરિત્ર જાણવાની ઇચ્છાવાળાએ પ્રભાવકચરિત્ર, ઉપદેશરત્નાકર આદિ ગ્રંથા જોવા. ૨. શાલનમુનિ મહાકવિ ધનપાલના લઘુ ભાઈ થાય.
""
For Private & Personal Use Only
www.jainelibrary.org